HariyaliDilli

HariyaliDilli HariyaliDilli is a program championed by Shree Delhi Gujarati Samaj which aims at working towards "Saving our Mother Earth".

We aim to run initiatives around tree plantation, reducing pollution and promoting reuse as well as recycling.

08/11/2024

*સજીવોમાંથી મળતી દરેક વસ્તુ પર દાતાની ભાવનાત્મક છાપ હોય છે*



એક જાણીતી ઝેન કથા છે. એક વાર એક રાજાએ તેના વૃદ્ધ સુથારને એક ટેબલ બનાવવાનું કામ સોંપ્યું. રાજાને કોઈ ચોક્કસ પ્રકારનું ટેબલ બનાવડાવવું હતું. સુથારે કહ્યું, ‘ચોક્કસ બનાવી આપીશ, પણ મને થોડો સમય આપો.’ એટલું કહીને સુથાર લાકડાં લેવા માટે જંગલમાં ચાલ્યો ગયો. છેક ત્રણ દિવસ પછી તે પાછો ફર્યો.

રાજાએ ગુસ્સામાં પૂછ્યું, ‘આટલાં ઓછાં લાકડાં લાવવામાં ત્રણ દિવસ લાગે?’ સુથારે બે હાથ જોડીને જવાબ આપ્યો, ‘ત્રણ દિવસ તો શું, ક્યારેક ત્રણ મહિના પણ લાગે અને ક્યારેક તો ત્રણ વર્ષ સુધી પણ લાકડું ન મળે.’

રાજાએ કહ્યું, ‘વિસ્તારથી સમજાવો.’

સુથારે કહ્યું, ‘લાકડાં કાપવા માટે સૌથી પહેલાં મારે ઉપવાસ પર ઊતરવું પડે. હું ઉપવાસ કરું તો જ મારી આક્રમકતા ઓછી થાય અને પછી જ મારામાં કરુણા જન્મે. એ કરુણાભાવ સાથે હું જંગલમાં જાઉં. ત્યાં જઈને ધ્યાન કરું. આસપાસ રહેલાં વૃક્ષોની વાઇબ્સ સમજવાનો પ્રયત્ન કરું. એ પછી હું દરેક વૃક્ષ પાસે જઈને વિનમ્રતાથી સવાલ કરું કે હું તમને કાપું તો વાંધો નથીને? વૃક્ષોને કાપતાં પહેલાં હું એમની મંજૂરી મેળવું. જે વૃક્ષ લાકડું આપવા તૈયાર હોય એને જ કુહાડી મારું. જો વૃક્ષ સ્વેચ્છાએ લાકડું આપે તો જ હું લઉં. બાકી વૃક્ષો પર કુહાડી ચલાવનાર હું કોણ?’

જ્યારે આ વાર્તા મેં પહેલી વાર વાંચેલી ત્યારે એનો સાર હું નહોતો સમજી શક્યો. એનું મુખ્ય કારણ એ હતું કે વૃક્ષોની ભાષા વિશે હું અજાણ હતો. વૃક્ષો પણ કમ્યુનિકેટ કરે છે એ વાત મને ત્યારે સમજાઈ જ્યારે વૃક્ષો પર લખાયેલું એક અદ્ભુત પુસ્તક ‘The hidden life of Trees’ મારા હાથમાં આવ્યું. આધુનિક વિજ્ઞાને પણ હવે એ સ્વીકાર્યું છે કે વૃક્ષો એકબીજાં સાથે અને આપણી સાથે પણ વાતો કરી શકે છે. આધુનિક ઉપકરણોની મદદથી એ જાણવું હવે શક્ય બન્યું છે કે વૃક્ષો ખુશ છે કે દુખી, કપાવવા માટે રાજી છે કે નહીં. સૉફિસ્ટિકેટેડ યંત્ર વડે હવે વૃક્ષોનો ‘ECG’ કાઢી શકાય છે. સ્ટેથોસ્કોપની મદદથી વૃક્ષોમાંથી આવતા અવાજો અને તેમનો મૂડ જાણી શકાય છે.

કુહાડી કે કરવત લઈને કઠિયારો નજીક આવે ત્યારે વૃક્ષોમાં રહેલો ડર, હવે સાબિત કરી શકાયો છે. વૃક્ષ જ્યારે ભયભીત અવસ્થામાં હોય એ સમયે જો એને કાપવામાં આવે તો એમાંથી બનતું ફર્નિચર નકારાત્મક ઊર્જા અને નેગેટિવ વાઇબ્સ લઈને આપણા ઘરમાં પ્રવેશે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણા ઘરના ફર્નિચરમાં વપરાયેલું લાકડું વૃક્ષોએ સ્વેચ્છાએ આપ્યું હશે કે ઇચ્છા વિરુદ્ધ એ આપણને કેમ ખબર પડે?

તો આનો જવાબ જૅપનીઝ હાઉસ ફિલૉસૉફીમાં રહેલો છે. એ ફિલોસૉફીનું નામ છે ‘વાશીત્સુ’. વાશીત્સુ એટલે ઘરનો એવો એક ઓરડો જ્યાં ફર્નિચર નહીંવત્ હોય. જમીન પર પાથરેલી જાજમ સિવાય એ ઓરડામાં બીજું કશું જ ન હોય. વાશીત્સુને ‘ટટામી રૂમ’ તરીકે પણ ઓળખાય છે. ટટામી એટલે જાજમ. ટૂંકમાં ઘરમાં રહેલી એવી કોઈ ખાલી જગ્યા જ્યાં બેસવા માટે ખુરશી કે સોફા પણ ન હોય. એ ઓરડામાં જાજમ પાથરીને ફરજિયાત જમીન પર બેસવાનું.

શું થાય એનાથી? વાશીત્સુના કન્સેપ્ટ પાછળનો હેતુ શું છે? તો જવાબ છે માનસિક શાંતિ. જૅપનીઝ ઘરોની આ ફિલોસૉફી એવું કહે છે કે આપણી આસપાસ ફર્નિચર જેટલું ઓછું અને મોકળાશ જેટલી વધારે, મનને મળતી શાંતિ અને ટાઢક એટલી જ વધારે. જપાનમાં વાશીત્સુ ઓરડાનો ઉપયોગ મહેમાનગતિ માટે કે ચા-કૉફી માણતી વખતે રિલૅક્સ થવા માટે કરવામાં આવે છે.

ઘરનો એક આખેઆખો ઓરડો ફક્ત વાશીત્સુ માટે આપી દેવો કદાચ આપણા માટે શક્ય ન બને, પણ હકીકત એ છે કે આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ આપણા મન અને વિચારો પર પ્રભાવ પાડે છે. ચામડું, લાકડું, કૉટન કે વુલ. સજીવોમાંથી મળતી દરેક વસ્તુ પર એના દાતાની ભાવનાત્મક છાપ રહેલી હોય છે. ક્વૉન્ટમ ફિઝિક્સ પણ હવે એ વાત સાબિત કરી ચૂક્યું છે કે આ આખું જગત ઊર્જા અને તરંગો પર ચાલે છે. એવા સમયે જે જીવોનો ઉપયોગ કરીને આપણે આપણો વૈભવ વધારીએ છીએ એ જીવો સાથેનો વ્યવહાર ફક્ત એકપક્ષીય ન હોઈ શકે.

વૃક્ષના થડ પર પ્રેમથી હાથ ફેરવીને ક્યારેય ‘થૅન્ક યુ’ કહ્યું છે? જો આ બ્રહ્માંડ તરફથી મળતી ચીજો માટે આપણામાં કૃતજ્ઞતા નથી તો આપણી આસપાસ રહેલી દરેક વસ્તુ આપણને કાયમ ખૂંચતી રહેવાની છે. સારી હોય કે ખરાબ, વાતાવરણમાં ઉત્સર્જિત કરેલી તમામ વાઇબ્સ કોઈ ને કોઈ રીતે પ્રકૃતિ આપણને જ પાછી મોકલતી હોય છે.

વાશીત્સુ એવું સમજાવે છે કે આપણી આસપાસ જેમ-જેમ આપણે પદાર્થોનો ઢગલો કરતા જઈએ છીએ તેમ-તેમ આપણામાં રહેલું ચૈતન્ય ગૂંગળાતું જાય છે. નિર્જીવોથી સતત ઘેરાયેલું સજીવ ચિત્ત મૂંઝવણ અનુભવે છે. એ મોકળાશ માગે છે. ઘરમાં આપણે ગમે તેટલું મોંઘું, આકર્ષક કે લક્ઝુરિયસ રાચરચીલું વસાવી લઈએ, અંતે તો આપણી અંદર રહેલું સજીવ તત્ત્વ વાશીત્સુ જ ઝંખે છે.

*ડૉ. નિમિત્ત ઓઝા*

02/09/2024
कितनी महान है हमारी संस्कृति! नमन है हमारे ऋषि मुनियों को 🙏 🚩इस फ़ोटो के चारों ओर तीन घेरे बने हुए हैं। जो सबसे पहला घेर...
22/07/2024

कितनी महान है हमारी संस्कृति! नमन है हमारे ऋषि मुनियों को 🙏 🚩
इस फ़ोटो के चारों ओर तीन घेरे बने हुए हैं। जो सबसे पहला घेरा है उसमें 27 नक्षत्रों के नाम हैं और उनके पौधों के भी नाम साथ में लिखे हुए हैं।
दूसरे घेरे में 12 राशियों के नाम लिखे हैं और साथ में उनके पौधों के नाम भी लिखे हुए हैं।
तीसरे घेरे में नौ ग्रहों के नाम लिखे हैं और उनसे संबंधित पेड़ पौधों के नाम भी लिखे हुए हैं। जहाँ पर पेड़ पौधे जड़ी बूटी और वृक्ष के नाम लिखे हुए हैं तो उनमें उन नक्षत्रों का या उन राशियों का या उन ग्रहों का वास होता है।
यदि हम उन पौधों जड़ी बूटियों या वृक्षों की पूजा करते हैं या उनको हम रतन की तरह धारण करते हैं तब भी हमें वे जड़ी बूटियाँ पेड़ पौधे वृक्ष लाभ प्रदान करते हैं।
जय श्री हरि भगवान विष्णु 🙏

28/05/2024
Message by InaraPlant trees & save Mother Earth
05/05/2024

Message by Inara
Plant trees & save Mother Earth

24/03/2024

Thanks Jagdeepbhai
હરિયાલી દિલ્લી ની આપણી ટીમ દ્વારા રોપાયેલા નાના છોડ ને કાળજી રાખી ઉછેરવા માટે
અને અભિનંદન આખી ટીમ ને જે આ સારા કાર્ય મા જોડાયા હતા
ઘણા ને આ જોઈને ખૂબ જ આનંદ થાશે🙏🙏🙏🙏

14/03/2024

Save water

16/04/2023

✍️
हर कोई एक छोटे से काम से शुरुआत कीजिए। इसे घर में बच्चों से लेकर बड़े तक कोई भी आसानी से कर सकता है।

पानी की बोतल आसानी से कहीं भी मिल सकती है। हर घर में हर दिन कम से कम एक या एक से अधिक प्लास्टिक की थैलियाँ आती हैं, (जैसे तेल की थैली, दूध की थैली, किराने की थैली, शैम्पू, साबुन, मैगी, कुरकुरे आदि) वही थैलियां हमें रोज कूड़ेदान की जगह पानी की बोतल में डालनी हैं।

आप सप्ताह में एक बार बोतल को भर सकते हैं और उचित ढक्कन के साथ कूड़ेदान में फेंक दें। ऐसा करने से जानवर बिखरा हुआ प्लास्टिक नहीं खाएंगे।

प्लास्टिक कचरे और पानी की बोतलों का उचित निपटान होगा। कचरा विभाग को कूड़ा जमा करने में भी सुविधा होगी।

इतने छोटे से काम से पर्यावरण, धरती और आने वाली पीढ़ी को बहुत बड़ा फायदा होगा। जितना हो सके इस काम को 100% करने की कोशिश करें, जितने समय में हर कोई कर सकता है।

शहर से लेकर गांव तक हर घर में यह आंदोलन खड़ा होना समय की मांग है। विनम्र निवेदन है कि हर घर इस जरूरत को पहचानें और इस शुभ कार्य की शुरुआत करें।

*प्लास्टिक योजना के साथ भारत।*
☕☕😊

Address

Delhi
110054

Website

Alerts

Be the first to know and let us send you an email when HariyaliDilli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share