10/03/2026
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આદિવાસી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ, આરોગ્ય, ન્યાય, ખેતીવાડી, પશુપાલન, વ્યવસાય, સ્કાઉટ, સેવાના વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ જેમને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું. આદિવાસી સમાજમાં મહિલાઓનું સ્થાન, સમસ્યાઓ અને નિવારણ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ જાગૃતિબેન સુવેરા - નાયબ કુલસચિવ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર આણંદ, ડૉ સુરભીબેન નિનામા – બોટની, ડૉ દિપીકાબેન ઢુસા - સાયકોલોજી પ્રો. કે. આર. આર્ટસ કોલેજ શામળાજી. ડૉ પલક ફેરા- ફિઝિયોથેરાપીસ્ટ, ડૉ હીનાબેન કલાસવા, સોનલબેન ડામોર - ભારત સ્કાઉટ રેંજર કમિશનર, તારાબેન સુવેરા – ચેરમેન - મેશ્વો મહિલા પ્રો. કં લિ. સુર્યાબેન કટારા - સીઇઓ મેશ્વો મહિલા ફાર્મર, ગૌરીબેન બરંડા- એડવોકેટ, ભાગ્યશ્રી ગામેતી, અલકા નિનામા, સંગીતાબેન પાંડોર, સિતાબેન નાડા – ડાયરેક્ટર- મેશ્વો ફાર્મર, મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. સિધ્ધરાજ સોલંકી, ડૉ અમિત અસારી, ડૉ ઘનશ્યામ ફેરા, શ્રી બિપિનચંદ્ર નિનામા - રીટા. ડેપ્યુટી ડાયરેક્ટર ( શિક્ષણ) શ્રી મેણાત સાહેબ, શ્રી બદાજી નીનામા- સિનિયર ટેકનિશિયન, શ્રી જ્યોતિષ બરંડા – એડવોકેટ, શ્રી મહેન્દ્રભાઈ કટારા - રીટા. મેનેજર યુજીવીસીએલ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમનું આયોજન ટાફે જે ફાર્મ સર્વિસિસ,મેશ્વો મહિલા ફાર્મર પ્રો. કંપની લિ.- મેશ્વો ફાર્મર પ્રો. કંપની લિ. શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ, અદ્વિકા ફાઉન્ડેશન, નાબાર્ડ અને છાંયડો દ્વારા કરવામાં આવ્યું હતું.
છાંયડોના પ્રમુખશ્રી આયુષ મહેતા, શ્રી રાયમલભાઈ પગી, શ્રી નરેશ ડામોર, શ્રી ધ્રુવ ભગોરા, શ્રી હિન્દીપ નિનામા અને શ્રી કનુભાઈ નાડા, શ્રી હરદીપસિંહ ઝાલા, શ્રી શક્તિસિંહ, અને શ્રી મલય પટેલ અબાલ વૃદ્ધ સૌના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાંયડો ના સંસ્થાપક અને મેશ્વો ફાર્મર ના ચેરમેન શ્રી નરેશ કટારા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿