19/10/2025
#પાટીદાર_ઇતિહાસ #શેર કરજો....
🚩 #રાણી_માણેકબાઇ
🚩
"૧૮૫૫માં પાટીદાર સ્ટેટ માંડલના રાણી માણેકબાઇ યુદ્ધે ચઢયાં હતાં"
પતિ જેઠા પટેલના ખુનનો બદલો લેવા માટે ગુજરાતના આ ઝાંસીનાં રાણી પુરુષના કપડા પહેરીને રણમેદાનમાં ઉતરતા. ૧૮૫૭માં માણેકબાઇના પુત્ર દેવુસિંહે બાજીરાવની પડખે રહી અંગ્રેજો સામે વિદ્વોહ કરેલો.
વિરમગામ અને પાટડીમાં પાટીદાર રાજાઓના રાજ હતા. પરંતુ માંડલ સ્ટેટમાં તો પાટીદાર મહિલા માણેકબાઇનું પણ રાજ ચાલતું હતું. માણેકબાઇનું જીવન ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને મળતું આવે છે એની ભાગ્યેજ કોઇ લોકોને ખબર હશે. માણેકબાઇ પુરુષ વેશ ધારણ કરીને રણ મેદાનમાં જતા હતા. તે આક્રમણ કરવા જતા ત્યારે પુરુષોના કપડા પહેરીને આગળની હરોળમાં જ રહેતી હતી. માણેકબાઇ એક વિરાંગના હતી. આથી તે આક્રમણ ખોરો સામે રણચંડી બની જતી હતી. માણેકબાઇના પતિ જેઠા પટેલની છેક કાઠિયાવાડ સુધી હાંક વાગતી.
માણેકબાઇના પતિ જેઠાભાઇ પાટીદાર કુશળ રાજકારણી અને લડવૈયા હતા. તે વખતે અમદાવાદને રાઘોબા નામના મરાઠાએ ઘેરો ઘાલ્યો હતો. રાઘોબાએ મદદ માટે પાટીદારોને અમદાવાદ તેડાવીને અમદાવાદના સૂબા બાબી જવામર્દખાનને બાંધછોડ કરવા સમજાવ્યો હતો. આથી ખૂશ થયેલા પેશ્વા સરદારે જેઠાભાઇને માંડલની જાગીર સોંપી હતી. જેઠા પટેલ એટલો બહાદૂર હતો કે તેની છેક કાઠિયાવાડ સુધી હાંક વાગતી હતી. મરાઠાઓની ખૂૂબજ નજીક હોવાથી તેમનું કાસળ કાઢી નાખવા રજવાડાના માણસો ફરતા હતા. હળવદમાં મુલ્કગીરી પેટે બે લાખ રૂપિયા ચડી ગયા હોવાથી જેઠા પટેલે જઇને ધમકી આપી કે કર ચૂકવો નહીંતર ગામ બાળીને જોર જુલમ વડે લઇ જઇશ. હળવદમાં કુપાજીને ભાઇ કહીને બોલાવતી એક મહિલાએ જયાં સુધી આ જેઠો પટેલ મરશે નહી ત્યાં સુધી મને જપવા દેશે નથી. એવી ફરીયાદ કરતા કુપાજીએ છરીયાળ ગામનું તોરણ બાંધી રહેલા જેઠા પટેલને લાગ જોઇને મારી નાખ્યા હતા.
રાણી માણેકબાઇ પુરૃષના કપડા પહેરીને રણમેદાનમાં ઉતરી પતિ જેઠાભાઇનું દગાથી ખુન કરનાર પનારના કુપાજી ઠાકોરને તેના ગામમાં જઇને માર્યો હતો. માણેકબાઇ ખૂબજ ધૈર્યવાન સ્ત્રી હતી. માંડલનો વહિવટ તેના બાળપુત્રના નામે ચલાવ્યો હતો. માંડલના લોકો આજે પણ માણેકબાઇને બુદ્ધિશાળી,રાજકુશળ,વ્યહવાર દક્ષ અને પતિવ્રતા નારી તરીકે યાદ કરે છે. તેની યાદમાં આજે પણ માંડલમાં માણેકબાઇ દરવાજો જોવા મળે છે.
માણેકબાઇનો પુત્ર દેવુંસિંહે મોટા થઇને માંડલની ગાદી સંભાળી હતી. તેણે ઇસ ૧૮૫૭માં દેવુસિહે બાજીરાવની પડખે રહીને અંગ્રેજો સામે વિદ્વોહ કર્યો હતો. અંગ્રેજોના જોરદાર આક્રમણમાં બાજીરાવ બીજો પકડાઇ ગયા અને તેમને બચાવવા જતા માણેકબાઇનો પાટીદાર પુત્ર વીરગતિને પામ્યો હતો. માણેકબાઇ જયાં સુધી જીવી ત્યાં સુધી તેણે મુસ્લિમ, મરાઠા તથા લૂટારુ ટોળીઓના હુમલાઓનો સામનો કરીને પરાસ્ત કર્યા હતા. આ પાટીદાર મહિલાએ માંડલના ધ્વજને કયારેય નમવા દિધો ન હતો.
માંડલ સ્ટેટમાં પાટીદારો આ રીતે રાજા બન્યા હતા ભાવસિંહજી ૧૭૫૩માં ગુજરી ગયા‚ પછી નભુભાઇ સત્તા પર આવ્યા. પરંતુ તેઓ ખૂબ નાના હોવાથી પાટીદાર ભૂખણદાસ અને જેઠાભાઇ વહિવટ સંભાળતા હતા. પરંતુ તેમાં તેમને વિસારે પાડી દેવામાં આવ્યા હતા. ઇસ ૧૭૪૧માં દામાજી ગાયકવાડના સરદાર રંગોજી સાથેના કોલ કરાર મુજબ પાટડીના ૨૦ ગામો ભાવસિંહજીના તાબામાં રહયા. તેમાં માંડલનો પણ સમાવેશ થતો હતો‚ અને તે દેસાઇ ભાવસિંહજીએ પોતાના ભાઇ વેણીદાસને જીવાઇમાં આપ્યા હતા. આથી વેણીદાસે પાકા પથ્થરના મજબુત કિલ્લાઓ બંધાવ્યા હતા.
પાટીદાર ઉદયકર્ણજીનું દગાથી ખૂન કરનાર અલી ટાંકે તેની ટોળકી લઇ જઇને વિસાવડી ગામને લૂંટીને દસાડામાં મુકામ કર્યો હતો. આથી ભાવસિંહજી તથા વેણીદાસ દસાડા પર ચડાઇ કરીને અલી ટાંકને મારી નાખ્યો. એટલું જ નહી તેનું વેર લેવા માટે કમાલુદ્દીન માંડલના કિલ્લા પર ૭ હજારની ફોજ લઇને હુમલો કર્યો. પરંતુ દેસાઇ પાટીદારોએ તેને પણ ભગાડી મુકયો હતો.