16/09/2025
Glimpse of 58th Annual Utsav of Shree swaminarayan Baldhun mandal Rampura surat
શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળમાં આવતા બાળકોમાં
શુભ સંસ્કારનું સિંચન કરવું.
સત્સંગ પ્રચાર કરી બહોળો ફેલાવો કરવો.
ભગવાન, મંદિર, આચાર્ય, સંત, માતા-પિતા તથા સત્સંગીઓની સેવા કરવી.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કિર્તન અને ધુન કરવી.
ઉત્સવો ઉજવી, ઈનામો આપી બાળકોને પ્રોત્સાહિત કરી દૃઢ નિશ્ચયી બનાવવા.
બાળકોમાં વિનય, વિવેક, નમ્રતા, સાદાઈ અને પ્રમાણિકતા જેવા સદ્ગુણોનું સિંચન કરવું.
બાળકોમાં ધાર્મિક વૃત્તિ કેળવવી અને નિર્વ્યસની બનાવવા.
ભારતીય સંસ્કૃતિને પોષ્ક એવા સત્ શાસ્ત્રના અભ્યાસી બનાવવા.
ધર્મભાવના, શાસ્ત્રભાવના, દેશભાવના, ઉજજવળ બનાવવા એવા શુભ ઉદ્દેશ્ય થી બાળધૂન મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તો એ શ્રી સ્વામિનારાયણ બાળધૂન મંડળ રામપુરા સુરતનો ૫૮ મો વાર્ષિકોત્સવ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેની ઝાંખી તમને અહીં જોવા મળી રહી છે