Gram Seva Trust-Kharel

Gram Seva Trust-Kharel Gram Seva Trust is Non Profit Organization, working for Health, Education and Women Empowerment of Tribal community of South Gujarat-India

Parodh-Annual Cultrual Programm.Date 2/5/2026"પરોઢ" બાલાવાસ ખાતે દર વર્ષેની જેમ વાર્ષિર્ક સાંસ્કૃતિક કાર્યક્રમની જોરદાર ...
03/05/2026

Parodh-Annual Cultrual Programm.
Date 2/5/2026
"પરોઢ" બાલાવાસ ખાતે દર વર્ષેની જેમ વાર્ષિર્ક સાંસ્કૃતિક કાર્યક્રમની જોરદાર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ ગીત, નાટક, નૃત્ય, ગરબા જેવી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી. નવસારી સંયાજી લાયબ્રેરીના ટ્રસ્ટી અને સમાજસેવક શ્રી જયપ્રકાશભાઈ મહેતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

સંસ્થાની ટીમ દ્વારા  વાત્સલ્ય ધામ વિદ્યાલય કુકેરી ખાતે ધોરણ છ અને સાત ની વિદ્યાર્થીનીઓને જીવન ઉપયોગી વિવિધ વિષયો ઉપર આરો...
01/05/2026

સંસ્થાની ટીમ દ્વારા વાત્સલ્ય ધામ વિદ્યાલય કુકેરી ખાતે ધોરણ છ અને સાત ની વિદ્યાર્થીનીઓને જીવન ઉપયોગી વિવિધ વિષયો ઉપર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.

19/04/2026
DEIC ખારેલ ખાતે 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ' ની ઉજવણી - સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડૉ. અશ્વિન શાહ અને ડૉ. હર્ષા શાહ ની ઉપસ્થિત...
02/04/2026

DEIC ખારેલ ખાતે 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ' ની ઉજવણી -
સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી ડૉ. અશ્વિન શાહ અને ડૉ. હર્ષા શાહ ની ઉપસ્થિતિમાં DEIC ખારેલ ખાતે સારવાર લેતા બાળકો સાથે મ્યુઝીક, ડાન્સ, કલરીંગ જેવી વિવિધ રમત ગમત દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, સહભાગિતા, કલાત્મકતા અને કાર્યક્ષમતા કેળવાય તેવા પ્રયાસો દ્વારા મનોરંજન અને જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું. બાળકોને અલ્પાહાર અને નાની નાની ભેટ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.બાળકો અને વાલીઓના ચહેરા પર અત્યંત આનંદ ની લાગણી જોવા મળી.
સંસ્થા ખાતે તાલીમ અર્થે આવતા નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ ને બાળરોગ નિષ્ણાત ડૉ.નેહા પટેલ દ્વારા ઓટીઝમ રોગ વિષે માહિતી પૂરી પાડવામાં આવી અને સંસ્થા ખાતે ચાલતા DEIC સેન્ટર માં ઓટીઝમ તેમજ અન્ય બીમારીઓ નું નિદાન અને સારવારની સગવડ ઉપલબ્ધ છે તેની માહિતી પૂરી પાડવામાં આવી.
સમગ્ર DEIC ના કર્મચારીગણ ના પ્રયાસો થકી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.આ કાર્યક્રમમાં RBSK ના કર્મચારીએ પણ હાજરી આપી.

ડાંગ જીલ્લાના શિવારીમાળ ખાતે યોજાયો મહિલા આરોગ્ય મેળો. મહિલાઓમાં અને સમાજમાં જુદા જુદા રોગો અંગે જાગૃતિ આવે તથા રોગથી બચ...
19/03/2026

ડાંગ જીલ્લાના શિવારીમાળ ખાતે યોજાયો મહિલા આરોગ્ય મેળો.
મહિલાઓમાં અને સમાજમાં જુદા જુદા રોગો અંગે જાગૃતિ આવે તથા રોગથી બચવા અંગે સાચી માહિતી મળી રહે તે ઉદેશથી સંસ્થા દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે "મહિલા આરોગ્ય મેળા"નું આયોજન કરવામાં અઆવ્યું હતું. જેમાં ગામોના આગેવાનો સહિત બહેનોએ મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ સુરતના K Batchના ડોકટરોનું દ્વિતીય સહમિલન તથા ડો અશ્વિન શાહનું બહુમાન.ગવર્નમેન્ટ મેડીકલ કોલેજના ...
17/03/2026

ગવર્નમેન્ટ મેડીકલ કોલેજ સુરતના K Batchના ડોકટરોનું દ્વિતીય સહમિલન તથા ડો અશ્વિન શાહનું બહુમાન.
ગવર્નમેન્ટ મેડીકલ કોલેજના K બેચના ડોક્ટર મિત્રોનું દ્વિતીય Reunion ખારેલ ગ્રામ સેવા ટ્રસ્ટ ખાતે ૧૫/૦૩/૨૦૨૬ રવિવારે મળ્યું હતું. આસપાસના બીલીમોરા, સુરત, અમદાવાદના ૨૨ ડોક્ટર મિત્રો તેમના પરિવાર સાથે મળ્યા હતા.
ડો.અશ્વિન શાહ (ગ્રામ સેવા ટ્રસ્ટના સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી) જેઓ પણ K Batchના તેમના સહયોગી છે, જેમનું હાલમાં આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા “ધરતી રત્ન” એવોર્ડ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમનું તથા તેમના ધર્મપત્ની ડો. હર્ષા શાહનું સન્માન બુકે અને શાલથી આ બેચના ડો.શકુન્તલા શાહ, ડો.ઉદય શાહ, ડો.ભરત દેસાઈ તથા અન્ય મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
ડો.અશ્વિન શાહે ગ્રામ સેવા ટ્રસ્ટની નવસારી તથા ડાંગ જીલ્લાના ગરીબ તથા આદિવાસી લોકો અર્થે ૩૨ વર્ષથી આદરેલી પ્રવૃત્તિ વિષે સ્લાઈડ દ્વારા માહિતી આપી હતી. સંસ્થા દ્વારા હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર(DEIC) તથા દૂરના ગામોમાં ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કુપોષણ વિષે ચાલતી રોગ અટકાવવાની સામુદાયિક પ્રવૃત્તિ, આર્થિક વિકાસ માટે ચાલતા પ્રકલ્પો, શિક્ષણ માટે સ્થળાંતિત વાલીઓના બાળકો તથા અન્ય આદિવાસી બાળકો માટેની હોસ્ટેલ, ગામોમાં કોચીંગ ક્લાસ વિ. માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડોક્ટર મિત્રો આ પ્રવૃત્તિની માહિતીથી ખૂબ જ મુગ્ધ થઈ ગયા હતા અને સૌએ આદિવાસી, ગ્રામીણ વિસ્તારમાં ગરીબો માટે આરોગ્ય તથા ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ કરવા માટે ટીમની પ્રશંસા કરી હતી. ડો.અશ્વિન શાહ તેમના જ બેચના હોવાથી તેમના સમર્પણ માટે સૌએ ગૌરવ અનુભવ્યું હતું.
હોસ્પિટલ તથા ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટરની પ્રવૃત્તિ નિહાળી હતી. બાળકો માટે ચાલતા નવસારી જીલ્લાના એકમાત્ર ડીસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન કેન્દ્રની પ્રવૃત્તિ દરેક બાળક જેને ખોડ, વિકાસમાં વિલંબ હોય તેમના માટે ખૂબ જ મદદરૂપ છે, એવું દરેકે મંતવ્ય દર્શાવ્યું હતું.
ત્યારબાદ ભોજન અને “ પરોઢ” છાત્રાલયની મુલાકાત લઈ ખૂબ જ આનંદ સહ મિત્રોને મળીને છૂટા પડ્યા હતા.

We are happy to share that Gram Seva Trust has once again been recognized as a “Great Place to Work” for the sixth conse...
05/03/2026

We are happy to share that Gram Seva Trust has once again been recognized as a “Great Place to Work” for the sixth consecutive year.

This achievement would not have been possible without the dedication, commitment, and collective efforts of our entire team.

Thank you to everyone who made this possible

We all are glad to share with you........
02/03/2026

We all are glad to share with you........

ડો. અશ્વિન શાહને મુખ્યમંત્રીશ્રીના હસ્તે “ધરતી રત્ન એવોર્ડ” એનાયત થયોઆશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવતા “ધરત...
19/01/2026

ડો. અશ્વિન શાહને મુખ્યમંત્રીશ્રીના હસ્તે “ધરતી રત્ન એવોર્ડ” એનાયત થયો

આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવતા “ધરતી રત્ન એવોર્ડ- 10 ” માટે પસંદગી સમિતિ દ્વારા ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.અશ્વિન શાહની પસંદગી કરવામાં આવેલ. જે એવોર્ડ તા.18/01/2026 ના રોજ સરદાર પટેલ ઓડિટોરીયમ-અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે એનાયત કરવામાં આવ્યો.
સ્વથી ઉપર ઉઠીને સર્વનો વિચાર કરનારા જ માનવજાતની સાચી સેવા કરે છે, સાચી સંપત્તિ પદ, પૈસો કે પ્રતિષ્ઠામાં નહીં, પરંતુ સામાજિક યોગદાનમાં રહે છે. નિશ્વાર્થ સેવા જ માનવ સભ્યતાની બુનિયાદ છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.એસ.પટેલ, ઓડીશાના પૂર્વ ચીફ જસ્ટિસ અને એવોર્ડ પસંદગી સમિતિના અધ્યક્ષ કલ્પેશભાઈ ઝવેરી તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના વડા, પૂર્વ કલેકટર તથા પસંદગી સમિતિના સભ્ય ભાગ્યેશ જહા એ પ્રાસંગિક ઉદ્દબોધન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે ધર્મપત્ની ડો હર્ષા શાહ તથા પરિવારના તથા સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.

રચના, સંઘર્ષ અને જાગૃતિ કાર્યોના સહયાત્રીઓના અમદાવાદ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ડો.અશ્વિનભાઈ શાહ અને ડો.હર્ષાબે...
05/01/2026

રચના, સંઘર્ષ અને જાગૃતિ કાર્યોના સહયાત્રીઓના અમદાવાદ ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં ડો.અશ્વિનભાઈ શાહ અને ડો.હર્ષાબેન શાહને સન્માનિત કરવામાં આવ્યા.....

Address

Gram Seva Trust-Kharel, Taluka:-Gandevi, Dist-Navsari
Navsari
396430

Alerts

Be the first to know and let us send you an email when Gram Seva Trust-Kharel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gram Seva Trust-Kharel:

Share