Shree Krishnam Foundation

Shree Krishnam Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Krishnam Foundation, Community Organization, Vadodara.

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા દશરથ ગામમાં રહેતા રાજેશભાઈને સાયકલ ભેટ આપવામાં આવી 🚲અમારા મિત્ર હેમંતભાઈનો કોલ આવ્યો હતો ...
30/03/2026

શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન દ્વારા દશરથ ગામમાં રહેતા રાજેશભાઈને સાયકલ ભેટ આપવામાં આવી 🚲
અમારા મિત્ર હેમંતભાઈનો કોલ આવ્યો હતો કે રાજેશભાઈને સાયકલની ખુબ જરૂર છે। તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન દ્વારા તરત જ સહાય કરવામાં આવી।
રાજેશભાઈ ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। સાયકલ મળતા તેઓ ખૂબ જ ખુશ થયા અને તેમની આંખોમાં ખુશીની ઝલક સ્પષ્ટ જોવા મળી ❤️
આવી નાની મદદ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે।
શ્રી ક્રિષ્ણમ ફાઉન્ડેશન હંમેશા સમાજ સેવા માટે પ્રતિબદ્ધ છે 🙏
😍❤️

❄️🤍 કપરી ઠંડીમાં ઉષ્માભર્યો સહારો 🤍❄️શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના બાલ વાટિકાથી ધોરણ–12 સુધી ભણતા કુલ...
01/01/2026

❄️🤍 કપરી ઠંડીમાં ઉષ્માભર્યો સહારો 🤍❄️
શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર તાલુકાના બાલ વાટિકાથી ધોરણ–12 સુધી ભણતા કુલ 224 દિવ્યાંગ બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું.
હાલની કડકડતી ઠંડીમાં બાળકોને રાહત મળે તે હેતુથી આ સેવાકાર્ય છોટાઉદેપુર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું.
આ નેક કાર્યમાં કેનેડા નિવાસી રવિભાઈ પરીખ અને તેમનો પરિવાર તેમજ અન્ય દાતાશ્રીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો.
સ્વેટર મળતાં બાળકોના ચહેરા પર જોવા મળેલું સ્મિત જ અમારી સાચી પ્રેરણા છે 💙
આ પ્રસંગે શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાર્ગવભાઈ શાહ, મિતાલીબેન શાહ તથા ફાઉન્ડેશનના સભ્યો, દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
🙏 આ નેક કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને IED વિભાગનો હૃદયપૂર્વક આભાર.
✨ સેવામાં જ સચ્ચો આનંદ છે ✨





GivingWarmth
SpreadingSmiles
Seva
GivingBack

🛑🛑🛑 એક દીકરી ની વાત જરૂર થી વાંચજો 🛑🛑🛑આજ રોજ હું અને મારી ફાઉન્ડેશનની ટીમ છોટાઉદેપુર ગયા હતા.ફાઉન્ડેશન દ્વારા આજ રોજ છોટ...
28/12/2025

🛑🛑🛑 એક દીકરી ની વાત જરૂર થી વાંચજો 🛑🛑🛑

આજ રોજ હું અને મારી ફાઉન્ડેશનની ટીમ છોટાઉદેપુર ગયા હતા.
ફાઉન્ડેશન દ્વારા આજ રોજ છોટાઉદેપુર તાલુકાના 224 જેટલા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સાથે, વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર બાળકોને ચોપડા પણ આપવામાં આવ્યા હતા.
આ નેક કાર્ય દરમ્યાન આજે મને એક દીકરી મળી — તેનું નામ #ગાયત્રી.
દેખાવમાં એકદમ શાંત, મુખ પર નાનકડી સ્મિત…

પણ જ્યારે નજીકથી જોયું ત્યારે ખબર પડી કે દીકરીના બંને હાથ નથી.
તેમ છતાં, તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો, ન આંખોમાં આંસુ — બસ શાંતિ અને સ્મિત.
દીકરીના માતા-પિતાએ જણાવ્યુ કે ગાયત્રી એ 10મા ધોરણની પરીક્ષા કોઈ પણ રાઇટર વગર, પોતાના પગથી લખીને, પ્રથમ જ પ્રયત્નમાં પાસ કરી હતી.
હાલ #ગાયત્રી 12મા ધોરણમાં અભ્યાસ કરી રહી છે અને આ વર્ષે પણ ખૂબ જ મહેનત કરી રહી છે.
દીકરીનો આ જુસ્સો આપણને શીખવે છે કે
શારીરિક અછત હોવા છતાં પણ જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી જીતવી શક્ય છે.
આપણે નાની નાની વાતોમાં હાર માનીએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. —
પણ #ગાયત્રી જેવી દીકરીઓ આપણને જીવવાનું સાચું અર્થ શીખવે છે.
આજે દીકરીને મળીને મને અતિશય આનંદ થયો.

અને #ગાયત્રી સાથે સાથે અન્ય તમામ દિવ્યાંગ બાળકોને મળીને
એ પણ શીખવા મળ્યું કે ભગવાને જીવનમાં આપણને જે કંઈ આપ્યું છે, તેના માટે હંમેશા આભાર માનવો જોઈએ.
કારણ કે સાચી ખુશી ફરિયાદમાં નહીં, પરંતુ કૃતજ્ઞતામાં છુપાયેલી છે.
આજ રોજ દીકરીને અભ્યાસ માટે 20 નંગ ચોપડા પણ આપવામાં આવ્યા.

અને દીકરીની મહેનત અને હિંમતને જોઈને હું વ્યક્તિગત રીતે તેને આગળના અભ્યાસ માટે અને પરિવારને કોઈ પણ મદદની જરૂર પડે તો મારી તરફથી સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપું છું.

🌼 હાથ નથી તો શું થયું, હિંમત તો સાથ છે,
પગથી લખે સપનાઓ, એ જ એની વાત છે.
ન હારી, ન અટકી, ન ક્યારેય રડી ગઈ,
ગાયત્રી જેવી દીકરી, દુનિયાને શીખવી ગઈ.🌼

આજની આ મુલાકાત મારા માટે માત્ર એક કાર્યક્રમ નહીં,
પરંતુ જીવનભરની પ્રેરણા અને કૃતજ્ઞતાનો પાઠ બની રહેશે. 🙏

શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા પીન્ટુભાઈને સતત મદદ આપવામાં આવી રહી હતી. લગભગ 8 મહિનાની સારવાર બાદ પીન્ટુભાઈ હવે બહુ હદ સુધ...
16/11/2025

શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા પીન્ટુભાઈને સતત મદદ આપવામાં આવી રહી હતી. લગભગ 8 મહિનાની સારવાર બાદ પીન્ટુભાઈ હવે બહુ હદ સુધી સ્વસ્થ થઈ ગયા છે. હજી થોડું અસ્વસ્થ્ય અનુભવાય છે, પરંતુ ધીમે ધીમે તે પણ સંપૂર્ણ રીતે સુધરી જશે.

ફાઉન્ડેશન દ્વારા તેમના પરિવારને ફરી એક વખત અનાજની સહાય કરવામાં આવી હતી. પીન્ટુભાઈને મળી ખૂબ આનંદ થયો.

🌼 શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન તરફથી માનવતા માટેની અપીલ 🌼છોટાઉદેપુર જિલ્લાના આશરે 224 વિકલાંગ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, ...
13/11/2025

🌼 શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન તરફથી માનવતા માટેની અપીલ 🌼

છોટાઉદેપુર જિલ્લાના આશરે 224 વિકલાંગ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો, જે 21 પ્રકારની દિવ્યાંગતા સાથે જીવન જીવતા છે, તેમને આ શિયાળાની ઋતુમાં વધારાની કાળજી અને ઉષ્ણતાની જરૂર છે.
આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે, શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા તેમને સ્વેટર વિતરણ કરવાની પહેલ કરવામાં આવી છે.
🙏 આપ સૌ મિત્રો પાસે વિનંતી છે કે આપ આ માનવતાપૂર્ણ કાર્યમાં યથાશક્તિ સહભાગી બનીને આ દિવ્યાંગ બાળકોને મદદરૂપ થાઓ.
આપ ₹100 થી શરૂ કરીને આપની ક્ષમતા મુજબનું યોગદાન આપી શકો છો.
🌸 224 Divyang Kids
🧣 1 Warm Sweater = 1 Smile
💖 Join Hands with Shree Krishnam Foundation
🙏 Donate from ₹100 onwards

💰 દાન માટેની વિગત:
Account Name: Shree Krishnam Foundation
Account Number: 5168385618
IFSC Code: CBIN0283740 (Fifth character is ZERO)
Bank Name: Central Bank of India, Vadodara

ચાલો મળીને આ શિયાળામાં આ બાળકોના જીવનમાં ઉષ્ણતા અને આનંદ ભરીએ.❤️
*Shree Krishnam Foundation* — Serving with Heart 💫

✨ Spreading Smiles, Sharing Kindness! ❤️Shree Krishnam Foundation continues its mission to support those in need with es...
26/10/2025

✨ Spreading Smiles, Sharing Kindness! ❤️
Shree Krishnam Foundation continues its mission to support those in need with essentials like food. Every small act of kindness brings a big change — together, we can light up more lives. 🌟
🙏 Grateful to everyone who joined hands in this journey of giving.

✨ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આ દિવાળી 2025 એક જરૂરિયાતમંદ ગામના લોકો અને બાળકો સાથે ઉજવવામાં આવશે।इस दिवाली 2025 को श्...
03/10/2025

✨ શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા આ દિવાળી 2025 એક જરૂરિયાતમંદ ગામના લોકો અને બાળકો સાથે ઉજવવામાં આવશે।
इस दिवाली 2025 को श्री कृष्णम फाउंडेशन एक ज़रूरतमंद गाँव के लोगों और बच्चों के साथ मनाएगा। 🪔

❤️ આવો, સાથે મળીને ખુશીઓ વહેંચીએ, મદદ પહોંચાડીએ અને કોઈનો સહારો બનીએ।
आइए, मिलकर खुशियाँ बाँटें, मदद करें और किसी का सहारा बनें। ❤️

🙏 🪔 એક કિટ માટે ₹500 થી ₹1000 સુધીનું દાન ફાઉન્ડેશનને આપી શકો છો। 🛍️🍲
आप फाउंडेशन को एक किट के लिए ₹500 से ₹1000 तक दान कर सकते हैं। 🙏

.0

📞 વધુ માહિતી અને મદદ માટે સંપર્ક કરો:

ભાર્ગવ શાહ : 96016 36501

ભાવેશ કાછીયા : 88661 87135

નીલ ગજ્જર : 81538 78984

📢 ડભોઈ વાસીઓ તૈયાર છો?પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ,શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન ફરીથી લઈને આવી રહ્યું છે –🌿 માટીના ગણેશજી પ્રતિમ...
31/07/2025

📢 ડભોઈ વાસીઓ તૈયાર છો?
પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ,
શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન ફરીથી લઈને આવી રહ્યું છે –
🌿 માટીના ગણેશજી પ્રતિમાઓની સ્પર્ધા – સીઝન 2 🌿
📍 માત્ર ડભોઈ તાલુકા માટે વિશેષ

📅 તારીખ: 24 ઓગસ્ટ 2025, રવિવાર
📍 સ્થળ: ડભોઈ.

👥 સ્પર્ધા 3 જૂથમાં વિભાજિત:
🔹 જૂથ A: 5 થી 15 વર્ષ
🔹 જૂથ B: 16 થી 35 વર્ષ
🔹 જૂથ C: 35 વર્ષથી વધુ

🎁 દરેક ભાગ લેનારને મળશે ગિફ્ટ અને પ્રમાણપત્ર
🏆 વિજેતાઓ માટે રોચક ઇનામો
💰 પ્રવેશ ફી: ₹50 પ્રતિ વ્યક્તિ

🌿 ચાલો બધા સાથે મળીને બનાવીયે ઇકો ફ્રેન્ડલી ગણેશજી 🙏🌿

👤 મુખ્ય અતિથિ: MLA શ્રી શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)

📞 નોંધણી માટે સંપર્ક કરો:
ભાર્ગવ શાહ : 9601636501
ભાવેશ : 8866187135
નીલ: 8153878984

Address

Vadodara

Telephone

+919601636501

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Krishnam Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Krishnam Foundation:

Share