26/08/2025
ધરમપુરના બાળકોના હાથથી સર્જાયા ઈકો-ફ્રેન્ડલી માટીના ગણપતિ
ધરમપુર : પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વિશ્વા ક્રિએટીવ આર્ટ દ્વારા દિવ્યભાસ્કર સહયોગે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ઈકો-ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવવાનો વર્કશોપ યોજાયો હતો. દીપાબેન પાનવાલા અને ઋષિતભાઈ મસરાણીના માર્ગદર્શન હેઠળ 50 જેટલા બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
બાળકોને પોતાના હાથે માટીના ગણપતિ બનાવવાનો અનોખો અનુભવ મળ્યો હતો. આ સાથે જ પર્યાવરણ બચાવ અને પરંપરા સાથે જોડાયેલા રહેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.