26/01/2026
જોડિયા હુન્નરશાળામાં પ્રજાસતાક પર્વ-૨૦૨૬ ની ગરીમાપૂર્ણ, શાનદાર, દબદબાપૂર્વક ઉજવણી
જામનગર જિલ્લાની સુપ્રસિધ્ધ, ગાંધી વિચારધારાને વરેલી, સ્વાતંત્ર્યસેનાની સ્વ.રંભાબેન ગણાત્રા (પૂ.રંભાફૈબા) સંસ્થાપિત રાષ્ટ્રવાદી મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુજાર ઉધોગ શાળામાં સ્વતંત્ર ભારતના ૭૭ માં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ, શાનદાર, ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજરક્ષક તરીકે કુ. અંજલિબા સિધ્ધરાજસિંહ કેર એ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી હતી. સંપૂર્ણ ગણવેશમાં સજ્જ શાળાની વિધાર્થીનીઓના વિવિધ વૃન્દોએ રાષ્ટ્રગીત, ઝંડાગીત, વન્દેમાતરમ્ નું તાલ સાથે તથા લયબધ્ધ રીતે સમૂહગાન કર્યું હતું અને હોશભેર ઉલ્લાસપૂર્વક કોમીનારા લગાવ્યા હતા. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ધ્વજનિક તરીકે કુ. ધાર્મિકાબા જીતેન્દ્રસિંહ કેરે પ્રવચનમાં રાષ્ટ્રના વિકાસ માટે એકતા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા હાકલ કરી હતી. ત્યારબાદ માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થિની બહેનોને સંકલ્પ લેવડાવવામાં આવેલ.
ધ્વજરક્ષક,ધ્વજનિક રાષ્ટ્રગીત, ઝંડાગીત, વંદેમાતરમ્ ના વૃન્દો,અને બાલમંદીર ના બાળકો જે ભારતમાતા,જય જવાન, જય કિશાનની વેશભૂષા ધારણ કરેલ તેમને રોકડમાં પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ તેમજ હુન્નરશાળા સંસ્થા તરફથી તેમજ પધારેલ મહેમાનો તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિધાર્થીને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
પ્રજાસતાકદિન ની રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતા પર્વમાં સંસ્થાના સર્વે મહાનુભાવો ટ્રસ્ટીશ્રી અશોકભાઇ વર્મા, શ્રીપાર્થભાઇ સુખપરિયા, શ્રીપુનિતભાઈ શેઠ, શાળાના આચાર્ય બહેનશ્રી ક્રિષ્નાબા ચુડાસમા, બાલમંદિરના આચાર્યાશ્રી વિજયાબેન મકવાણા,ગૃહમાતા શ્રી જ્યોત્સનાબા સરવૈયા, દિનેશભાઇ રાઠોડ, અલારખાભાઈ ગોધાવિયા, નરુભાઈ ગોહિલ, ભરતભાઇ આહયા, અસરફભાઇ, ચંદ્રેશ ભાઈ, યોગેશભાઇ તન્ના,, મગનભાઇ કાનાણી વગેરે અને સંસ્થા, શાળા તેમજ બાલમંદીરના દરેક કર્મચારીગણો ઉપસ્થીત રહયા હતા. ગામના આગેવાનોશ્રી ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
fans