19/04/2026
ખૂબ ખૂબ ધન્યવાદ...
હસમુખભાઈ રમેશભાઈ રફાળીયા, ગામ ડેરી પીપળીયા (તાલુકો બગસરા, જિલ્લા અમરેલી)ના વતની અને હાલ સુરત નિવાસી, એજયુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને ઉદારહૃદય વ્યક્તિત્વ તરીકે સમાજમાં વિશેષ ઓળખ ધરાવે છે.
તેઓ રેડ એન્ડ વ્હાઈટ સ્કીલ એજ્યુકેશન (ઓલ ગુજરાત) સાથે જોડાઈને યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ, સ્વાવલંબન અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતાં માર્ગદર્શક તરીકે સમાજમાં સશક્તિકરણનું અનન્ય અને પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.
તેમજ તેઓ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત સાથે જોડાઈ નિષ્કામ ભાવથી સમાજસેવામાં સક્રિય રહી સતત પ્રેરણારૂપ યોગદાન આપી રહ્યા છે.
સમાજ પ્રત્યેની પોતાની અખંડ લાગણી, જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાને આગળ વધારતા, તેઓ વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રીમ રહી સહયોગ આપી રહ્યા છે.
તેમની સેવાભાવી, પરોપકારી અને દાતાશ્રી ભાવનાને વધુ મજબૂત બનાવતા, તેમણે સરદાર ભવન માટે રૂ. ૨,૫૧,૦૦૦/- ના અનુદાનનો સંકલ્પ કરી સમાજ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતા, સમર્પણ અને કરુણાભાવનો ઉદ્ગાર વ્યક્ત કર્યો છે.
તેમની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રેરણાદાયી, ગૌરવવંતી અને અનુસરણીય છે. તેઓ આવી જ રીતે નિષ્કામ ભાવથી સમાજ સેવા કરતા રહે અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.
🙏 સૌના સરદાર જય જય સરદાર 🙏
જય જય ગરવી ગુજરાત
જય ભારતમાતા
જય હિંદ