27/03/2026
શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ - રાજકોટ દ્વારા વિધા સહાયના આજીવન મહા દાતાશ્રી હિતેશભાઈ પાણખાણીયાની શુભેચ્છક મુલાકાત લઈને તેમને યુવકમંડળના પ્રમુખશ્રી ભાવેશભાઈ ગઢવાણા તેમજ શ્રીબાઈ મંદિર તાલાળા સંસ્થાના પ્રમુખશ્રી મુકેશભાઈ દેવળીયા, મંત્રીશ્રી સંજયભાઈ યુવકમંડળના સભ્યશ્રી જગદીશભાઈ પાણખાણીયા અને અલગ અલગ સંસ્થાના હોદેદારો જેમાં રમેશભાઈ ગોહેલ, અશોકભાઈ દેવળીયા, યોગેશભાઈ છાંયા, નરેન્દ્રભાઈ જાદવ, વગેરે ના હસ્તે મોમેન્ટો અર્પણ કરી હિતેશભાઈના ભગીરથ કાર્યની નોંધ લીધી હતી..તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રહેતા આપણા જરૂરિયાત વાળા પરિવારમાં વધુંને વધુ શિક્ષણ ક્ષેત્રે મદદ કરી શકાય તેના માટે વિચાર વિમર્ષ કરવામાં આવ્યો હતો.. હિતેશભાઈ આપશ્રીના દાનની અવિરત સરવાણી યુવકમંડળને જીવાદોરી રૂપે વહી રહી છે. તે બદલ શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ હંમેશા આપનું આભારી રહેશે..એટલું જ નહીં અનેક સંસ્થાઓના માધ્યમથી આપની સેવાનો લાભ આપણો સમાજ લઈ રહ્યો છે તેના માટે ગૌરવ અનુભવીએ છીએ. અને વધુંને વધુ આપ ઉદારદિલે આવા કર્મયોગ કરતા રહો એવી અભિલાષા રાખીએ છીએ.. માં શ્રીબાઈ આપશ્રી અને પરિવારની મનોકામના પૂર્ણ કરે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ......