31/03/2026
*મહાવીર જન્મ કલ્યાણકના દિવસે*
*જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે*
*૧૩૦૧ મરઘા ના જીવોને રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા*
*પૂજ્ય ઇન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રય ના આશીર્વાદ મળ્યા.*
તા. ૩૧/૩/ર૬ નાં મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં જીવદયા ગ્રુપનાં મોભી આદરણીય શ્રી ઉપેનભાઈ મોદી અને બાપા સીતારામ ગેો સેવા મંડળના સમીરભાઈ કામદારના માર્ગદર્શન હેઠળ ૧૩૦૧ મરધાના જીવોને નવકાર મંત્ર અને માગંલીક બોલી નીભાવ ખર્ચ ૫૧૦૦૦/- સાથે મૂકવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મેહુલભાઈ રવાણી તથા શ્રી વિરેન્દ્રભાઈ સંઘવી એ કર્યું હતુ. મોભી શ્રી ઉપેનભાઈ મોદી દવારા સર્વેને આવા જીવદયા કાર્યમાં જોડાવવા માટે આહવાહન કરવામાં આવેલ તથા પ્રેરક બળ પૂરૂ પાડવામાં આવેલ. વિરેન્દ્રભાઈ સંઘવી અને મેહુલભાઈ રવાણી દવારા મહાવીર જન્મ કલ્યાણક ના દીવસે જીવદયાનાં ઉતમ કાર્યને વધુમાં વધુ થાય તેવું વકતવ્ય સર્વને આપવામાં આવેલ. આ સમયે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં પ્રમુખ શ્રી મહેશભાઈ શાહ તથા શ્રી જનસેવા ટ્રસ્ટનાં પ્રમુખ અજયભાઈ વખારીયા હાજર રહયા હતા.
દાતાશ્રીઓ પૂજ્ય ઇન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રય ના સોનલબાઈ મહાસતિજી, અતુલભાઈ શેઠ, ઉપેનભાઈ મોદી સમગ્ર પરીવાર, હીમાંશુભાઈ ચીનોય, મેહુલભાઈ સંઘાણી, વિરેન્દ્રભાઈ સંઘવી, ડીમ્પલબેન શાહ, છાયાબેન શાહ, હીનાબેન સંઘવી હસ્તક દાતાશ્રીઓ, ધનુભાઈ મહેતા મુંબઈ, હરેનભાઈ મહેતા, પીયુષભાઈ ઉદાણી, ભાસ્કરભાઈ કોઠારી, અશ્વિનભાઈ અજમેરા, વિમલભાઈ શેઠ, યોગેશભાઈ મહેતા, મુકેશભાઈ કોઠારી પરીવાર, કીર્તિભાઈ શાહ પરીવાર, હર્ષ મહેતા,સુનીલભાઈ દામાણી, નીરવભાઈ પારેખ વગેરે દાતાઓનો સહકાર મળ્યો હતો.
આ જીવદયા કાર્યને સફળ બનાવવા માટે પ્રકાશભાઈ મોદી, નીરવભાઈ સંઘવી, વિજયભાઈ દોશી, દીનેશભાઈ મોદી, નીલેશભાઈ શાહ, નીલેશભાઈ દોશી, મેહુલભાઈ સંઘાણી, હીરેનભાઈ કામદાર, અરૂણભાઈ નિર્મળ, હરેશભાઈ દોશી, જયશ્રીબેન દોમડીયા, દીપકભાઈ મીઠાણી, ડીમ્પલબેન શાહ, જીગરભાઈ દોમડીયા, પૂજાબેન દોશી, પ્રશાંતભાઈ દોશી વિશાખાબેન દામાણી, બીનાબેન દોશી, જૈનમભાઈ દામાણી, ભરતભાઈ મહેતા, પ્રતિભાબેન મહેતા, હર્ષદભાઈ મહેતા, મીતલબેન શાહ, ભાવીશાબેન બાટવીયા, કલાશ્રીબેન દોમડીયા, કાજલબેન મીઠાણી, રજનીકાંતભાઈ સાણંદીયા, શૈલેષભાઈ ઉદાણી, શ્રધ્ધાબેન પારેખ, જીજ્ઞાસાબેન મોદી,શીલ્પાબેન પારેખ, આરતીબેન દોશી, અલ્કાબેન બોરડીયા, રીયાબેન જયભાઈ બાટવીયા, મનોજભાઈ પારેખ, હેમાબેન મોદી અને પારસભાઈ મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.