Gandhighar Kachholi

Gandhighar Kachholi GandhiGhar is dedicated Institute for Education & Rehabilitation of Deaf & Dumb Children. Founded by Lt. shri Kikubhai naik.

In the eastern range of hilly Dang region the perrinial river Ambica flows bringing the healing
and soothing rain water of pious nature to flourish our culture. It nurtures us as the mother nurtures its child. When this river Ambica leaves the zone of dense Dang forests it flows through the lush green well cultivated orchids, farms and gardens. This lush green belt fed by nectar of river Ambica is

popularly known as 'wadi'. It means the region of orchids, farms and gardens. In this region there is a small village named Kachholi. Kachholi is on a backward rural belt but it is one of the outstanding area of the belt. This village is closely connected to Bilimora and Navsari towns and it is known for its live spirit. This region adopted the message of Arya-samaj. In contemporary times also there is a centre for Aarya-Samaj activities in the village. This village was also under the influence of "Home Rule Revolution". During Gandhiji's non-cooperation movement Satyagraha, all important meetings and programmes were held in Kachholi. Many freedom fighters participated in the movement from kachholi. After independance the freedom fighters were directed by Gandhiji to rehabilitate the villagers. In Kachholi there were leading freedom fighters Late Shri Kikubhai Naik and his team started the activities denoted by Gandhiji. They formed a 'Gram-Seva Samiti, Kachholi'. The main activities of this samiti were the upliftment of Harijans and Halpatis to rescue the victims of natural calamities like fire and flood etc. After Gandhiji passed away, 'Gandhi Smarak Nidhi'-New Delhi aimed for inception of hundred Gandhighars in the nation. The objects of Kachholi 'Gram Seva Samiti' were alike to 'Gandhi Smarak Nidhi' and therefore the same was granted in form of Gandhighar Kachholi, to Kachholi in 1954. After the inception of 'Gandhighar' Kachholi, it became the power house of many positively vibrant Gandhian social services activities.

03/07/2026

ગાંધીઘર કછોલી સંચાલિત શાળાઓનો ૬૪મો સ્થાપના દિન અને નવા વર્ષમાં પ્રવેશ પામેલ બાળકોનો શાળા પ્રવેશોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ગાંધીઘર કછોલી સંચાલિત બંને વિશિષ્ટ શાળાઓ બ.અને ઈ.નાયક બહેરા મૂંગાની શાળા,કછોલી અને ગ.કી.નાયક બધિર કન્યા વિધાલય,કછોલીમાં તારીખ ૦૨ જુલાઈ ૨૦૨૬ના રોજ શાળા પ્રવેશોત્સવ અને શાળા સ્થાપના દિનની સંયુક્ત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમામય પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન એન. નાયક અતિથિ વિશેષ અને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

આજથી ૬૪ વર્ષ પહેલાં, એટલે કે તા. ૨/૭/૧૯૬૨ ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના દિન નિમિત્તે સંસ્થાની લાંબી અને સફળ શૈક્ષણિક સફરને યાદ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને શિક્ષણ સાથે જોડવાનો હતો. આ જ પવિત્ર દિવસે શાળામાં નવા પ્રવેશ પામેલા બાળકો માટે 'શાળા પ્રવેશોત્સવ' યોજાયો હતો, જેમાં નવા વિદ્યાર્થીઓનું હાર્દિક અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવના આ વિશેષ પ્રસંગે કુ.ઋત્વિ પરેશભાઇ નાયક શ્રી પરેશભાઇ નાયક અને શ્રીમતી જાગૃતિબેન નાયક પરિવાર તરફથી ઉદારતા દાખવીને નવા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે સ્કૂલબેગ ભેટ આપવામાં આવી હતી.

આ મંગલમય સમારોહમાં સંસ્થાના આદરણીય ટ્રસ્ટીશ્રીઓ, શાળાના તમામ કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

વાંચન યાત્રાનું સમાપન ગાંધીઘર કછોલી માં યોજાયુંતા. 22-06-2026, સોમવારના રોજ પરબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વાંચન યાત્...
23/06/2026

વાંચન યાત્રાનું સમાપન ગાંધીઘર કછોલી માં યોજાયું

તા. 22-06-2026, સોમવારના રોજ પરબ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વાંચન યાત્રાનું સમાપન કાર્યક્રમ ગાંધીઘર કછોલી માં યોજાયો હતો. આ પ્રસંગે પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગાંધીઘર સંસ્થાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપરાંત ઈતર વાંચનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યોએ વિદ્યાર્થીઓને વાંચનથી મળતા વિવિધ લાભો, વ્યક્તિગત વિકાસમાં તેની ભૂમિકા તથા જીવનમાં આવતાં સકારાત્મક પરિવર્તનો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને નિયમિતપણે પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને દરરોજ વાંચન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. કાર્યક્રમના અંતે પરબ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગાંધીઘર કછોલી લાઇબ્રેરી નું પૂજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની રૂચિ વધે અને જ્ઞાનપ્રાપ્તિ તરફ વધુ પ્રેરણા મળે તેવો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો.

23/06/2026
ગાંધીધર કછોલી સંસ્થા ખાતે ૧૨મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી: દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક કર્યા યોગાસનકછોલી:ગાંધીધ...
21/06/2026

ગાંધીધર કછોલી સંસ્થા ખાતે ૧૨મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી: દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક કર્યા યોગાસન
કછોલી:
ગાંધીધર કછોલી સંસ્થા સંચાલિત બ. અને ઈ. નાયક બહેરા-મૂંગાની શાળા તેમજ ગ. કી. બધિર કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના પ્રાંગણમાં **૧૨મા 'વિશ્વ યોગ દિવસ'**ની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે શાળાના દિવ્યાંગ બાળકો અને સમગ્ર સ્ટાફ પરિવારે સક્રિયપણે ભાગ લીધો હતો.
આ ઉજવણી અંતર્ગત અનુભવી યોગ શિક્ષક શ્રીમતી મેઘનાબેન નાયક અને શ્રી ભરતભાઈ નાયક દ્વારા ખૂબ જ સરળ અને પ્રભાવશાળી શૈલીમાં બાળકો તેમજ કર્મચારીઓને વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ બાળકોએ પણ અત્યંત ઉત્સાહ અને એકાગ્રતા સાથે દરેક આસનનો પ્રયોગ કર્યો હતો, જે સૌના માટે પ્રેરણારૂપ રહ્યો હતો.
યોગ સત્ર દરમિયાન શિક્ષકો દ્વારા નિયમિત યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે:
"યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મનને શાંત રાખવા, એકાગ્રતા વધારવા અને આત્મવિશ્વાસને મજબૂત કરવાનું એક સબળ માધ્યમ છે, જે આ ખાસ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે."
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી ડૉ.જાગૃતિબેન દેસાઈએ સંસ્થાના તમામ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને રોજિંદા જીવનમાં યોગને વણી લેવાના સંકલ્પ સાથે આભારવિધિ કરી આ સુંદર કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

ગાંધીઘર કછોલી સંચાલિતડા. ગો. સા. દવાખાનું અને મ. ભી. પ્રસુતિગૃહસરનામુંગાંધીઘર કછોલી સંચાલિતડા. ગો. સા. દવાખાનું અને મ. ભ...
16/06/2026

ગાંધીઘર કછોલી સંચાલિત
ડા. ગો. સા. દવાખાનું અને મ. ભી. પ્રસુતિગૃહ

સરનામું
ગાંધીઘર કછોલી સંચાલિત
ડા. ગો. સા. દવાખાનું અને મ. ભી. પ્રસુતિગૃહ
કછોલી, તા. ગણદેવી, જી. નવસારી, ગુજરાત – 396370

સંપર્ક
📞 મો.: 98251 72259

સમય
સોમવાર થી શનિવાર

સવારે: 9:00 થી 12:00

બપોરે: 2:00 થી 5:00

સ્વાસ્થ્ય માટે વિશ્વસનીય સેવા – ડૉ. રાહુલ બી. પટેલ.

🔹 ડિપ્રેશન, ચિંતા/તણાવ, OCD, નશામુક્તિ, ઊંઘની તકલીફ, યાદશક્તિની સમસ્યાઓ, કપલ/ફેમિલી થેરાપી તથા બાળકોની વર્તણૂક સંબંધિત ત...
15/06/2026

🔹 ડિપ્રેશન, ચિંતા/તણાવ, OCD, નશામુક્તિ, ઊંઘની તકલીફ, યાદશક્તિની સમસ્યાઓ, કપલ/ફેમિલી થેરાપી તથા બાળકોની વર્તણૂક સંબંધિત તમામ માનસિક આરોગ્ય સેવાઓ માટેની તપાસ, સારવાર અને જરૂરી દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

📍 સ્થળ:
ગાંધીઘર કછોલી સંચાલિત
ડા. ગો.સા. દવાખાનું અને મ.ભી. પ્રસુતિગૃહ, કછોલી
તા. ગણદેવી, જી. નવસારી, ગુજરાત – 396370

📞 સંપર્ક:
98251 72259

🕘 સમય:
બુધવારે – સવારે 9:00 થી 11:00
શનિવારે – બપોરે 3:00 થી 5:00

Address

Gandhighar Kachholi, At & Po. Kachholi
Navsari
396370

Alerts

Be the first to know and let us send you an email when Gandhighar Kachholi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gandhighar Kachholi:

Shortcuts

Share