Hemrashmi

Hemrashmi Hemrashmi is the page is all about news, events for Damania Soni Parivar.

હેમરશ્મિ દ્વારા સતત ચોથા વર્ષે પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ-ખરવાસા ખાતે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ...
03/04/2026

હેમરશ્મિ દ્વારા સતત ચોથા વર્ષે પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ-ખરવાસા ખાતે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જે અંગે વિવિધ અખબારોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ...



હેમરશ્મિ સૌનો આભાર વ્યક્ત કરે છે.

ચૈત્ર સુદ નોમ, રામનવમીના પાવન દિવસ  તા: 26/3/2026 ગુરુવારના રોજ હેમરશ્મિ દ્વારા સતત ચોથા વર્ષે પ્રભુ શ્રીરામ મંદિર, તેજા...
31/03/2026

ચૈત્ર સુદ નોમ, રામનવમીના પાવન દિવસ તા: 26/3/2026 ગુરુવારના રોજ હેમરશ્મિ દ્વારા સતત ચોથા વર્ષે પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ-ખરવાસા ખાતે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સવારે 8.30 વાગ્યાથી ચા-કોફી બિસ્કીટના અલ્પાહાર લઈને વલસાડ-બિલીમોરા-નવસારી-સુરત-વડોદરાથી ઉપસ્થિત જ્ઞાતિજનોમાંથી પસંદ કરેલા જ્ઞાતિજનોના હસ્તે દિપપ્રાગ્ટય કરાવડાવી સંપાદક વસંતભાઈએ ઉમળકાથી સ્વાગત કર્યુ. વલસાડ-બીલીમોરા-નવસારી-સુરતના મહિલા મંડળો દ્વારા સમયાંતરે પ્રભુ શ્રીરામના ભજનો રજુ કરી આધ્યાત્મિક માહોલ ઉભો કર્યો હતો. કાલિન્દીબેન મનોજભાઈ પટેલએ સૌને આવકારી હેમરશ્મિ દ્વારા બે વર્ષ પહેલા ખરવાસા જાહેરાત કરી હતી એ આપણું પોતીકું પુસ્તક "આપણા સંસ્કાર અને સંસ્થાન" વિશે લાગણીઓ વ્યક્ત કરી એના ઉદ્દેશ-પુસ્કત પ્રસિધ્ધ થયા પછીના અનુભવો વહેંચીને પુસ્તક પ્રસિધ્ધિ માટે પ્રભુ શ્રીરામ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. હેમરશ્મિના અંકોમાં આવતી માહિતિનું વિહંગ વિશ્લેષણ રજુ કરી સમાચાર-માહિતિ હેમરશ્મિ સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.
ત્યારબાદ શ્રીરામ સ્તુતિ, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાનો સંપુટની સમૂહ પ્રાર્થના કરી હતી.
મનોજભાઈ રમણલાલ પટેલએ હેમરશ્મિની વિવિધ યોજનાઓ અંગે માહિતિ આપી હેમરશ્મિમાં અતૂટ વિશ્વાસ મુકવા બદલ સૌ જ્ઞાતિજનોનો હ્રદયથી આભાર માન્યો હતો. સમૂહ પ્રાર્થનામાં સહાયરૂપ થનાર સૌ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં ગત વર્ષમાં દિવંગત થનાર સૌ જ્ઞાતિજનોના આત્માની શાંતિ-સદગતિ માટે બે મિનિટનુ મૌન પાડી, શાંતિ પ્રાર્થના ગાઈ હતી. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને 12 વાગ્યે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની ઉજવણીરૂપે આરતીમાં ભાગ લઈ જન્મોત્સવને વધાવ્યો હતો.
પ્રભુ શ્રીરામના આશિર્વાદરૂપ માલપુડા તથા દૂધપાકનો મહાપ્રસાદનો રસાસ્વાદ લઈ સૌ ફરી મળવાના સંદેશ સાથે છુટા પડ્યા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન પારેખ એ કર્યુ હતુ.

તેજાનંદ ધામ-ખરવાસા મંદિરમાં પ્રભુ શ્રીરામની સુંદર રંગોળી પ્રિતિ જિજ્ઞેશ પારેખ-નવસારીએ તૈયાર કરી હતી.

વધુ વિસ્તૃત અહેવાલ હેમરશ્મિના આગામી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

હેમરશ્મિ દ્વારા વર્ષ 2023 થી રામનવમીના પાવન દિવસે ખરવાસા ખાતે સમુહ પ્રાર્થના નું ચોથું વર્ષ...તા. 26-03-2026, ગુરૂવારના ...
18/03/2026

હેમરશ્મિ દ્વારા વર્ષ 2023 થી રામનવમીના પાવન દિવસે ખરવાસા ખાતે સમુહ પ્રાર્થના નું ચોથું વર્ષ...

તા. 26-03-2026, ગુરૂવારના રોજ, રામનવમીના શુભ અવસર પર તેજાનંદ ધામ-ખરવાસા ખાતે પ્રભુ શ્રીરામના ચરણોમાં સમસ્ત જ્ઞાતિજનો સાથે ભેગા મળી મહાઆરતી તથા મહાપ્રસાદનો આનંદ માણીશું. સર્વ જ્ઞાતિજનોને તેજાનંદ ધામ - ખરવાસા ખાતે ઉપસ્થિત રહેવા હૃદયથી આમંત્રણ..





29/04/2025

હેમરશ્મિ પરિવાર તરફ થી 27 તારીખ ને રવિવારે જે પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું, તે *"આપણા સંસ્કાર અને સંસ્થાન"* પુસ્તક વર્ષો સુધી દરેક ઘર માં સચવાઈ ને રહે તેવું આપણા દમણિયા સોની સમાજ ના જન્મ થી મરણ સુધી ના દરેક રીતરિવાજો, 16 સંસ્કારો અને આપણા ધાર્મિક સંસ્થાનો ની વિગતવાર માહિતી આપતું શ્રેષ્ઠ પુસ્તક છે.

આપ આપના દિવંગત વડીલો નો ફોટો અને શ્રદ્ધાંજલિ એમાં છપાવી, સમાજ ના આ ઉમદા કાર્ય માં સહભાગી બની શકો છો.

જેનો સહયોગ આ મુજબ છે..
₹ 11000/- for half page & ₹ 25000/- for Full Page.

સંપર્ક -
મયુર પારેખ 9327001207
શ્રી મનોજભાઈ પટેલ (સુરત)
9377708051


આપણા સંસ્કાર અને વારસાને જતનપૂર્વક આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના ઉમદા હેતુથી તૈયાર થયેલ પુસ્તક‘આપણા સંસ્કાર અને સંસ્થા...
27/04/2025

આપણા સંસ્કાર અને વારસાને જતનપૂર્વક આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના ઉમદા હેતુથી તૈયાર થયેલ પુસ્તક
‘આપણા સંસ્કાર અને સંસ્થાન’ નું લોકાર્પણ કાર્યક્રમ લાઇવ જોવા નીચે ની લિંક ક્લિક કરો

SNAPITO STUDIO

આભાર  Surat   Surat આપણા સંસ્કાર અને વારસાને જતનપૂર્વક આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના ઉમદા હેતુથી તૈયાર થયેલ પુસ્તક‘આપણ...
27/04/2025

આભાર
Surat
Surat

આપણા સંસ્કાર અને વારસાને જતનપૂર્વક આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના ઉમદા હેતુથી તૈયાર થયેલ પુસ્તક
‘આપણા સંસ્કાર અને સંસ્થાન’ નું લોકાર્પણ કાર્યક્રમ
ખાસ આકર્ષણ - મનોરંજન સાથે મનોમંથન
રીધમ ઓફ દમણિયા - દમણિયા સોની જ્ઞાતિના પ્રોફેશનલ કલાકારો દ્વારા મનોરંજન કાર્યક્રમ
See less

25/04/2025

આપણા સંસ્કાર અને વારસાને જતનપૂર્વક આવનારી પેઢીઓ સુધી સાચવી રાખવાના ઉમદા હેતુથી તૈયાર થયેલ પુસ્તક
‘આપણા સંસ્કાર અને સંસ્થાન’ નું લોકાર્પણ કાર્યક્રમ
ખાસ આકર્ષણ - મનોરંજન સાથે મનોમંથન
રીધમ ઓફ દમણિયા - દમણિયા સોની જ્ઞાતિના પ્રોફેશનલ કલાકારો દ્વારા મનોરંજન કાર્યક્રમ
See less

21/04/2025

આપની આતુરતાનો અંત...
ફરી ઍકવાર સમસ્ત સમાજને ભેગા મળવાનો આનંદમય અવસર...

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Hemrashmi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share