25/07/2026
🚩 જય ગૌરી માતા 🚩
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥
માતા ગૌરીની કૃપાથી ગૌરીવ્રતના આ પાવન આયોજનને સમાજનો અદ્ભુત સહયોગ મળી રહ્યો છે.
આ આયોજનનો એકમાત્ર સંકલ્પ એ છે કે આપણી દીકરીઓ ધર્મ, સંસ્કાર અને સમાજ સાથે જોડાય, પોતાના આંગણે રહે, સુરક્ષિત રહે અને માતા ગૌરીની કૃપાના અધિકારી બને.
જો હજુ પણ કોઈને આ પવિત્ર જાગરણ અને ગૌરીપૂજનના મહોત્સવમાં નાની કે મોટી કોઈપણ સેવા કરવાનો ભાવ હોય, તો જરૂરથી જાણ કરશો. ધર્મકાર્યમાં કરેલી સેવા એ ઈશ્વરની સેવા સમાન છે.
એક સાથે આટલી મોટી સંખ્યામાં ગૌરીવ્રત કરનારી કુંવારિકાઓનું જાગરણ અને પૂજન કરવાનો આ દુર્લભ અને પુણ્યમય અવસર છે. આવો, આ ધર્મયજ્ઞમાં સહભાગી બની માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ.
📜 જાગરણના દિવસની સંપૂર્ણ રૂપરેખા, કાર્યક્રમનો સમયક્રમ તથા અન્ય જરૂરી સૂચનાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
📞 વધુ માહિતી માટે:
મંત્રી શ્રી ચિરાગભાઈ ગાંધી: 9426503888
ગાંધીવાડી ઓફિસ: 0265-2436093
જય ગૌરી માતા. 🌺
જય સનાતન ધર્મ. 🚩
શ્રી વડોદરા ચાંપાનેરી મોઢ જ્ઞાતિની સમગ્ર પંચ
#જયગૌરીમાતા #ગૌરીવ્રત #ગૌરીવ્રત૨૦૨૬ #ગૌરીપૂજન #ગૌરીજાગરણ #જયસનાતનધર્મ #સનાતનધર્મ #હિન્દુસંસ્કૃતિ #ધર્મ #સંસ્કાર #દીકરીઆપણુંગૌરવ #સમાજએકતા #ગાંધીવાડી #વડોદરા