Chhaydo Seva Trust

Chhaydo Seva Trust Save Trees, Plant More Trees
Tribal Area Child Education, Employment, Art, Cultural Activities, Festi

ગ્રામીણ યુવક યુવતીઓ અને મહિલાઓની રોજગાર માટે તાલીમ કાર્યક્રમ છાંયડો ની પહેલ 👌
09/05/2026

ગ્રામીણ યુવક યુવતીઓ અને મહિલાઓની રોજગાર માટે તાલીમ કાર્યક્રમ છાંયડો ની પહેલ 👌

Nikhil Bhagora અને ધ્રુવ ભગોરા અમારા  મિત્ર છે. તેમના પિતા શ્રીના અવસાન પછી પુણ્યતિથિના પાવન અવસરે તેમણે નેત્રમણી કેમ્પન...
03/05/2026

Nikhil Bhagora અને ધ્રુવ ભગોરા અમારા મિત્ર છે. તેમના પિતા શ્રીના અવસાન પછી પુણ્યતિથિના પાવન અવસરે તેમણે નેત્રમણી કેમ્પનું આયોજન કરીને સમાજ સામે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ કાર્ય દ્વારા તેમણે સાબિત કર્યું કે “સેવા જ સર્વસ્વ છે” — અને સાચી શ્રદ્ધાંજલિ એ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ સમાજ માટે કરેલા સકારાત્મક કાર્યમાં છે.
તેમનો આ પ્રયત્ન અનેક લોકોને સેવા માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે.

ભાટકોટા મેઘરજ મુકામે.
અને ઇરાદા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા "નેત્રમણી" નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જે નિમિતે જનજાતિ કલ્યાણ આશ્રમના ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને નિવૃત્ત D.F.O શ્રી આર.એસ સુવેરા સાહેબ, જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રાંતના પૂર્વ સંગઠન મહામંત્રી અને વર્તમાનમાં સંગઠનના વાલી નરેન્દ્રભાઈ પટેલ, નિવૃત D.F.O અને આદિવાસી સેવા સમાજ મોડાસાના પ્રમુખશ્રી ડી પી અસારી સાહેબ , ના પ્રમુખ આયુષભાઈ મહેતા ,પૂર્વ તાલુકા સદસ્યશ્રી અને વર્તમાનમાં છાંયડોના ટ્રસ્ટી મિત્ર નરેશભાઈ ડામોર ,પૂર્વ નેશનલ ખેલાડી ગુજરાત સ્ટેટ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ચેમ્પિયન ડી પી એડ શ્રી એવા નાનજીભાઈ ભગોરા સાહેબ ભાટકોટા દૂધ ઉત્પાદક ડેરીના મંત્રી એવા ગોવિંદભાઈ ભગોરા સહિત વિવિધ લોકોએ સહકાર આપી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. Total OPD : 95 ,Referred for Surgery:14 on 05 May 2026

Thank You .

Jalaram Hospital Meghraj
IRADA Foundation Ahmedabad
Chhaydo Seva Trust Shamlaji.

શ્રદ્ધાંજલિ🙏🙏

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿શામળાજી ખાતે સોલર ડ્રાયર નું ઉદઘાટન કરવામાં આવ્યું.સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન દ...
21/04/2026

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

શામળાજી ખાતે સોલર ડ્રાયર નું ઉદઘાટન કરવામાં આવ્યું.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત એફપીઓ અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ની આજીવીકા હેતુ મસાલા, પાપડ, અથાણાં, શાકભાજી અને ફળોની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી રોજગારી મેળવી શકશે.

આ પ્રસંગે ઉદઘાટક શ્રી 1008 મહામંડલેશ્વરદાસજી મહંતશ્રી હરિકિશોર દાસજી મહારાજ ના વરદ હસ્તે સોલર ડ્રાયરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ અવસરે સહયોગી સંસ્થાઓ કે. આર. કટારા આર્ટ્સ કોલેજ શામળાજીના પ્રિન્સિપાલ શ્રી અજયભાઈ પટેલ, વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર પ્રદીપભાઈ દૈયા, શામળિયા ફેડરેશનના પ્રમુખ શ્રી ડાહીબેન કટારા, અરવલ્લી આદિવાસી મહિલા ગૃહ ઉદ્યોગ ના ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ કટારા, સંધ્યાબેન પાંડોર, મેશ્વો ફાર્મર એફપીઓ ના ચેરમેન શ્રી નરેશ કટારા, છાંયડો ના પ્રમુખ શ્રી આયુષ મહેતા, મેશ્વો ફાર્મર ના ડાયરેકટર શ્રી નયનાબેન ભગોરા, સુંદરલાલ ડુંડ, ભાગ્યશ્રી ગામેતી, સીઈઓ રાયમલભાઈ પગી, મેશ્વો મહિલા સીઈઓ સુર્યાબેન કટારા, સમાજસેવક શ્રી નરેશભાઈ ડામોર તથા સભાસદ આદિવાસી મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહેમાન શ્રી પંકજભાઈ સોલંકી અને નેહાબેન ચૌધરી- નર્મદા બિલ્ડ કેર, સુરત હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

🪷☘️છાંયડો☘️🪷

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿છાંયડોએ બાળકો સાથે "વિશ્વ ચકલી દિવસની"  ઉજવણી કરી.સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે 20 માર્ચના રોજ " વર્લ્ડ સ્પ...
21/03/2026

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

છાંયડોએ બાળકો સાથે "વિશ્વ ચકલી દિવસની" ઉજવણી કરી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે 20 માર્ચના રોજ " વર્લ્ડ સ્પેરો ડે " નિમિત્તે અરવલ્લી જિલ્લાની શામળાજી બીટ કેન્દ્ર પ્રાથમિક શાળા નં - ૧ ખાતે છાંયડો સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલી અને અન્ય નાનાં પક્ષીઓના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ચકલીના ઘટતા પ્રમાણ અંગે માહિતી આપવામાં આવી અને તેના સંરક્ષણ માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ અવસરે ગામમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ, જેમાં ચકલી માટે દાણા અને પાણીના કૂંડા મૂકવા, ઘોસલા બાંધવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો. બાળકો અને યુવાનોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવા અને ચકલીના સંરક્ષણમાં પોતાનો ફાળો આપવા પ્રેરિત કરવામાં આવ્યા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત લોકોએ ચકલી તથા પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લીધો. આ ઉજવણી દ્વારા પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે ડી. ડી. એમ. નાબાર્ડ શ્રી મનોજ હરચંદાની, માનવ ઉત્થાન ટ્રસ્ટ ના ડાયરેકટર શ્રી અમરસિંહ ચૌહાણ, છાંયડો ના સંસ્થાપક શ્રી નરેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા.

મેશ્વો ફાર્મર ના ડાયરેકટર શ્રી અલકા બેન નીનામા, નયનાબેન ભગોરા, સુંદરલાલ ડુંડ, કનુભાઈ નાડા અને છાંયડો ના પ્રમુખશ્રી આયુષ મહેતા, સમાજસેવક નરેશ ડામોર, નિખિલ ભગોરા, ધ્રુવ ભગોરા, હરદીપસિંહ ઝાલા, મેશ્વો સીઈઓ રાયમલભાઈ પગી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રી શામળાજી બીટ કેન્દ્ર પ્રાથમિક શાળા નં - ૧ ના આચાર્ય શ્રી જગદીશ કુમાર બારોટ, શિક્ષક સ્ટાફ હસુબેન કટારા, સુમિત્રાબેન કટારા, આરતીબેન પટેલ, વૈશાલીબેન ગામેતી, દિવ્યાબેન વણકર અને શાળાના બાળકોએ ખુબ સુંદર બાળગીત રજૂ કરી ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને કાર્યક્રમ અંતે જગત કિનખાબ - સ્પેરો મેન ના સહયોગ થી ચક્લી ઘર નું વિતરણ કરવામાં આવ્યું. અબાલ વૃધ્ધ સૌના સહયોગ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿




🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી                                 ...
10/03/2026

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આદિવાસી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ, આરોગ્ય, ન્યાય, ખેતીવાડી, પશુપાલન, વ્યવસાય, સ્કાઉટ, સેવાના વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ જેમને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું. આદિવાસી સમાજમાં મહિલાઓનું સ્થાન, સમસ્યાઓ અને નિવારણ અંગે પણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમના અધ્યક્ષ ડૉ જાગૃતિબેન સુવેરા - નાયબ કુલસચિવ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર આણંદ, ડૉ સુરભીબેન નિનામા – બોટની, ડૉ દિપીકાબેન ઢુસા - સાયકોલોજી પ્રો. કે. આર. આર્ટસ કોલેજ શામળાજી. ડૉ પલક ફેરા- ફિઝિયોથેરાપીસ્ટ, ડૉ હીનાબેન કલાસવા, સોનલબેન ડામોર - ભારત સ્કાઉટ રેંજર કમિશનર, તારાબેન સુવેરા – ચેરમેન - મેશ્વો મહિલા પ્રો. કં લિ. સુર્યાબેન કટારા - સીઇઓ મેશ્વો મહિલા ફાર્મર, ગૌરીબેન બરંડા- એડવોકેટ, ભાગ્યશ્રી ગામેતી, અલકા નિનામા, સંગીતાબેન પાંડોર, સિતાબેન નાડા – ડાયરેક્ટર- મેશ્વો ફાર્મર, મહિલા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. સિધ્ધરાજ સોલંકી, ડૉ અમિત અસારી, ડૉ ઘનશ્યામ ફેરા, શ્રી બિપિનચંદ્ર નિનામા - રીટા. ડેપ્યુટી ડાયરેક્ટર ( શિક્ષણ) શ્રી મેણાત સાહેબ, શ્રી બદાજી નીનામા- સિનિયર ટેકનિશિયન, શ્રી જ્યોતિષ બરંડા – એડવોકેટ, શ્રી મહેન્દ્રભાઈ કટારા - રીટા. મેનેજર યુજીવીસીએલ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમનું આયોજન ટાફે જે ફાર્મ સર્વિસિસ,મેશ્વો મહિલા ફાર્મર પ્રો. કંપની લિ.- મેશ્વો ફાર્મર પ્રો. કંપની લિ. શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ, અદ્વિકા ફાઉન્ડેશન, નાબાર્ડ અને છાંયડો દ્વારા કરવામાં આવ્યું હતું.
છાંયડોના પ્રમુખશ્રી આયુષ મહેતા, શ્રી રાયમલભાઈ પગી, શ્રી નરેશ ડામોર, શ્રી ધ્રુવ ભગોરા, શ્રી હિન્દીપ નિનામા અને શ્રી કનુભાઈ નાડા, શ્રી હરદીપસિંહ ઝાલા, શ્રી શક્તિસિંહ, અને શ્રી મલય પટેલ અબાલ વૃદ્ધ સૌના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન છાંયડો ના સંસ્થાપક અને મેશ્વો ફાર્મર ના ચેરમેન શ્રી નરેશ કટારા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

We welcome you all..🪷☘️🙏
07/03/2026

We welcome you all..🪷☘️🙏

01/03/2026

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

ડો. ગોવિંદસિંહ મીનાંમા આદિવાસી આશ્રમશાળા - નવા ભેટાલી

Bharat Scouts and Guides ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ કમિશ્નરશ્રી મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નડિયાદથી ૧૦૦ સિનિયર સિટીઝન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક -સાંસ્કૃતિક પ્રવાસે આવ્યા હતા.
Sanskar Gurjari Trust ના પ્રમુખ શ્રી અતુલભાઈ દીક્ષિત, ઉપપ્રમુખ શ્રી સનત પંડયા (મસ્કત), ટ્રસ્ટના વાલી શ્રી મુકુંદરાય દીક્ષિત, કૌશલબેન પંડયા તેમજ સ્કાઉટર વડીલ શ્રી નાનજીભાઈ ડામોર, સ્કાઉટરશ્રી મહેન્દ્ર કટારા, બુલબુલ કેપ્ટન કલ્પનાબેન અને રોવર લીડર સંજય રાવલ દ્વારા વડીલોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું.
વડીલોને જુના ભવનાથ ખાતે ભૃગુઋષિ, ચવન ઋષિ તથા ભગવાન શિવના દર્શન કરાવવામાં આવ્યા. નવા ભેટાલી સ્થિત ડો. ગોવિંદસિંહ મીનાંમા આદિવાસી આશ્રમશાળામાં ડૉ. સિદ્ધરાજભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.
આચાર્ય શ્રીમતી કૈલાસબેન બરંડા, રેન્જર કમિશ્નર સોનલ ડામોર, સ્કાઉટર રસિકભાઈ પારગી, પુનાજી કટારા, પારસિંગભાઈ કટારા, દાનિયલભાઈ ડામોર, દક્ષાબેન અને નિશાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આશ્રમશાળાની બાળાઓ દ્વારા આદિવાસી નૃત્ય અને સ્વાગત ગીત રજૂ કરી સૌનું મન મુકત કર્યું.
અંતમાં શાલ ઓઢાડી વડીલોનું સન્માન કરી કાર્યક્રમ પૂર્ણ થયો.
છાંયડો ના પ્રમુખશ્રી આયુષ મહેતા અને સામાજીક કાર્યકર શ્રી નરેશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ વધાર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન નરેશ કટારા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

28/02/2026

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

મહાદેવગ્રામ પ્રા શાળા અને રાજપુર ખાતે મેશ્વો ફાર્મર દ્વારા સ્વદેશી બનાવટો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

શ્રી કે. આર. કટારા આર્ટ્સ કોલેજ શામળાજીનો NSS કેમ્પ પ્રોફેસર શ્રી પંડ્યા સાહેબ અને પ્રોફેસર જાગૃતિ બેન પટેલના માગૅદશૅન હેઠળ કોલેજના વિદ્યાર્થીઓ રાજપુર અને મહાદેવગ્રામ ખાતે ગ્રામ વિકાસ ને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

મહાદેવ ગ્રામ પ્રા. શાળા અને રાજપુર ખાતે વિવિધ પ્રવૃત્તિઓ હેતુ છાંયડો અને મેશ્વો ફાર્મર ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
મહાદેવ પ્રાથમિક શાળા માં અમોએ વનસ્પતિમાંથી વિવિધ પ્રકારની સ્વદેશી પ્રોડક્ટ બનાવવાનું અને ગ્રામીણ રોજગાર પર માર્ગદર્શન આપ્યું. કેસુડામાંથી સાબુ, લીમડાનો સાબુ, બકરીના દૂધનો સાબુ, મહુડા ના લાડુ, આદુ સૂંઠ અને હળદર પાવડર વિગેરે સ્વદેશી બનાવટો પ્રદર્શિત કરી અને પ્રોત્સાહન આપવા માટે માહિતી આપવામાં આવી.

રાજપુર ખાતે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિઘ વાનગીઓ મૂલ્યાંકન કરવાનો અવસર પ્રાપ્ત થયો. વાનગીઓ ને સ્વાદ અને તેના પ્રકાર નું મૂલ્યાંકન કરી નંબર આપ્યાં.

છાંયડો પ્રમુખ આયુષ મહેતા, મેશ્વો ડિરેક્ટર ભાગ્યશ્રી ગામેતી અને સંધ્યાબેન પાંડવ, બિપીન ભગોરા ઉપસ્થિત રહ્યા હતાં.

કે. આર.આર્ટ્સ કોલેજ શામળાજી પ્રો. પંડયા સાહેબ પ્રો. જાગૃતિબેન પટેલ અને NSS વિધાર્થીઓ.
મહાદેવ ગ્રામ પ્રાથમિક શાળા
રાજપુર ગ્રામજનો

સૌનો આભાર...

નરેશ કટારા
સંસ્થાપક/ચેરમેન
છાંયડો/મેશ્વો ફાર્મર

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Chhaydo 🌿

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸યાત્રાધામ શામળાજીમાં કલરવ સ્કૂલના બાળકોએ પ્રકૃતિ શિક્ષણ પ્રવાસ છાંયડો સાથે કર્યો. મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્...
28/02/2026

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

યાત્રાધામ શામળાજીમાં કલરવ સ્કૂલના બાળકોએ પ્રકૃતિ શિક્ષણ પ્રવાસ છાંયડો સાથે કર્યો.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી કાંતાબેન રતિલાલ શાહ કલરવ વિકાસ કેન્દ્ર, મોડાસા દ્વારા પ્રકૃતિ શિક્ષણ નો પ્રવાસ શામળાજી ખાતે છાંયડો ના માગૅદશૅન હેઠળ યોજવામાં આવ્યો.

આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન છાંયડો દ્વારા પ્રકૃતિ સંસ્કૃતી અને માનવતા લક્ષી માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું.

1. રાજા હરિશ્ચંદ્રની ચૌરી
2. નર્સરી - ફોરેસ્ટ વિભાગ
3. ટ્રેકિંગ - અરવલ્લી મહાકાળી મંદિર
4. મેશ્વો સરોવર
5. દેવ ની મોરી
6. નાગધરા કુંડ
7. શ્યામલ વન
8. મ્યુઝિયમ
9. શ્રી દેવ ગદાધર વિષ્ણું મંદિર
10. શ્રી રણછોડજી મંદિર ધર્મશાળા

પ્રકૃત્તિ શિક્ષણ : વનસ્પતિ વૃક્ષો ની ઓળખ તેના ફાયદાઓ પશુ પંખી અને વૃક્ષોને અન્ન જળ આપી પ્રકૃત્તિ નું સંરક્ષણ કરવું.

સંસ્કૃતી: પૌરાણિક કથાઓ, ઇતિહાસ, પુરાતત્વ, મંદિર શિલ્પ સ્થાપત્ય અને મેળાઓ, લોકકથાઓ, લોકગીત, નૃત્યો અને સાહિત્ય સાંસ્કૃતીક વારસો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યાં.

માનવતા: પ્રકૃતિ, સંસ્કૃતી ની સેવા કરવી એ આપણી નૈતિક ફરજ છે.
જીવન ના આદર્શ મૂલ્યોને જીવંત કરી સુરક્ષિત રાખવા એજ માનવતા

કલરવ કિશોર વિકાસ કેન્દ્રના આચાર્ય શ્રીમતી સેજલબેન ઠેકડી ના માર્ગદર્શન હેઠળ સાથે સ્ટાફ મિત્રો છાયાબેન , સોનલબેન, અલ્પેશભાઈ , પૃથ્વીરાજ સેવક બહેન રમીલાબેન અને મહિલા પોલીસ સાથે સુંદર પ્રકૃતિ પ્રવાસ માં જોડાયા હતા. સૌ બાળકોએ આનંદ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

છાંયડો ના સંસ્થાપક શ્રી નરેશ કટારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રમુખશ્રી આયુષ મહેતા,
બિપિન ભગોરા અને જય ડુંડ દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું.

છાંયડો

☘️🌸☘️🌸☘️🌸☘️🌸☘️

Address

3, Mevada Suthar Vadi, Opp. Prakash Yatri Nivas
Samlaji
383355

Alerts

Be the first to know and let us send you an email when Chhaydo Seva Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chhaydo Seva Trust:

Share