Vedcchi Pradesh Seva Samiti, Valod

Vedcchi Pradesh Seva Samiti, Valod N.G.O. committed for overall development of Valod Taluka (Block) through education, skill developmen

committed for overall development of Valod Taluka (Block) through education, skill development & women empowerment.

આ સંસ્થાના સ્થાપકોના પ્રેરણાસ્ત્રોત અને જેમના આશીર્વાદથી સંસ્થાની સ્થાપના થઈ એવા જુગતરામ દવે ની સ્મૃતિમાં યોજાતી વ્યાખ્ય...
14/03/2026

આ સંસ્થાના સ્થાપકોના પ્રેરણાસ્ત્રોત અને જેમના આશીર્વાદથી સંસ્થાની સ્થાપના થઈ એવા જુગતરામ દવે ની સ્મૃતિમાં યોજાતી વ્યાખ્યાન શ્રેણીના 41માં મણકાનું આજે સ્વરાજ આશ્રમ વેડછી ખાતે આયોજન કરાયું. સંસ્થાના પ્રમુખ Tarla Shah દ્વારા ' જીવન નિષ્ઠાનું ઘડતર ' વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ જુગતરામ દવેના કાર્યોની સ્મૃતિ વંદના કરવામાં આવી.

સાદર નિમંત્રણ
12/03/2026

સાદર નિમંત્રણ

સંસ્થાના વનસ્થલી શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત અને વેડછી પ્રદેશ સેવા સમિતિ આયોજિત ભાષા સજ્જ...
01/02/2026

સંસ્થાના વનસ્થલી શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત અને વેડછી પ્રદેશ સેવા સમિતિ આયોજિત ભાષા સજ્જતા અને અભિવ્યક્તિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં પાંચ સંસ્થાઓના લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 ના હતા. ત્રણ દિવસ વાર્તા લેખન, વાચન, પઠન ,કાવ્ય લેખન, વ્યાકરણ, નાટક લેખન એકપાત્રીય અભિનય જેવા પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની ભાષા સજ્જતા અને અભિવ્યક્તિ ખીલે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા ઉદ્ઘાટનમાં વ્યારા ના ડોક્ટર દક્ષાબેન વ્યાસ અને અમરસિંહભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા સમાપન સમારોહમાં બારડોલી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર વિક્રમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા ભાષાના આયામોને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવ્યા. આ પ્રયાસને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આવકાર્યો હતો એમના પ્રતિભાવોમાં ભાષા અંગે આવેલી જાગૃતિ અને અભિનય દ્વારા અભિવ્યક્તિ ને શીખવા મળી એનો આનંદ વ્યક્ત કર્યો હતો સાથે આવેલા શિક્ષકોએ પણ આ તકને આવકારી હતી સમગ્ર શિબિરનું સંચાલન મનીષભાઈ મિસ્ત્રીએ કર્યું સંભાળ્યું હતું આ સાથે જ વનસ્થલી શૈક્ષણિક સંકુલના શિક્ષકો અને સાથીઓએ શિબિરની જવાબદારી સંભાળી હતી. ત્રણેય દિવસ વિદ્યાર્થીઓનો આનંદ અને ઉત્સાહ આ પ્રકારની વધુ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે એવો રહ્યો.

બાબુભાઇની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આજના કાર્યક્રમમાં ડો. આઇ કે વીજળીવાળા, Sharifa Vijaliwala અને Minal Dave ઉપસ્થિત રહ્યા...
08/01/2026

બાબુભાઇની પુણ્યસ્મૃતિમાં યોજાયેલા આજના કાર્યક્રમમાં ડો. આઇ કે વીજળીવાળા, Sharifa Vijaliwala અને Minal Dave ઉપસ્થિત રહ્યાં. વિષયને અનુરૂપ ડો. વીજળીવાળા સાહેબ દ્વારા જીવનના જુદા જુદા આયામો દ્વારા જીવન કેટલું સુંદર છે!એ હ્રદયસ્પર્શી રીતે રજુ કર્યું. ભાવવાહી રજૂઆતમાં શ્રોતાઓએ લાગણી અનુભવી. મીનળબેન દ્વારા વીજળીવાળા ભાઈ બહેન સાથે અર્થ સભર સંવાદ કરવામાં આવ્યો. ત્રણેય સર્જકોના પુસ્તકો પણ વેચાણ માટે ઉપલબ્ધ હતાં. વિદ્યાર્થીઓ, સંસ્થાના કાર્યકર્તાઓ, ગ્રામજનોએ આ કાર્યક્રમને માણ્યો. સ્મૃતિ સાર્થક બની રહી.

સંસ્થાના સ્થાપકો પૈકીના એક અને પ્રણેતા બાબુભાઇ શાહની સ્મૃતિમાં પ્રતિવર્ષ કેળવણી - લોકોપયોગી કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે ...
29/12/2025

સંસ્થાના સ્થાપકો પૈકીના એક અને પ્રણેતા બાબુભાઇ શાહની સ્મૃતિમાં પ્રતિવર્ષ કેળવણી - લોકોપયોગી કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે ત્રણ ઉમદા વ્યક્તિત્વોની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રસ ધરાવનારને ઉપસ્થિત રહેવા સાદર નિમંત્રણ.

આજે તારીખ 29 નવેમ્બર 2025 શનિવારના રોજ સવારે 10:00 કલાકે વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત આશ્રમશાળા વનસ્થલી કણજોડ  ...
29/11/2025

આજે તારીખ 29 નવેમ્બર 2025 શનિવારના રોજ સવારે 10:00 કલાકે વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત આશ્રમશાળા વનસ્થલી કણજોડ મુકામે સંસ્થાના પ્રમુખશ્રી આદરણીય તરલાબેન શાહ તથા મંત્રીશ્રી મનીષભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ડો.યોગેશભાઈ ગોરાણે, આચાર્ય વિનયમંદિર હાઇસ્કુલ દાંડી નવસારી, "બાળકોના ઘડતરમાં મૂલ્ય શિક્ષણ" વિષય પર વૈચારિક ચર્ચા સભાનું આયોજન કરવામાં આવ્યું. વક્તા દ્વારા શિક્ષક હોવું એટલે શું? અને શિક્ષક એટલે શું? આ બે મુદ્દાઓ પર સંવાદ સાથે વિચારો મુકયા. શાળાઓના શિક્ષકોને આ આદાન પ્રદાન પ્રકલ્પથી ભાથું આપવાનો પ્રયાસ.

22/10/2025
07/09/2025

આપણી સંસ્થાના ભુતપૂર્વ મંત્રી અને કાર્યકર્તા શ્રી સતીશભાઈ એન. શાહનું દુઃખદ નિધન એમના નિવાસસ્થાન સુંદરનગર વાલોડ ખાતે થયું છે. આપણી સંસ્થાના ભુતપૂર્વ મંત્રી અને કાર્યકર્તા શ્રી સતીશભાઈ એન. શાહનું દુઃખદ નિધન એમના નિવાસસ્થાન સુંદરનગર વાલોડ ખાતે થયું છે.
અંતિમયાત્રા આજે સાંજે ૬:૧૫ કલાકે એમના નિવાસસ્થાનથી નીકળશે.

માતૃભાષા દિવસની ઉજવણી. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગની બે શાળાઓ વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઇ અને વનસ્થલી કણજોડ ખાતે...
23/02/2025

માતૃભાષા દિવસની ઉજવણી. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગની બે શાળાઓ વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઇ અને વનસ્થલી કણજોડ ખાતે કાર્યક્ર્મ યોજાયા. વ્યારા કોલેજના પ્રાધ્યાપક શ્રી મેરુભાઈ વાઢેર ગ્રામભારતી ખાતે અને સુરતના સાહિત્યકાર અને રંગકર્મી યામિની વ્યાસ વનસ્થલી ખાતે પધાર્યાં. સંસ્થાના પ્રમુખ તરલાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિ રહી. મેરુભાઈએ પ્રાદેશિક ભાષા - બોલીની વિશેષતા સમજાવી. યામિનીબેન દ્વારા એકપાત્રિય અભિનય થી ભાષાનાં આયામો રજુ કરવામાં આવ્યાં. વિદ્યાર્થીઓએ પણ રસ પૂર્વક ભાગ લીધો.

Address

Udyogwadi
Valod
394640

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

02625222064

Website

Alerts

Be the first to know and let us send you an email when Vedcchi Pradesh Seva Samiti, Valod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vedcchi Pradesh Seva Samiti, Valod:

Share