23/04/2026
🙏આપનો નાનકડો એવો સહયોગ🙏
🤹બાળકોની ખુશીમાં નિમિત બનશે 😁
આ એવા બાળકો છે નિરાધાર, ઘરવિહોણા, અનાથ, મંદ બુદ્ધિના, કુપોષિત, અતિ ગરીબ અરે... ઘણા બાળકો ને પરિવારને મદદરૂપ બનવા ભંગાર, પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિક વીણવા જવું પડે છે, છતાં.. આવા બાળકોને બંને ટાઈમ પેટ ભરીને ભોજન ની ચિંતા હોય છે
માનવ ધર્મ સંસ્થા રાજકોટ ( 97227 27273 ) છેલ્લા સાત વર્ષથી આવા લગભગ 100 થી વધુ બાળકોને સંસ્થામાં બનેલું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન કરાવવાનું કાર્ય કરી રહી છે
👉 આપનો માત્ર 200 રૂપિયા નો સહયોગ
5️⃣ બાળકોને ભોજન પૂરું પાડી શકે છે
🔸1000 રૂપિયાનો સહયોગ 2️⃣5️⃣ બાળકોને પ્રેમપૂર્વક બનાવેલ ભોજન આપી શકે છે
🔹2000/- નો સહયોગ 5️⃣0️⃣ બાળકોની પેટની આંતરડાની ઠારી શકે છે
યથા શક્તિ સહયોગ કરી શકો છો
GPay / Phonepay No :- 94290 50090
નિમિત્ત માત્ર :- વિજયભાઈ / મીરાબેન ગાંધી
*97227 27273 / 94290 50290*
*જન્મદિવસ લગ્ન તિથિ સ્નેહીઓની પુણ્યતિથિ નિમિત્તે બાળ પ્રભુને ભોજન કરાવી શકો છો*
*જે આપે છે એને જ મળે છે*
સેવા એ જ સત્ય છે કુદરતનો નિયમ છે કર ભલા તો હોગા ભલા કોઈના ભલામાં જ આપણું ભલું રહ્યું છે, *કરેલી સેવા સત્કર્મ એ જ ખરા સમયે કામ આવે છે* બાકી તો ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે પાછા જવાનું છે ભેગી કરેલી ધન દોલત ગાડી બંગલો કશું જ સાથે આવતું નથી આ બધું અહીં મૂકીને જ જવું પડે છે માત્ર કરેલા કર્મો જ સાથે આવે છે, આ બધું જ *ઈશ્વરે આપણને આપ્યું છે તેમાંથી સેવા દ્વારા ઈશ્વરને થોડું પાછું આપીએ*
તમામ સેવાનો શ્રેય અમારા માનવતાવાદી સંવેદનશીલ દાનવીર દાતાઓને આભારી છે જે અમારી નિરંતર નિસ્વાર્થ સેવાને સમજે છે
દાનપેટી ના કોઈ સરનામા હોતા નથી, *દાન માત્ર માનવતાને થાય છે*
*કોઈને ખુશીમાં નિમિત્ત બનીએ...*
માનવઘર્મ સંસ્થા ( એક મંદિર )
રાજકોટ
*દાનવીર દાતાઓ, ભામાશાઓ તથા આપ સર્વેના દાન ના સહયોગ દ્વારા બાળ પ્રભુજી, દરિદ્ર નારાયણ, તથા અબોલ જીવો માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓ :-*
🔹 જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી આ ઉમદા હેતુને કેન્દ્રમાં રાખી,
🌸 *માં અન્નપૂર્ણા સેવા :-*
ઘર વિહોણા અનાથ દિવ્યાંગ બાળ પ્રભુજી ને સંસ્થામાં બનેલું સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કરાવવામાં આવે છે, સાથે શિક્ષણ સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપવાનો વિનમ્ર પ્રયત્ન કરવામાં આવે છે
🔸*ભોજન સેવા :-*
દરિદ્રનારાયણ, ભિક્ષુકો, વડીલો, જરૂરિયાતમંદ વ્યક્તિને સમયાંતરે ભોજન કરાવવામાં આવે છે
🔸*પ્રોજેક્ટ :- " અવતરણ્ "*
ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, તથા અન્ય મહાન વ્યક્તિઓના જન્મદિવસ ગરીબ જરૂરિયાતમંદ બાળ પ્રભુજી સાથે ધામધૂમ, ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવે છે
*પ્રોજેક્ટ :- " ખુશી "*
ઘર વિહોણા બાળકો તથા ગરીબ જરૂરિયાતમંદ નવું વર્ષ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવી શકે તે માટે નવા વર્ષ પૂર્વે મીઠાઈ ફરસાણ, કપડા, ચંપલ વિગેરે વસ્તુઓનુ વિતરણ કરવામાં આવે છે
🔹*સરસ્વતી વંદના:-* અનાથ, પિતા વિનાના, ઝૂંપડામાં રહેતા સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ આપવામાં આવે છે
🔸*પ્રોજેક્ટ :- આનંદની અનુભૂતિ :-*
ઘર વિહોણા ઝૂંપડામાં રહેતા બાળકો તહેવાર નો આનંદ માણી શકે તે માટે સંક્રાત, ધુળેટી મેળો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં તહેવાર મુજબની વસ્તુઓ આપવામાં આવે છે
🔹*મોસમ સેવા:-* પ્રત્યેક ઋતુ મુજબ બાળપ્રભુજી તથા દરિદ્ર નારાયણને જરૂરી વસ્તુનો વિતરણ કરવામાં આવે છે
🔸*પ્રોજેક્ટ :-" હૂંફ "* શિયાળાની કળ કડતી ઠંડીમાં સ્વેટર ટોપી મોજા સાલ ધાબળા વગેરેનું વિતરણ
🔹*પ્રોજેક્ટ :- " શીતળ શાંતિ "*
ઉનાળાની કાળજાળ ગરમીમાં બાળકો તથા જરૂરિયાત મંદોને ચંપલ, ટોપી, છાશ, ઠંડા પીણા લચ્છી તથા આઈસ્ક્રીમ નું વિતરણ કરવામાં આવે છે
🔸*પ્રોજેક્ટ :- " રક્ષા કવચ "* વરસાદી વાતાવરણમાં રક્ષણ મળી રહે તે માટે વડીલો ગંગાસ્વરૂપ માતાઓ દિવ્યાંગો તથા બાળકોના ઝુંપડા ઉપર તાલપત્રી લગાવી આપવામાં આવે છે
🔹 *મેડિકલ સાધનો સેવા*
જરૂરિયાતમંદ વ્યકતીઓને મેડિકલ સાધનો વ્હીલચેર,વોટર બેડ,વોકર,બેડરેસ્ટ ટોયલેટ ચેર વિગેરે *ફ્રી* મા ઉપયોગ માટે આપવામાં આવે છે
🔸*પ્રોજેક્ટ :- " કલબલાટ "*
નિરાધાર ગૌ માતા તેમજ અબોલ જીવો માટે અનુકુર્તા મુજબનું ભોજન વિતરણ,