Gujarat Jan Adhikar Manch

Gujarat Jan Adhikar Manch Whatsapp No.: 8460071991

લોકોના સ્વાસ્થ્ય,શિક્ષણ,બેરોજગારી,કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,ખેડૂતો તેમજ યુવાનોના પ્રશ્નોને લઈને લડતું એકમાત્ર મંચ..
સંપર્ક:
Whatsapp Group No: 8460071991
Email :[email protected]
Twitter :

ગુજરાત જન અધિકાર મંચ સંગઠનના સંસ્થાપક પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી પ્રવિણભાઈ રામને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ  જન અધિકાર મં...
30/12/2025

ગુજરાત જન અધિકાર મંચ સંગઠનના સંસ્થાપક પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી પ્રવિણભાઈ રામને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ
જન અધિકાર મંચ સંગઠનના નેજા હેઠળ પ્રવિણભાઈ રામના નેતૃત્વમાં ગુજરાતભરમાં અનેક કર્મચારીઓ, આશાવર્કર બહેનો,કોન્ટ્રાક્ટ કર્મીઓ, ખેડુતો, યુવાનો,પીડિતો ના મુદ્દે ગાંધીચીંધ્યા માર્ગે લડતો કરી છે અને સચોટ મુદાઓ પર લડત લડી પરિણામ અપવનાર સફળ આંદોલનકારી જીવ શ્રી પ્રવિણભાઈ ને જન્મદિનની શુભકામનાઓ!!
ઈશ્વર આપને ખૂબ લાબું લડવાની શક્તિ આપે તેમજ દરેક સમાજને મદદરૂપ બનાવે એજ જન્મદિન પર શુભેચ્છાઓ!!!
- જન અધિકાર મંચ સંગઠન ગુજરાત.
Pravin Ram Pravin Ram Pravin Ram Fan Club

30/12/2025

Thanks

30/12/2025

🙏

18/11/2025

11 વર્ષની છોકરીની છેડતી કરીને પણ શિક્ષકની ધરપકડ નથી થતી. ભાજપ સાથે ઘરોબો હોય તો તમને કંઇ નહીં થાય.
Subodh Kumud

12/09/2025
12/09/2025
15/08/2025

યુવાનો અને જાગૃત નાગરિકોને 15 ઓગસ્ટનો સંદેશ
15 ઓગસ્ટના રોજ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો થયો પરંતુ ભ્રષ્ટાચાર, હિટલરશાહી જેવા શાસનથી દેશને આઝાદ કરાવવા તમામ જાગૃત લોકોએ આંખે થવું પડશે

પ્રવીણ રામ
આમ આદમી પાર્ટી

08/06/2025

ઇકોઝોનને વિસ્તારમાં આવતા અટકાવવા વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપને અટકાવવી જરૂરી એવું પ્રવીણ રામે શું કહ્યું ??

#વિસાવદરપેટાચૂટણી

08/06/2025

વિસાવદરમાં ભાજપમાં મોટાપાયે ડખા છે એવું પ્રવીણ રામે શું કામ કહ્યું ??

08/06/2025

વિસાવદર પેટા ચૂંટણીમાં આપનેતા પ્રવીણ રામ અને રાજુભાઈ કરપડા ના ગામડાઓમાં લોકો દ્વારા સામૈયા

04/10/2024

🌞ઇકોઝોન લડત માટે ખાસ મહત્વનું🌞
ઇકોઝોનની વિરુદ્ધમાં 2 ઓક્ટોબરથી શરૂ થયેલા અભિયાનને હજુ વધારે સફળ બનાવવા અને કાળા કાયદાને રોકવા માટે નીચેના મહત્વના ત્રણ મુદ્દા પર આજથી જ કામે લાગી જવું પડશે

🌞પ્રથમ મુદ્દો🌞

1) વ્યક્તિગત વાંધા અરજીઓ :-
આ કાળા કાયદાને રોકવા માટે તમારા ગામના એક એક વ્યક્તિની વાંધા અરજી મેઈલ દ્વારા ફરજિયાત જવી જોઈએ, લોકો કોઈ સ્વંયભૂ મેઈલ નહિ કરે પરંતુ એમના માટે આપણે બબ્બે વ્યક્તિની યુવાનોની 5 થી 10 ટીમ બનાવીને ગામમાં દરેક ઘરે જઈ જઈને એ ઘરમાં જેટલા એન્ડ્રોઇડ મોબાઈલ હોય એટલા મોબાઈલમાં gmail ના હોય તો gmail એકાઉન્ટ ઓપન કરીને મેઈલ કરાવો ,મેઈલ કર્યા બાદ થયેલા મેઇલનો સ્ક્રીનશોટ લઈને એ સ્ક્રીનશોટ તમારા ફોનમાં ખાસ લઈ લો અને આખા ગામના ભેગા થયેલા સ્ક્રીનશોટ pdf ફાઈલ સ્વરૂપે મારા સુધી પહોચાડો કારણકે ભવિષ્યમાં કેટલી વ્યક્તિગત વાંધા અરજી થઈ એ કોઈ જગ્યાએ પ્રૂફ તરીકે બતાવવું હોય તો બતાવી શકીએ

👉 નીચે મુજબના ડ્રાફ્ટ મુજબ [email protected] પર મેઈલ કરાવો
.......................................................................................

વિષય :- કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગીર વિસ્તાર માટે ઇકોઝોન મુદ્દે 18/9/2024 ના રોજ જાહેર થયેલ ગેજેટનો સખત વાંધો દર્શાવવા બાબત

કેન્દ્ર સરકાર દ્વારા ઇકોઝોન મુદ્દે તા.18/9/2024 ના રોજ જાહેર કરવામાં આવેલા ગેજેટમાં મારા વિસ્તારનો સમાવેશ થાય છે ત્યારે આ ગેજેટ સામે હું સખત વાંધો દર્શાવું છું અને આ ગેજેટને રદ કરવાની માંગણી કરું છું કારણકે

1) આ ગેજેટ મારી પ્રાદેશિક ભાષામાં નથી એટલે આ ગેજેટને સંપૂર્ણ રીતે સમજવા માટે હું અસમર્થ છું

૨) આ ગેજેટ લાવતા પહેલા ક્યારેય સ્થાનિક પરિસ્થીતિ સમજવાનો અને અમને સાંભળવાનો પ્રયત્ન થયેલ નથી

૩) આ ગેજેટમાં ઇકોઝોનની હદરેખા અને ઇકોઝોનના અંતરને લઈને અનેક વિસંગતતાઓ છે

૪) આ ગેજેટનાં અમલીકરણથી લોકોની ફોરેસ્ટ વિભાગ તથા અન્ય વિભાગો સાથેની વહીવટી પ્રક્રિયા ખુબ જટિલ અને ખર્ચાળ બનશે

૫) આ સિવાય આ ગેજેટ અમારા વિસ્તારના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ બને એમ છે

6) આ ગેજેટના અમલીકરણથી લોકોની રોજગારી તેમજ લોકોના બંધારણીય મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે એમ છે

7) આ ગેજેટના અમલિકરણથી જંગલ, વન્યજીવો અને સોસાયટી ઉપર ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઇ શકે એમ છે કારણકે હાલ ગીરની આજુબાજુના સ્થાનિક લોકોને ટુરિઝમના કારણે એમની ક્ષમતા મુજબ રોજગારી મળી રહે છે એટલા માટે સ્થાનિક લોકો જંગલમાં અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ તરફ જોડાતા નથી, તેમજ જંગલ,સિંહ કે અન્ય વન્યજીવોને પણ નુકસાન કરતા નથી કારણકે એમને ખબર છે કે પ્રકૃતિ અને સિંહના કારણે જ એમને ટુરિઝમમાં રોજગારી મળી રહી છે પરંતુ જો આ ગેજેટનું અમલીકરણ થાય તો સ્થાનિક લોકો મોટાપાયે બેરોજગાર બનશે અને ત્યારે જો બેરોજગાર લોકો જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા વ્યસન તરફ આગળ વધે તો જંગલ, પ્રકૃતિ,વન્યજીવ અને સોસાયટી માટે મોટો ખતરો બની શકે એવો ડર છે ત્યારે આ બાબતને ખુબ ગંભીરતાથી વિચારી આ ગેજેટ રદ કરવું જોઈએ
........................................................................................

🌞બીજો મુદ્દો🌞

ઇકોઝોનમાં આવતા તમામ 196 ગામોની નવરાત્રીમાં *ઇકોઝોન નાબૂદ કરો* એવા A4 સાઈઝ ના પોસ્ટર સાથે ગરબા રમતા હોય એવા અથવા *અબેમાં ઇકોઝોન નાબૂદ કરવા માટે સરકારને સદ્બુદ્ધિ આપો* આવા બેનર સાથે આરતી કરતા હોય એવા 1 મિનિટમાં વીડિયો તેમજ ફોટા તમારા વિસ્તારના મીડિયા સુધી અને મારા સુધી ખાસ પહોચાડો તેમજ સોશીયલ મીડિયામાં વધારેમાં વધારે સ્પ્રેડ કરો

🌞ત્રીજો મુદ્દો🌞

અત્યાર સુધીમાં ઘણા બધા ગામડામાં ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ થઈ ગયા છે પરંતુ હજુ પણ તમારા ગામમાં ઠરાવ ના થયો હોય તો સરપંચ સાથે વાત કરી ગ્રામસભા બોલાવી ઇકોઝોનની વિરુદ્ધમાં ઠરાવ કરાવડાવો, ઠરાવ માં ઉપર વ્યક્તિગત વાંધા અરજીમાં જે 7 વાંધાઓ લીધા છે એ મુજબના જ વાંધા પંચાયતના ઠરાવમાં લેવાના છે, ઠરાવો થઈ ગયા બાદ તમારા વિસ્તારના પંચાયતના ઠરાવો ભેગા કરી નીચે મુજબના સરનામે ફરજિયાત પોસ્ટ દ્વારા જ મોકલવા ( સરનામું :- પ્રવીણભાઈ ભોજાભાઈ રામ, મુ :- ઘૂંસિયા ગીર, તા :- તાલાલા ગીર, જી :- ગીર સોમનાથ, પિન નંબર :- 362150)

મિત્રો જો આ કાળા કાયદાને રદ કરવો હોય તો ઉપરના ત્રણેય મુદ્દાઓમાં આજથી જ કામે લાગી જજો કારણકે આપણી પાસે હવે માત્ર 45 દિવસો જ છે


આપના માટે કાયમી લડત લડનાર
પ્રવીણ રામ

परवाह ना करो तमाशे तो होते रहेंगे उम्र भर.......बस तुम ये ख्याल रखो की किरदार बेदाग रहे।
29/08/2024

परवाह ना करो तमाशे तो होते रहेंगे उम्र भर.......
बस तुम ये ख्याल रखो की किरदार बेदाग रहे।

Address

Talala-Veraval SH-26, Ghusiya Gir, Talala Gir
Somnath
362150

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 3pm

Telephone

8460071991

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Jan Adhikar Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Jan Adhikar Manch:

Share

Jan Jagruti Manch Trust Reg. No. : F/1231/GirSomnath

લોકોના સ્વાસ્થ્ય,શિક્ષણ,બેરોજગારી,કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,ખેડૂતો તેમજ યુવાનોના પ્રશ્નોને લઈને લડતું એકમાત્ર મંચ..

સંપર્ક:

Whatsapp Group No: 8460071991

Telegram Channal: https://t.me/jamgujarat