પ્રકૃતિ પ્રેમી પાલીતાણા

  • Home
  • India
  • Palitana
  • પ્રકૃતિ પ્રેમી પાલીતાણા

પ્રકૃતિ પ્રેમી પાલીતાણા પ્રકૃતિ પ્રેમી પાલીતાણા

12/04/2026

જિલ્લા કલેક્ટર મનિષ બંસલ દ્વારા પાલીતાણા નજીક આવેલ સિહોર તાલુકાના ઢૂંઢસર ખાતે કાર્યરત " જીવદયા ટીમ " ની મુલાકાત લીધી...

10/03/2026

પાલીતાણા નો જુની વિડિઓ છે...

10/03/2026

પાલીતાણા શેત્રુંજય પર્વતનો પર હિંગળાજ માતા ની દેરી પાસેનો નયનરમ્ય નઝારો...

પાંડેરીયા પ્રકૃતિ શિક્ષણ શિબિર.           પાંડેરીયા વનવિભાગ દ્વાર આયોજીત બે દિવસ (એક રાત્રી) પ્રકૃતિ શિક્ષણ શિબિર માં નો...
05/03/2026

પાંડેરીયા પ્રકૃતિ શિક્ષણ શિબિર.
પાંડેરીયા વનવિભાગ દ્વાર આયોજીત બે દિવસ (એક રાત્રી) પ્રકૃતિ શિક્ષણ શિબિર માં નોંઘણવદર કેન્દ્રવર્તી શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો ભાગ લઈ પ્રકૃતિની ગોદમાં રહી પ્રાણી,પક્ષી,વનસ્પતિ,નદી,પર્વત વિગેરેનું પ્રત્યક્ષ શિક્ષણ મેળવતા બાળકો

28/02/2026
પાલીતાણા તાલુકાની મોખડકા પ્રા. શાળાના બાળકોનો વેળાવદર ખાતે એક દિવસ પ્રવાસ યોજાયો...      વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન (Black...
20/01/2026

પાલીતાણા તાલુકાની મોખડકા પ્રા. શાળાના બાળકોનો વેળાવદર ખાતે એક દિવસ પ્રવાસ યોજાયો...
વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન (Blackbuck National Park, Velavadar) ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે મુખ્યત્વે કાળિયાર (Blackbuck) ના સંરક્ષણ માટે જાણીતું છે અને વિશ્વમાં એક જ જગ્યાએ કાળિયાર ની સૌથી મોટી વસ્તી માટે પ્રખ્યાત છે.

મુખ્ય માહિતી:
સ્થાપના: જુલાઈ 1976માં સ્થાપિત થયું હતું. પ્રારંભમાં વિસ્તાર 17.88 ચો. કિમી હતો, પછી 1980માં વધારીને હાલ 34.08 ચો. કિમી થયો છે.

સ્થાન: પાલીતાણા થી આશરે 88 કી.મી. અને ભાવનગર શહેરથી આશરે 42-47 કિમી ઉત્તર તરફ, ભાલ વિસ્તારમાં. દક્ષિણમાં ખંભાતના અખાતને અડીને આવેલું છે. ઉત્તરમાં ખેતરો અને વગડાઉ જમીન છે.

જૈવિક વર્ગીકરણ: 4B ગુજરાત-રજવાડા અર્ધ-શુષ્ક જૈવ-ભૌગોલિક ક્ષેત્ર.

વન્યજીવો અને જીવસૃષ્ટિ: આ ઉદ્યાન ઘાસના મેદાન પર આધારિત છે, જેમાં સોનેરી-પીળા રંગના ઘાસનો આ વિશાળ વિસ્તાર છે.
મુખ્ય આકર્ષણ: કાળિયાર (Blackbuck / કૃષ્ણમૃગ) અહીં 5,000 થી વધુ (કેટલાક અંદાજે 6,000+) વસે છે. નર કાળા રંગના અને વાંકડિયા શિંગડાંવાળા હોય છે.

અન્ય સસ્તન પ્રાણીઓ: ભારતીય વરુ (Indian Wolf), ઝરખ (Striped Hyena), શિયાળ, જંગલી બિલાડી, નીલગાય, જંગલી ડુક્કર વગેરે પણ અહીં વસે છે...
પક્ષીઓ: 140+ પ્રજાતિઓ ખાસ કરીને લેસર ફ્લોરીકન (Lesser Florican – અત્યંત વિરલ), પટ્ટાઈ (Harriers – Marsh, Pallid, Montagu's – વિશ્વનું સૌથી મોટું રાત્રી રોકાણ સ્થળ), ફ્લેમિંગો, પેલિકન, સારસ, વિવિધ શિકારી પક્ષીઓ પણ અહીં વસે છે...

પાલીતાણા તાલુકાના હનોળ ખાતે ચાલી રહેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં " એક પેડ માઁ કે નામ " અભિયાન અંતર્ગત આચાર્ય દેવવ્રત દ્વારા...
15/01/2026

પાલીતાણા તાલુકાના હનોળ ખાતે ચાલી રહેલ ત્રિદિવસીય કાર્યક્રમમાં " એક પેડ માઁ કે નામ " અભિયાન અંતર્ગત આચાર્ય દેવવ્રત દ્વારા એક વૃક્ષ રોપવામાં આવ્યું...

31/12/2025

શેત્રુંજય પર્વત નો નયનરમ્ય નઝારો...

01/12/2025

100 કરોડ થી પણ વધુ કિંમતી ધન નું કરવામાં આવ્યું પ્રત્યારોપણ...

સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ની સહ્યોગીતા થી સુરત ના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદીર આશ્રમ ના ઘટાદાર વડલાના વૃક્ષને સ્થળાંતર કરી કરવામાં આવ્યું હતું પુનઃ જીવંત પ્રત્યારોપણ..

આપણે બધાએ ઘણા વર્ષોથી મૃત માનવ શરીર ના અંગો નું ટ્રાન્સપ્લાન્ટ અર્થાત પ્રત્યારોપણ કરતા તબીબો વિશે વાચ્યું અને સાંભળ્યું છે... પરંતુ આજે સુરત ને હરિયાળું કરતી ગ્રીન આર્મી ની સહ્યોગિતા થી સુરતના આશિર્વાદ માનવ મંદિર આશ્રમ માં સંચાલક શ્રી જેરામભાઈ સિસોદિયા ના ધર્મપત્ની ના હસ્તે એક દસકા પહેલા રોપાયેલ વડલા નું જીવંત સ્થળાંતર પ્રત્યારોપણ કરવામાં આવતા જીવદયા પ્રેમી ઓનાં દિલ જીતી લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય અને ગર્વપ્રદ બાબત એ છે કે આજથી દસ વર્ષ પહેલાં આશિર્વાદ માનવ મંદિર આશ્રમના સંચાલક શ્રી જેરામભાઈ સિસોદિયા ના ધર્મપત્ની ના હસ્તે સંસ્થાના પટાંગણ માં એક વડલા નું રોપણ કરવામાં આવ્યું હતુ જે આજે એક દસકો વીતતા ઘટાદાર અને સમસ્ત જીવ ને પ્રાણવાયું પૂરો પાડતો અને અનેક સૂક્ષ્મ જીવો માટે નું આશ્રય સ્થાન બની ગયો છે.

આ આશ્રમ માં જે એ જગ્યા પર વડલો ઉભો છે ત્યાં સંસ્થાન દ્વારા શિવ મંદીર ની સ્થાપના કરવાનુ પ્રયોજન કરવામાં આવતા સેવા ની મિશાલ અને સંસ્થા ના સંચાલક શ્રી જેરામભાઈ સિસોદિયા ના ધર્મપત્ની ની કાયમી યાદી દૂર ન કરવા અને સુક્ષ્મ જીવો નું આશ્રય સ્થાન લુપ્ત નહિ થવા દેતા આજે એજ વડલા નું જીવંત સ્થળાંતર પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું...

ગ્રીન આર્મી ના જવાનો દ્વારા વડલા ને જરાપણ આંચ ન આવે તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં જે આપણે અહી પ્રસ્તુત ફોટો અને વીડિયો માં નિહાળી શકીએ છીએ.

ગ્રીન આર્મી ની યાદી માં જણાવાયું છે કે આજે સુરતની સેવા માં અગ્રેસર એવું આશીર્વાદ માનવ મંદીર આશ્રમ માં જેમની કિમંત કદી પણ આંકી જ ન શકાય તેવું પરમ પૂજનીય અને વંદનીય ભગવાન શિવના અંશ વ્રુક્ષરાજ વડલા નું જીવંત સ્થળાંતર પ્રત્યારોપણ કરી અતિ આત્મસંતોષ અનુભવીએ છીએ અને સમગ્ર ભારભરમાં સંદેશ આપતા જણાવીએ કે વ્રુક્ષો એ ધરતી માતા નું ઘરેણું છે સમસ્ત જીવાત્માના જીવન નો આધાર સ્થંભ છે. વ્રુક્ષ પર આશરો મેળવતા સુક્ષ્મ જીવો, પંખી પશુ વગેરે અબોલ જીવો માટે ભોજન પાણી અને હવા સાથે આશ્રય નો આધાર મૂલ્ય છે માટે વ્રુક્ષ કાપવું એ જીવ હત્યા નું મહા પાપ છે.

કોઇપણ સંસ્થાઓ, ઔધોગિક એકમોમાં કયારેય પણ અનેં કોઇપણ વૃક્ષ નું જીવંત સ્થળાંતર પ્રત્યારોપણ કરવા માંગતા હોય તેમણે ગ્રીન આર્મી નો સંપર્ક કરવો જેથી વૃક્ષ નું યોગ્ય અને સલામત જગ્યા પર જીવંત પ્રત્યારોપણ થઈ શકે અને સૌના માટે જીવ સેવા બની રહે..

લગ્નની મોસમ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે  ◆ એક કટાક્ષ ◆
28/11/2025

લગ્નની મોસમ પુર જોશમાં ચાલી રહી છે ત્યારે

◆ એક કટાક્ષ ◆

◆ એક કટાક્ષ ◆

Address

પાલીતાણા
Palitana

Website

Alerts

Be the first to know and let us send you an email when પ્રકૃતિ પ્રેમી પાલીતાણા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share