14/05/2026
છત્રપતિ સંભાજી મહારાજ જયંતિ
મરાઠા સામ્રાજ્યના પરાક્રમી યોદ્ધા અને છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર, છત્રપતિ સંભાજી મહારાજની જન્મજયંતિ દર વર્ષે 14 મેના રોજ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 14 મે 1657ના રોજ પુણે જિલ્લાના પુરંદર કિલ્લામાં થયો હતો.
બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર સંભાજી મહારાજ માત્ર 15 વર્ષની ઉંમરે 13 ભાષાઓ જાણતા અને યુદ્ધકૌશલ્યમાં નિપુણ એવા સંભાજી મહારાજનો રાજ્યાભિષેક 16 જાન્યુઆરી 1681ના રોજ થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ તેઓ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ બન્યા હતા.
તેઓ રાજા હોવાની સાથેસાથે લેખક, વિચારક પણા હતા. તેમણે પોતાના જીવનકાળમાં ૨૧ યુદ્ધો લડ્યા અને તે બધામાં વિજય મેળવ્યો. દક્ષિણ ભારતમાં મુઘલ આક્રમણોને રોકવામાં સંભાજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. છત્રપતિ સંભાજી રાજે તેમની બહાદુરી અને વિદ્વતા માટે પ્રખ્યાત હતા.
છત્રપતિ સંભાજી મહારાજ જયંતિ પર, ચાલો આપણે બધા પ્રતિજ્ઞા લઈએ કે આપણે હંમેશા અન્યાય સામે ઉભા રહીશું!