02/08/2023
*આત્મન યુવા ગ્રુપની શૈક્ષણિક રજુઆત*
📝📝✒️🖋️📚📗📒🖥️🖱️
*આત્મન યુવા ગ્રુપ દ્વારા ડૉ. આંબેડકર ભવન (દાસીજીવણપરા પાસે) પર સ્થિત પુસ્તકાલય અને વાંચનલય શરૂ કરવા માટે નાયબ નિયામકશ્રી ને રજુઆત કરવામાં આવી.*
ડૉ. આંબેડકર ભવન (દાસીજીવણપરા પાસે, અક્ષરમાર્ગ) ના નિર્માણ સમયે આ વિસ્તારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે હેતુથી ભવનના જ એક ભાગમાં પુસ્તકાલય અને વાંચન ખંડ બનાવવામાં આવેલ હતો જેમાં બહુમૂલ્ય પુસ્તકો રાખવામાં આવેલ છે તે પુસ્તકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સહાયક બની શકે તેમ છે પરંતુ કોઈ કારણસર આ લાઈબ્રેરી આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી જેને કારણે આ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પુસ્તકલયના લાભથી વંચિત રહેલ છે માટે આત્મન યુવા ગ્રુપના પ્રમુખ સુમેધ તથાગત, ઈશ્વરભાઈ વાણીયા, મહેન્દ્રભાઈ પરમાર અને મયુરભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે નાયબ નિયામકશ્રી અનુ.જાતિ સમાજ કલ્યાણ વિભાગ ને વહેલીતકે લાઈબ્રેરી અને વાંચનાલય વહેલીતકે શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.