13/02/2026
જૂનાગઢ શિવરાત્રી મેળામાં 'સેવાનો ત્રિવેણી સંગમ': શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ભવનાથમાં અવિરત અન્નક્ષેત્ર
જૂનાગઢ:
ગિરનારની ગોદમાં યોજાઈ રહેલા પવિત્ર મહાશિવરાત્રી મહોત્સવ - ૨૦૨૬ (મિની કુંભ) નિમિત્તે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ - જૂનાગઢ દ્વારા ભાવિકો માટે ભવ્ય અન્નક્ષેત્ર અને ચા-પાણીની સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથના દત ચોક ખાતે કાર્યરત આ અન્નક્ષેત્રમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સેવાકીય પ્રવૃત્તિની વિશેષતાઓ:
અવિરત ચા-પ્રસાદ: રોજના અંદાજે 60 થી 70 હજાર કપ ચાનું વિતરણ કરવામાં આવે છે.
અલ્પાહાર સેવા: દરરોજ આશરે 25 હજાર જેટલી અલ્પાહારની ડીશ શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે.
સમયગાળો: આ સેવા કાર્ય તા. 11-02-2026 થી શરૂ થઈને મેળાની પૂર્ણાહુતિ એટલે કે તા. 15-02-2026 સુધી અવિરત ચાલુ રહેશે.
આભાર દર્શન:
ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓ, ખડેપગે સેવા આપતા સ્વયંસેવકો, આશીર્વાદ આપનાર સાધુ-સંતો, તેમજ વ્યવસ્થામાં સહયોગી એવા પોલીસ પ્રશાસન, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રેસ-મીડિયા અને રાજકીય-સામાજિક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિકોને આ પ્રસાદનો લાભ લેવા અને સેવા કાર્યમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ માહિતી માટે સંપર્ક:
શ્રી સમસ્ત લેઉવા પટેલ ટ્રસ્ટ - જૂનાગઢ
📞 મો. 90933 90934
📍 સ્થળ: દત ચોક, ભવનાથ, જૂનાગઢ.
જય ભવનાથ! જય માં ખોડલ!