Voice Of Junagadh

Voice Of Junagadh " જય ગિરનારી "
(1)

09/06/2026

હમણાં નળ બંધ કરતો વાંદરાનો વીડિયો વાયરલ થયો હતો
આજે હિમાચલ પ્રદેશના રીવાલસરમાં વાંદરો કૂતરાને લઈ ને ઝાડ ઉપર ચડી ગયો હવે કૂતરો વિચારે છે ભાગવું કેમ..

09/06/2026

બેંગલુરુ અને કર્ણાટકમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે..

આપડે તો હજુ રસ્તા ખોદેલા પડ્યા છે..

08/06/2026

૮ જૂન, ૨૦૨૬ના રોજ દક્ષિણ ફિલિપાઇન્સમાં ૭.૮ ની તીવ્રતાના ભૂકંપ પછી ધ્રુજતી આ ૩૬ માળની ઇમારત.

🇵🇭

જૂનાગઢમાં તબીબી ક્રાંતિ....એલોપેથી, ચક્ર વિજ્ઞાન અને ભાવનાઓનો સમન્વય, ડૉ. પૂજાબેન ટાંક (કોયાણી) વૈશ્વિક પીએચ.ડી.ની સિદ્ધ...
08/06/2026

જૂનાગઢમાં તબીબી ક્રાંતિ....

એલોપેથી, ચક્ર વિજ્ઞાન અને ભાવનાઓનો સમન્વય, ડૉ. પૂજાબેન ટાંક (કોયાણી) વૈશ્વિક પીએચ.ડી.ની સિદ્ધિથી સન્માનિત થતા ગિરનારી ગ્રુપ દ્વારા સન્માન...

જૂનાગઢના તબીબી અને સામાજિક ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ત્વચા, વાળ અને કોસ્મેટિક સારવાર ક્ષેત્રે અગ્રણી એવા 'પ્રેરણા સ્કીન હેર એન્ડ લેસર ક્લિનિક'ના સંચાલક ડૉ. પૂજાબેન ટાંક (કોયાણી) એ વૈશ્વિક સ્તરે એક એવી શૈક્ષણિક અને તબીબી સિદ્ધિ હાસલ કરી છે, જેણે જૂનાગઢનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. યુનાઈટેડ નેશન્સ (UN) સંલગ્ન NGO દ્વારા સમર્થિત અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી દ્વારા તેમને ડૉક્ટરેટ ઓફ ફિલોસોફી (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.

આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ જૂનાગઢની પ્રતિષ્ઠિત અને સેવાભાવી સંસ્થા 'ગિરનારી ગ્રુપ' દ્વારા ડૉ. પૂજાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન અને પ્રાચીન શાણપણનો અદભુત સંગમ તાજેતરમાં મુંબઈ ખાતે પ્રતિષ્ઠિત કોન્ફરન્સ યોજાઈ હતી. આ વૈશ્વિક મંચ પર ડૉ. પૂજાબેન ટાંક (કોયાણી) એ “Emotional and Metaphysical Signatures of Skin and Hair Conditions in Women: A Chakra-Based Diagnostic Study” વિષય પર પોતાનો મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ અભ્યાસમાં મહિલાઓમાં જોવા મળતા ત્વચા અને વાળ સંબંધિત વિવિધ રોગો તથા તેમની પાછળ રહેલા ભાવનાત્મક પરિબળો અને આંતરિક ઊર્જા કેન્દ્રો વચ્ચેના ગૂઢ સંબંધનું ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવ્યું છે.

સોરઠની ધરતી પર પ્રથમવાર -

'હોલિસ્ટિક ટ્રીટમેન્ટ'નો નવો યુગ આ અભ્યાસ ત્વચા અને વાળની સારવારના ક્ષેત્રમાં એક તદ્દન નવી દિશા પ્રદાન કરનાર સાબિત થશે. જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત એ છે કે, હવે ડૉ. પૂજાબેનના ક્લિનિક પર દર્દીઓને માત્ર ઉપર છલ્લી દવાઓ (Allopathy) જ નહીં, પરંતુ રોગના મૂળ સુધી પહોંચતી હોલિસ્ટિક ટ્રીટમેન્ટ મળશે. એલોપેથી સાયન્સ, ચક્ર વિજ્ઞાન અને લાગણીઓનું સચોટ વિશ્લેષણ (Mind-Body-Energy Connect) કરીને દર્દીને સાજી કરવાની આ પદ્ધતિ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર સત્તાવાર રીતે કાર્યરત થઈ રહી છે, જેનાથી ભવિષ્યમાં અનેક દર્દીઓને વધુ અસરકારક માર્ગદર્શન તથા સ્થાયી સારવારનો લાભ પ્રાપ્ત થશે.

ડૉ. પૂજાબેનની આ નોંધપાત્ર શૈક્ષણિક અને વૈશ્વિક સિદ્ધિને બિરદાવી ગિરનારી ગ્રુપના પ્રમુખ શ્રી સમીરભાઈ દત્તાણી, શ્રી સંજયભાઈ બુહેચા, શ્રી સમીરભાઈ દવે, શ્રી ગીરીશભાઈ પાબારી તથા ગ્રુપના તમામ સભ્યો દ્વારા તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજના આરોગ્ય ક્ષેત્રમાં તેઓ સતત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. એક વિશેષ નોંધનીય બાબત અહીં એ ઉલ્લેખ કરવો અત્યંત પ્રસ્તુત અને ગૌરવપૂર્ણ છે કે, ડૉ. પૂજાબેન ટાંક (કોયાણી) એ આ વૈશ્વિક પીએચ.ડી. (Ph.D.) નું ગહન સંશોધન કાર્ય, વિશ્વમાં ચક્ર હીલિંગ (Chakra Healing) ના ક્ષેત્રે સૌપ્રથમ પીએચ.ડી. મેળવનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તજજ્ઞ ડૉ. જીતેન્દ્ર પટવારી સાહેબના પ્રત્યક્ષ માર્ગદર્શન અને છત્રછાયા હેઠળ પૂર્ણ કર્યું છે. વિશેષ આનંદની વાત એ છે કે, ડૉ. પટવારી સાહેબ પણ મૂળ જૂનાગઢના જ વતની છે, જેના કારણે આ આખી સિદ્ધિ સોરઠની ધરતી માટે બેવડું ગૌરવ લઈને આવી છે.

07/06/2026

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચોપડાઓનું વિતરણ કરાયું...

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન મળે અને જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા હેતુસર તારીખ ૦૭ મે રવિવારના રોજ સવારે ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક દરમિયાન ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ મંદિર જૂનાગઢ ખાતે નિઃશુલ્ક ૫૧૦૦ ( એકાવનસો ) ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવા યજ્ઞનુ દીપ પ્રાગટ્ય પ્રો. પી. બી. શ્રી ઉનડકટ સાહેબ (ટ્રસ્ટી શ્રી જલારામ ભક્તિ ધામ મંદિર), શ્રી મનસુખભાઈ વાજા, કે. કે. શ્રી ગોસાઈ બાપુ, ડૉ. શ્રી હાર્દિક મકવાણા સાહેબ, પી. સી. ભટ્ટભાઈ, શ્રી અરસીભાઈ રામ, શ્રી જયેશભાઈ જાદવ, શ્રી બાલુભાઈ ડાકી, શ્રી રંજનબેન પાઠક, શ્રી નગાજણભાઈ ગરેજા, શ્રી પરેશભાઈ પંડ્યા સહિત ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. જ્યારે અતિથિ વિશેષ પદે ડૉ. શ્રી ચિંતન યાદવ સાહેબ, ડૉ. શ્રી ધિરેન કપુપરા સાહેબ, ડૉ. શ્રી પ્રવીણ દુધાત સાહેબ, ડૉ. શ્રી હિરેન અખેડ સાહેબ, શ્રી વર્ષાબેન બોરીસાંગર, શ્રી આશાબેન શ્રીવાસ્તવ, શ્રી હરસુખભાઈ વડાલીયા, શ્રી સુરેશભાઈ મોણપરા, શ્રી રંજનબેન પાઠક સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેવું ગિરનારી ગ્રુપના સભ્ય શ્રી સમીરભાઈ દતાણી અને શ્રી સંજયભાઈએ જણાવ્યું હતું. ( વીડિયોમાં ચોપડા વિતરણ છે એ સરકારી શાળા અને જરૂરિયાત બાળકો માટેનું બતાવવામાં આવેલું છે. )

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગિરનારની ગ્રુપના સભ્યશ્રીઓ શ્રી દિનેશભાઈ રામાણી, શ્રી સમીરભાઈ દવે, શ્રી દેવાંગભાઈ પંડ્યા, શ્રી કિર્તીભાઈ પોપટ, શ્રી હરિભાઈ કારીયા તેમજ ગિરનારી ગ્રુપના અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

05/06/2026

જૂનાગઢ માટે નવું નઝરાણું નરસિંહ મહેતા સરોવરમાં જેસીબી ઉતારવામાં આવ્યા છે. સરોવર શરૂઆતમાં જ ખાલી નઝરે આવતા સરોવરમાં જેસીબી ઉતારી તાબડતોડ ઊંડું ઉતારવામાં આવી રહ્યું છે. નરસિંહ મહેતા સરોવર ૬૦ કરોડ આસપાસના ખર્ચે બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. હાલમાં અડધા સરોવરમાં તળિયું દેખાવા લાગ્યું છે.

આ કામગીરીને લઈને વિપક્ષ દ્વારા સરોવરની મુલાકાત કરી હતી અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રીના હસ્તે અધૂરા કામનું લોકાર્પણ કરાવવામાં આવ્યું, સરોવર ઊંડું ઉતારવામાં આવ્યું હોવાની વાત પણ પોકળ કહી હતી. બ્યુટીફીકેશનમાં બે થી ત્રણ ગણી રકમ વાપરવામાં આવી જ્યારે ફિલ્ટર પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી.

05/06/2026

ફાટક મુક્તની સામે વાંધા સૂચનો કરતી રજુઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના મધ્યમાંથી પસાર થતા સાત જેટલા રેલ્વે ફાટકો આવેલ છે. જેને થોડા દિવસો પહેલા જ ફાટક મુક્ત કરવાનું જાહેર કરી ગ્રોફેડ સ્ટેશન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

જેની સામે એડવોકેટ શ્રી અજયભાઈ મકવાણાએ કેટલાક વાંધા સૂચનો રજૂ કરી મનપાના કમિશ્નર શ્રી, કલેકટર શ્રી, ધારાસભ્ય શ્રી અને રેલ્વે સ્ટેશનના અધિક્ષકને પત્ર પાઠવ્યો છે. જેમાં ગ્રોફેડ રેલ્વે સ્ટેશન બનાવવાની જગ્યાએ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવી શહેરને ફાટક મુક્ત કરવાનો ઉલ્લેખ કરાયો છે.

04/06/2026

આગામી દિવસોમાં સ્કૂલ ખુલવાની તૈયારી, વાલીઓ સ્કૂલની વસ્તુઓ ખરીદી કરવામાં વ્યસ્ત થયા. જૂનાગઢ શહેરમાં આવેલ યુનિફોર્મ, બેગ, બુક સ્ટોર, સ્ટેશનરી જેવી દુકાનોમાં વાલીઓ ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. હવે સ્કૂલ ખુલવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સ્કૂલને લગતી દુકાનો પર ધીમે ધીમે ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

દુકાનદારોનું કહેવું છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે દરેક વસ્તુઓમાં ભાવ વધારો આવ્યો છે. વાલીઓને સ્કૂલ ખુલતા પૂર્વે જ ભાવ વધારાનો સામનો કરવો પડશે.

04/06/2026

પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં જ્યારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ મગર દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો.

મગરના રેસ્ક્યુ માટે યોગ્ય સાધનો, કુશળ ટીમ અને ચોક્કસ પદ્ધતિઓનું પાલન કરવું અનિવાર્ય છે. આનાથી માનવ વસ્તી અને વન્યજીવ બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે,

🐊

04/06/2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી હાઈવે પર હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે એક અદભૂત છતાં ભયાવહ દ્રશ્ય સર્જાયું હતું.
અચાનક ફૂંકાયેલા તેજ પવનોને કારણે એક શક્તિશાળી વંટોળ આકાશમાં દેખાયો હતો. ધ્યાન રાખજો..

Address

Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Voice Of Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Voice Of Junagadh:

Share