Shree Variya Prajapati Vidhyotejak Mandal Morbi

Shree Variya Prajapati Vidhyotejak Mandal Morbi Variya boarding Morbi

25/05/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત લાઇબ્રેરીમા જન્મ દિવસ નિમિત્તે
વિજય વડાવિયા તરફથી કેટલાક પુસ્તકો ભેટ..

એ સત્યને હંમેશા નોંધવુ રહ્યું કે.....

કોર્સની અંદરના પ્રશ્નો જ્યારે પુછાય ત્યારે હંમેશા અભ્યાસક્રમની માહિતી કામમાં આવતી હોય છે, અને ત્યાં સ્પર્ધાનુ તત્વ ખુબ હોય છે, પરંતુ જીવનમાં આવતી પરીક્ષાઓમાં કોર્સની બહારના પ્રશ્નો જ્યારે પુછાય ત્યારે હંમેશા, જીવનમાં પ્રાપ્ત કરેલુ, જ્ઞાન કામમાં આવતુ હોય છે, અને ત્યાં સ્પર્ધાનુ તત્વ સહેજ પણ નથી હોતુ, જેના જવાબો આપણને લાઇબ્રેરીમા થી મળતા હોય છે.

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત લાઇબ્રેરીમા આપણા સમાજના દરેક ઉંમરના લોકો માટે પુસ્તકો રહેલા છે.
મારી આપ સૌને નમ્ર અપીલ છે કે, આપણા સમાજની આ લાઇબ્રેરીની મુલાકાત લઈ ગમતું પુસ્તક વાંચીએ અને વંચાવીએ..

તમારી પ્રકૃતિને અનુરૂપ પુસ્તક તમારી રાહ જુએ છે...🙏

24/05/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભામાં આજનો નાસ્તો
જેરામભાઈ પરસોતમભાઈ ધરોડિયા
તરફથી સપ્રેમ 💐

22/05/2026

*ચેતવણી – આ હળવી નવલકથા નથી. આ વાંચ્યા પછી કેટલાક દિવસો સુધી વિચારો પીછો નહીં છોડે.*

*શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત લાઇબ્રેરીમા રહેલા ધ્રુવ ભટ્ટ લિખીત"ન ઇતિ...!" પુસ્તકનો પરિચય*
‘ન ઇતિ’ એટલે "આ નહીં... આ પણ નહીં". શાસ્ત્રોમાં ‘નેતિ નેતિ’નો ભાવ અહીં ભવિષ્યના માણસ માટે વાપર્યો છે.
કવર પર ઇબુ પર્તિવી – ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝિયમમાં રાખેલી પૃથ્વી દેવીની મૂર્તિ છે.
*મુખ્યપાત્રો* :-કી ટેન,ઝી એમ,પિરથી,લુનેરી,પાધા,વેધા,ક્ષેત્રી, શાકંભરી, ઓન્તુ,અકૂર્ચ, અલ્લામા, વશી, કાશ્તી, વાપ્તી....

માણસો હવે માણસ નથી. દરેકના મગજમાં એક ‘ચિપ’ બેસાડેલી છે.ચિપ માણસની ‘સ્મૃતિ’ અને ‘સ્વતંત્ર ઇચ્છા’ છીનવી લે છે.ટેક્નોલોજી સાધન મટીને ધ્યેય બને ત્યારે માણસ ખોવાય છે. નામ, લાગણી, સંબંધ – બધું સુપર કમ્પ્યુટર નક્કી કરે. બધાને Key નંબરથી ઓળખવામાં આવે છે. ‘Key-10’ બીજા બધા ‘Keyz’ કરતાં જુદો છે. એ ચિપના કંટ્રોલને તોડીને ‘લાગણી અનુભવવા’ અને ‘જીવવા’ માંગે છે.
ટેક્નોલોજી જ્યારે માણસપણું છીનવી લે ત્યારે શું થાય તેની ભયાનક કલ્પના, અને
અનેક વિનાશો પછી જાગેલી નવી પૃથ્વી.Key10 એક અકસ્માતથી ભુઇ પર આવે છે, ત્યાં પિરથી નામના પાત્રની સાથે આધ્યાત્મિક ચર્ચા થાય છે.
*અસ્વસ્થતા* : પહેલો ભાગ વાંચીને આપણે પોતાના મોબાઈલ સામે જોઈએ – શું આપણે પણ ધીરે ધીરે ‘ચિપવાળા’ થઈ રહ્યા છીએ?
*આશ્વાસન* : બીજો ભાગ કહે છે – ગમે તેટલો વિનાશ થાય, ધરતી ફરી લીલી થશે. માણસ ફરી ‘માણસ’ થશે.

*વાંચતા વાંચતા ઘડિક થોભવા જેવું* 👇
✍️ઈજા વગર થતી પીડા અસહ્ય હોય છે અને તેને શમાવવા માટે કોઈ ઉપાય નથી હોતા.
✍️દરેક યુગે માનવમનને મૂંઝવતો રહેલો મહાપ્રશ્ન આજે કીના મનને મૂંઝવી રહ્યો, “કશુંક રહસ્યમય છે જે પોતાને, ઝી—વનને અને કદાચ દરેકને માટે બધું જ નક્કી કરે છે. તે શું છે, કોણ છે, ક્યાં છે અને કઈ રીતે આ બધું કરે છે?”
✍️ 'માણસો પાસેથી કામ લેવાની રીતિ અવારનવાર સુધરતી અને બદલાતી રહી છે. પરંતુ વૃત્તિ કોઈ કાળમાં બદલાઈ નથી.’
✍️‘દરેક યુગે પૃથ્વી પોતાની જાતે અથવા કુદરતે ધરેલા અવતારે કરીને તો બચી છે.’
✍️ વિદ્યા માત્ર જોવા, જાણવાથી નથી શિખાતી, પંચેન્દ્રિયો દ્વારા તેને આત્મસાત કરવી પડે છે.
✍️સદા સંતાયેલી રહેતી ચીજ માણસને જેટલો સાથ આપે છે તેટલો જ દગો પણ દઈ શકે છે.
આવું હોવા છતાં મનુષ્યે કપરા સંજોગોમાં સૌથી વધુ આધાર નસીબ અને અનિશ્ચિતતા પર જ રાખવો પડે છે.
✍️જાનના જોખમે ખેડેલું સાહસ સફળ થવાની અણી પર હોય અને એક-ઝટકે બધુંયે વેરવિખેર થઈને પડી ભાંગે ત્યારે અંદરથી તૂટી જવાય છે.
✍️ અમારે માટે રહેવું અગત્યનું નથી. સાથે હોવું મહત્ત્વનું છે.
✍️ જલ્પકે કહ્યું અને ઉમેર્યું, ‘ખાટલી ભરતાં ન આવડતું હોય તો જા, આટલામાં ક્યાંક કરોળિયા જાળાં બનાવતા હશે તે જોઈ આવ.ખાટલી ભરતાં તો શું કપડાં વણતાંયે આવડી જશે.
✍️ પ્રકૃતિનો એ જ નિયમ છે. કુદરત તમને અનુભવવા દે છે. પોતે એક શબ્દ બોલતી નથી. નથી તો તે દલીલો કરતી. તોયે કશું ને કશું તમને સતત જણાવ્યે રાખે છે. કી, બીજાનો સ્વીકાર એટલે શું તે આપણને સમજાવે તેવી એક અમોઘ શક્તિ કુદરત પાસે છે. તાદાત્મ્ય.'
✍️પ્રકૃતિનો દરેક અંશ એકબીજાને અનુકૂળ થઈને જ પોતાને ટકાવે છે અને બીજાને નકારતો નથી. ન તો તે બીજાના મહત્ત્વને ઓછું થવા દેતો.’
✍️ભાષા તો વાણીનો બહુ નાનો હિસ્સો છે. તે ન સમજાય તોયે અભિવ્યક્તિ અટકી પડતી નથી. અને મૌન પણ અભિવ્યક્તિનું એક બળવાન માધ્યમ છે.' કહીને શાસ્તા મોટેથી હસ્યો અને આગળ બોલ્યો, ‘ક્યારેક તો શબ્દો કહી શકે તેના કરતાં શરીર ઘણું વધુ કહી જાય છે. એટલે તો નૃત્યો અને નાટકો સર્વવ્યાપી થયાં.
✍️ ‘કોઈ સ્થળે એક-બે રાત સૂવાથી જ જો તે સ્થળ ‘તારી જગ્યા’ થઈ જતી હોય તો તને એક સ્થળે પળભર સૂવા પણ ન દેવાય. લાંબો સમય રહેવાની વાત તો પછી આવે.’
✍️જાતને કે જગતને સમજવાના પ્રયત્નોને અંત નથી.
✍️ પરિવર્તન આપોઆપ આવે અને આપણે લાવીએ તેમ બન્ને રીતે થઈ શકે. બીજાં પણ ઘણાં કારણો બધું બદલી નાખે છે. તેમાંથી શું ઇષ્ટ છે તે તો સમય જ કહી શકે.
✍️ભૂઈમાં નાનો વીરડો પણ ગાળશો નહીં.
એકેએક ભૂઈવાસી જાણે છે કે ભૂઈમાંથી કશું લેવાય નહીં. ભૂઈને તસુ પણ ઉલેચાય નહીં. ભૂઈને ખાલી કરવાની નથી. કારણ કે તે પોતાની, અંદરની ઊર્જા ઉપર તો જીવે છે અને તમને જિવાડે છે.
ધરતીની અંદરની ઊર્જા પણ તમે લઈ લેશો તો તે જીવશે શી રીતે?
✍️પિરથીએ કહ્યું, ‘કોઈએ કોઈના જેવું વિચારવાનું કે સમજવાનું હોતું નથી. તું તું જ રહે તે પૂરતું છે.’
✍️‘તું સાથે લાવ્યો છે તેના વડે, તેં તારી અંદર કંઈ નવું નિર્માણ કર્યું ન હોય તો તેનો ઉપયોગ ક્યારેય ન કરતો.’

17/05/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભામાં આજનો નાસ્તો
સ્વ.પ્રભાતભાઇ લાલજીભાઈ વારેવડિયા ના સ્મરણાર્થે
હસ્તે શૈલેષભાઈ પ્રભાતભાઇ વારેવડીયા(સોખડાવાળા )
તરફથી સપ્રેમ 💐💐

10/05/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભા માં આજનો નાસ્તો
સ્વ.શાન્તાબેન મોહનભાઇ બરાસરા
હસ્તે રમણીકભાઇ મોહનભાઇ બરાસરા

તરફથી સપ્રેમ💐

03/05/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભામાં આજનો નાસ્તો
અશ્વિનભાઈ નરશીભાઈ વાઘેલા(નવલખી વાળા)
તરફથી સપ્રેમ 💐💐

19/04/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભા માં આજનો નાસ્તો
રવિભાઈ દેવશીભાઈ નારણિયા
તરફથી સપ્રેમ 💐

12/04/2026

શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ સંચાલિત બાલસભામાં આજનો નાસ્તો
સ્વ.શાન્તા
બેન મોહનભાઇ બરાસરા ના સ્મરણાર્થે

હસ્તે બરાસરા પરિવાર તરફથી સપ્રેમ 💐💐

જગતમા નહોત જનની (તો) હું ને તુયે ન હોત (એ) હરિવર પણ નો હોત (હોત) ભોમકા સુની ભૂપતા

04/04/2026

વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા પ્રજાપતિ સમાજના વિધાર્થીઓ માટે વરિયા બોર્ડિંગ ખાતે RTE માટેના ઓનલાઇન ફોર્મ ભરી આપવામાં આવશે..

તારીખ : 4/4/2026 થી 10/4/2026 સુધી રાત્રીના 9.00 વાગ્યેથી 10.00 વાગ્યા સુધી

*આર.ટી.ઈ.અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી પ્રવેશ અંગેની જાહેરાત..*

નમસ્કાર..

ગુજરાત સરકાર દ્વારા RTE Act. હેઠળ વર્ષ 2026-27 માં ધો.1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા

*ફોર્મ 4/4/2026 થી 17/4/2026 સુધી ઓનલાઇન ભરી શકાશે. જે ફોર્મ વરિયા બોર્ડિંગ ખાતે વિધાર્થી સહાયતા કેન્દ્ર ખાતે ભરી આપશે.*

*ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ*

➡️ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
➡️ વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
➡️ રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
➡️ વાલીનું જાતિનું પ્રમાણપત્ર
➡️ વાલીનો આવકનો દાખલો 1/4/2023 કે પછીનો
➡️ જે માતા પિતા ને સંતાનમાં ફકત એક દીકરી હોય તેના માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી - સિંગલ ગર્લ ચાઇલ્ડ- હોવાનો દાખલો
➡️ વાલીની સહી નો નમૂનો
➡️ પાનકાર્ડ
➡️ આવક અંગે નું એકરારનામું
➡️વિદ્યાર્થી નું આધાર કાર્ડ
➡️આંગણવાડી પ્રમાણપત્ર જો હોઇ તો.
➡️વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,
➡️બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

_આ સિવાય અમુક કેટેગરી માં સરકારશ્રી એ પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ આવશે._

*ફોર્મ ભરવા માટે વરીયા બોર્ડિંગે રાત્રે 9/00 થી 10/00 રૂબરૂ મળવું*

*વઘુ વિગત માટે સંપર્ક*
શિવમભાઈ : 9979111415
ભાવિનભાઈ : 9913715524
મેહુલભાઈ : 8909538888

લિ.
વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી

Address

So Ordi, Morbi 2
Morbi
363642

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Shree Variya Prajapati Vidhyotejak Mandal Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Variya Prajapati Vidhyotejak Mandal Morbi:

Share