03/05/2024
જય શ્રી રામ, હર હર મહાદેવ, વંદે માતરમ્, ઇન્કલાબ જિંદા બાદ, જય માં ઉમા ખોડલ.
હું ઉમાવંશી વાછાણી પરિવાર - ભારત, ના પ્રમુખને નાતે જાહેર કરુ છું કે સમસ્ત પાટીદાર સમાજના લોકો ક્ષત્રિય છે.
ઈતિહાસના અનુસંધાને સૂર્યનો દીકરો રવી, રવીનો દીકરો માનુઋષિ, માનુઋષિનો દીકરો કશ્યપઋષિ, કશ્યપઋષિનો દીકરો કુર્મીઋષિ, કુર્મીઋષિ માંથી અપભ્રંશ થઈ કુણબી બન્યા. અને કુણબી માંથી કણબી પટેલો બન્યા.
એક કણ માંથી કરોડો કણ પેદા કરે તે કણબી.
આનો મતલબ પાટીદાર સમાજ ક્ષત્રિય છે. વિશ્વમાં રહેતા તમામ પાટીદાર સમાજો ક્ષત્રિય છે. સૌરાષ્ટ્રમાં વસતા લેઉવા પટેલ, કડવા પટેલ, તેમજ ગુજરાતમાં વસતા અમીન, દેસાઈ, ચૌધરી પટેલ, તેમજ અન્ય ઘણા બધા લોકો પાટીદાર સમાજના છે તે ઈતિહાસ ના ચોપડે નોંધાયા છે. આપણાં પાટીદાર સમાજના રાજા વ્રજપાલસિંહજી હતા. તેને પણ અધર્મીઓ સાથે યુદ્ધ કરેલા હતા.
રાજકીય માણસો પોતાના રોટલા શેકવા માટે લેઉવા/કડવા નો વાદ કરે છે.
આપણા પાટીદાર સમાજનો ઈતિહાસ ટૂંકમાં જણાવું છું.
આપણા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના બે દીકરા લવ અને કુશ હતા, તે ઈતિહાસ બોલે છે. લવ માંથી લેઉવા પટેલની ઉત્પત્તિ થઈ અને કુશ માંથી કડવા પટેલની ઉત્પત્તિ થઈ. એનો અર્થ એવો થાય છે કે બન્ને ભાઇઓ હતા, છે, અને ભવિષ્યમાં રહેવાના છે. આનો મતલબ કે પાટીદારો પણ રઘુવંશી છે. હિન્દુસ્તાનમાં વસતા તમામ પાટીદારો રઘુવંશી છે.
મારી પાસે એક વર્ષો જૂનો ઈતિહાસ છે જેનું ટાઈટલ છે "કણબી ક્ષત્રિયની ઉત્પત્તિ અને તેનો ઇતિહાસ"
આપણા પાટીદાર સમાજના અગ્રણીઓને મારી ખાસ અંત:કરણની વિનંતી છે કે મગના બે ફાડીયા ના કરો (જેને લાગુ પડતું હોય તેને), જો મગના બે ફાડીયા થઈ ગયા તો ભવિષ્યમાં ભેગા કરવા મુશ્કેલ છે. તો મારી તમામ પાટીદાર સમાજના લોકોને વિનંતી છે કે મગના દાણાને આખો રહેવા દેજો. આવી મારી એક પાટીદારના દીકરા તરીકે, સેવક તરીકે, બે હાથ જોડીને આપણા પરિવારને પ્રાર્થના છે.
મારી જાણકારીમાં અનેક/ઘણીબધી અટક(સરનેમ) પાટીદાર સમાજની છે જે બંને પાટીદાર સમાજમાં આવે છે. આ અટક ઉપરથી હું જાણકાર હોવા છતા પણ નક્કી નથી કરી શકતો કે કોણ લેઉવા પટેલ અને કોણ કડવા પટેલ. કારણ કે ૯૦ થી ૯૫ % અટક કોમન/સરખી છે. તેનો અર્થ એવો થાય છે કે બંને પાટીદાર સમાજ એકજ છે. લોહીના ગુણધર્મ ઉપરથી કે અટક ઉપરથી નકકી કરવું મુશ્કેલ છે કે કોણ લેઉવા પટેલ અને કોણ કડવા પટેલ. ઉપરોક્ત તથ્યો ઉપરથી કહી શકાય કે આપણા પાટીદારના બંને સમાજના લોકો એકજ છે.
આપણા લોખંડી પુરુષ શ્રીમાન સરદાર વલ્લભભાઈ પટેલની બહુમતી હતી છતાં પણ તેને પીએમ શા માટે બનાવ્યા ન હતા આની પાછળ જવાહર નહેરુનો હાથ હતો. ઈતિહાસ લાંબો છે એટલે ટૂંકાવી લીધું છે.
આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે પીએમ તરીકેની માત્ર ૨૪ કલાક માટે સત્તા માંગી હતી. તે પણ જવાહર નહેરુને મંજૂર ન હતું. જો ફક્ત ૨૪ કલાક સરદાર સાહેબને પીએમ તરીકે સત્તા આપી હોત તો હિન્દુસ્તાનની શકલ આજ બીજી હોત.
શ્રીમાન નથુરામ ગોડસે કોણ હતા? તેનો ઈતિહાસ જાણવો હોય તો "મધ્યરાત્રિની સ્વતંત્રતા" (freedom of the midnight) નું પુસ્તક વાંચજો.
આપણા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ને સમસ્ત ભારતીયો (હિન્દુસ્તાનીઓ) વતી મારા જુગ જુગ સલામ.
વંદે માતરમ્ , જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદા બાદ, ભારત માતા કી જય.