23/05/2025
તા 22 મે 2025 ને ગુરુવાર ના રોજ શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ દ્વારા શ્રી કોટયર્ક પ્રભુજી મંદિર લેખડીયા શેરી સૈયદપુરા સુરત પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ દર્શન ત્થા ઓચ્છવ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ગૌર મહારાજ શ્રી ભરતભાઈ દવે
શ્રી નિતીનભાઈ શાહ, શ્રી અતુલભાઈ કાપડિયા, શ્રી પરેશભાઈ ગાંધી, શ્રી કેતન ભાઈ શાહ, શ્રી કમલેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા
સભા ની શરૂઆત શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના પ્રમુખ શ્રી રાકેશભાઈ અસારાવાલા એ સૌ ને આવકાર્ય હતા
ગૌર મહારાજ શ્રી ભરતભાઈ દવે દ્વારા પોતાના પ્રવચનમાં માં શ્રી કોટયર્ક પ્રભુજી મંદિર લેખડીયા શેરી સૈયદપુરા સુરત ના મંદિર ના પ્રચાર અને પ્રસાર વિશે જણાવ્યું હતું તેમજ કહ્યું હતું કે શ્રી કોટયર્ક પ્રભુજી આપના સૌના પિતા કહેવાય તેમ પણ જણાવ્યું હતું
શ્રી નિતીન ભાઈ શાહ એ સમસ્ત ખડાયતા દ્વારા વાડી માટે નવી જગ્યા લેવા મા આવનાર છે તેના વિશે વિસ્તૃત માહિતી શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના સભ્યો ને આપી હતી.
શ્રી અતુલ ભાઈ કાપડિયા ત્થા શ્રી પરેશ ભાઈ ગાંધી એ પણ આ બાબતે સભ્યો ને જણાવ્યું હતું ત્થા તેમનું માર્ગદર્શન માગ્યું હતું.
અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના પ્રમુખ શ્રી રાકેશભાઈ અસારાવાલા ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ મહેતા ટ્રસ્ટી શ્રી રવિનભાઈ અસારાવાલા અને તમામ શ્રી અમદાવાદી વિસા ખડાયતા વણિક જ્ઞાાતિ ના સભ્યો એ સમસ્ત ખડાયતા દ્વારા વાડી માટે લેવામાં આવનાર જગ્યા માટે શ્રી નિતીન ભાઈ શાહ ની ટીમ ને તન મન અને ધન થી અમે તમારી સાથે છે તેવી સૌ જ્ઞાાતિજનો એ સંમતિ આપી હતી
અંત મા ટ્રસ્ટી શ્રી પ્રણવ ભાઈ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી