RCC Bharuch

RCC Bharuch NGO sponcered by Rotary club of Bharuch

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગર દ્વારા શિક્ષકોને ભાષા સજ્જતાની તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંયોજ...
06/10/2025

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગર દ્વારા શિક્ષકોને ભાષા સજ્જતાની તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સંયોજક તરીકે આરસીસી ભરુચ જોડાયું હતું. જે અંતર્ગત આજરોજ તારીખ - 4/ 10/ 2025 ના રોજ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે પ્રશિક્ષક શ્રીમતી દર્શના વ્યાસ દ્વારા શિક્ષકોને ભાષા સજ્જતાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રીમતી સ્વાતિબા રાઉલજી, નારાયણ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ ઠાકર, આરસીસી પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શન, સેક્રેટરી શ્રી જતીન પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેક્ટનું ખુબ સુંદર અને સફળ સંચાલન પ્રોજેક્ટ ચેર પર્સન શ્રીમતી દર્શના વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેમને પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતી રશ્મિબેન મોદીનો સાથ સહકાર રહ્યો હતો.

રોટરી કોમ્યુનિટી કોપ્સ, ભરૂચ દ્વારા આ વર્ષે નગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં ભણતી ધોરણ 6, 7 અને 8 ની વિદ્યાર્થીનીઓ માટે "Mens...
06/10/2025

રોટરી કોમ્યુનિટી કોપ્સ, ભરૂચ દ્વારા આ વર્ષે નગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં ભણતી ધોરણ 6, 7 અને 8 ની વિદ્યાર્થીનીઓ માટે "Menstrual Hygiene Awareness Session and Sanitary Pad Distribution" નો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત તારીખ 3/ 10/ 25 અને 4/ 10/ 25 ના રોજ વેજલપુર ડુંગાજી બ્રાંચ, વેજલપુર મિશ્ર શાળા નં15, લીમડીચોક મિશ્ર શાળા ક્રમાંક 17 ખાતે વિદ્યાર્થીનીઓને આરસીસી પ્રેસિડેન્સ શ્રીમતી જાહ્નવી દર્શન દ્વારા "Menstrual Hygiene Awareness" ના વિષય પર માહિતગાર કરી ઉપસ્થિત આરસીસી બહેનોના હસ્તે સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનું સફળ અને સુંદર સંચાલન પ્રોજેક્ટ ચેરપર્સન - રૂબીનાબેન સૈયદ, પ્રોજેક્ટ ડાયરેક્ટર - રક્ષાબેન ફીટર અને મુક્તિબેન પુનાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આરસીસીને સ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકોનો સહકાર મળ્યો હતો.

https://youtu.be/-ic_te1L_wM

તારીખ - 02/10/25 ના રોજ આરસીસી સભ્યો દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમને સુતરની આંટી અને ફુલ અર્પણ કરવ...
04/10/2025

તારીખ - 02/10/25 ના રોજ આરસીસી સભ્યો દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમને સુતરની આંટી અને ફુલ અર્પણ કરવામાં આવ્યા અને લાલ બહાદુર શાસ્ત્રીજી જયંતિ નિમિત્તે આરસીસી સંચાલિત પુસ્તકઘર, ઝાડેશ્વર ખાતે શાસ્ત્રીજીના ફોટાને ફુલ અર્પણ કરી તેઓની સ્મૃતિઓને યાદ કરવામાં આવી. સમગ્ર પ્રોજેક્ટનો સુંદર અને સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ તાપીયાવાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આરસીસી પાસ પ્રેસિડન્ટ અને સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

તારીખ 2 /10 /2025 ના રોજ આરસીસી દ્વારા શેરી ગરબા સ્પર્ધા - 5 નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમ...
04/10/2025

તારીખ 2 /10 /2025 ના રોજ આરસીસી દ્વારા શેરી ગરબા સ્પર્ધા - 5 નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આરસીસી પ્રેસિડન્ટ શ્રીમતી જાહ્નવી દર્શન દ્વારા સ્વાગત પ્રવચન થકી સૌને આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી કલબ ના પ્રેસિડેન્ટ C.A. ભાવેશ હરિયાણી, આરસીસી ચેર Rtn. ડો. પાર્થ બારોટ, રોટરી કલબ ના સેક્રેટરી C.A. અક્ષર મહેતા, મધર કેર હોસ્પિટલના ડો. ફાલ્ગુની ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં વિજેતાઓને પ્રાચીન અને અર્વાચીન કેટેગરીમાં એમ કુલ ત્રણ ત્રણ ઇનામો, સર્ટિફિકેટ અને ટ્રોફી સાથે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકો માટેની અલગ કેટેગરીમાં પણ ત્રણ ઇનામો અને ટ્રોફીનું વિતરણ મહાનુભાવો તથા કાર્યક્રમમાં ડોનેશન આપનાર દાતાઓ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સર્વ ભાગ લેનાર ગ્રુપને સ્મૃતિ ભેટ અને સર્ટિફિકેટ એનાયત કરીને ભાગ લેનાર તમામ ગ્રુપોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની સફળતાનો શ્રેય પ્રોજેક્ટ ચેરપર્સન સ્મિતાબેન સોની, પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્રુમાલીબેન દેસાઈ, રાજકમલભાઈ સોની, પ્રજ્ઞેશ દલવાડી અને સુનય સોનાવાલાને જાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ કો. ચેર પર્સન નીનાબેન દલવાડી અને પ્રોજેક્ટ કો. ડાયરેક્ટર જિજ્ઞાસાબેન સોનાવાલાએ MOC દ્વારા કર્યું હતું. આ પ્રસંગે આરસીસી પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શન દ્વારા MOC કરતી બહેનો તથા પ્રોજેક્ટ ચેર પર્સન અને ડાયરેક્ટરને સ્મૃતિ ભેટ આપી બીરદાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આરસીસીના પાસ્ટ પ્રેસિડેન્ટસ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સેક્રેટરી જતીન પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

રોટરી કોમ્યુનિટી કોપ્સ ભરૂચ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચાલતો શેરી ગરબા સ્પર્ધાનો પ્રોજેક્ટ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધા - ...
24/09/2025

રોટરી કોમ્યુનિટી કોપ્સ ભરૂચ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ચાલતો શેરી ગરબા સ્પર્ધાનો પ્રોજેક્ટ આ વર્ષે પણ શેરી ગરબા સ્પર્ધા - 5 અંતર્ગત તારીખ - 22 /9 /25 થી શરૂ થયેલ છે અને ભરૂચ તથા અંકલેશ્વર ની વિવિધ ગ્રુપની બહેનો અને સ્કૂલોની વિદ્યાર્થીનીઓ એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહેલ છે. સફળતાપૂર્વક ચાલતા આ પ્રોજેક્ટમાં આરસીસી ભરુચને પાંચબત્તી અને તવરા ખાતે આવેલ મધર કેર હોસ્પિટલ ના ડોક્ટર ચિંતન ઠક્કર અને ડોક્ટર ફાલ્ગુની ઠક્કર દ્વારા દાન પ્રાપ્ત થયેલ છે. સમગ્ર પ્રોજેક્ટનું સફળ સંચાલન છેલ્લા ચાર વર્ષથી પ્રોજેક્ટ ચેરપર્સન શ્રીમતી સ્મિતાબેન સોની, પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્રુમાલીબેન દેસાઈ, પ્રોજેક્ટ કો. ચેરપર્સન નીના દલવાડી તેમજ પ્રોજેક્ટ કો. ડાયરેક્ટર જીજ્ઞાસા સોનાવાલા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

તારીખ 20/09/2025 શનિવારના રોજ આરસીસી પ્રમુખ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ "ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ" ખાતે બપોરનો ન...
22/09/2025

તારીખ 20/09/2025 શનિવારના રોજ આરસીસી પ્રમુખ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ "ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ" ખાતે બપોરનો નાસ્તો અને સાંજના ભોજનની સેવાનો કાર્યક્રમ રાખેલ હતો. સમગ્ર પ્રોજેક્ટના સ્પોન્સરર પ્રોજેક્ટ ચેરમેન વિશાલભાઈ મહેતા હતા. પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટે ખુબ સુંદર વ્યવસ્થા કરી હતી. આરસીસીના PP અને આરસીસી સભ્યોએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. પ્રોજેક્ટમાં ચિલ્ડ્રન હોમના બહેનોએ ખુબ જ સરસ આવકાર આપ્યો હતો. અને તેમણે આરસીસીના સેવા કાર્યોને બિરદાવ્યા હતા.

આરસીસી ભરુચ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં "આંગણવાડી સેવા સપ્તાહ" ની  ઉજવણી કરવામાં આવી હતી ભાદરવો એ શ્રદ્ધાનો મહિનો ગણાય અને શ્...
22/09/2025

આરસીસી ભરુચ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં "આંગણવાડી સેવા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી હતી


ભાદરવો એ શ્રદ્ધાનો મહિનો ગણાય અને શ્રાદ્ધ પક્ષમાં આપણે પુણ્યના કામો કરતા હોઈએ છીએ. આ જ બાબતને ધ્યાનમાં રાખીને રોટરી કોમ્યુનિટી કોપ્સ, ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ તારીખ - 16 થી 19 સપ્ટેમ્બર 2025 સુધી સતત "આંગણવાડી સેવા સપ્તાહ" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુથીયાપુરા આંગણવાડી, જયપ્રકાશ આંગણવાડી, બમ્બાખાના આંગણવાડી, નાની બજાર આંગણવાડી, લીમડીચોક વોર્ડ નંબર ૧/૪ આંગણવાડી, વોર્ડ નંબર ૧/૫ આંગણવાડી, તાડીયા આંગણવાડી એમ કુલ 7 આંગણવાડીમાં બાળકોને જરૂરી વસ્તુઓ જેવી કે, બેસવા માટે ખુરશીઓ, શેત્રંજીના પટ્ટા, કુકર, સ્ટીલની ડિશો, ચમચીઓ, નાસ્તાના પેકેટો, ફ્રુટ અને ચોકલેટો ના વિતરણ અંગેની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટનું સુંદર આયોજન પ્રોજેક્ટ ચેરમેન સુનયભાઈ સોનાવાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રજ્ઞેશભાઈ દલવાડી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતું. આરસીસીના સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવતા દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે દરેક આંગણવાડી બહેનોનો ખુબ જ સાથ સહકાર આરસીસી પરિવારને સાંપડયો હતો. સમગ્ર સપ્તાહની ઉજવણી બાદ આરસીસી સેક્રેટરી જતીનભાઈ પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

તારીખ 15/09/2025  અને તારીખ - 21/9/25 ના રોજ પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા ...
22/09/2025

તારીખ 15/09/2025 અને તારીખ - 21/9/25 ના રોજ પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ સેવાયજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાશ્રીત લોકોને ભોજનની સેવા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન કવિતાબેન મોદી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મુકેશભાઈ તાપીયાવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આરસીસીના સભ્યો હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ પ્રોજેક્ટ ચેરમેન કવિતાબેન મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

તારીખ: 14/09/2025 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ શ્રી ભાવેશ હરિયાણી અને આરસીસી પ્રમુખ શ્રીમતી જાહૃવી દર્શનના માર્ગદર...
16/09/2025

તારીખ: 14/09/2025 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ શ્રી ભાવેશ હરિયાણી અને આરસીસી પ્રમુખ શ્રીમતી જાહૃવી દર્શનના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરસીસી ભરૂચના સંયુક્ત ઉપક્રમે "Timeless Management of Chhatrapati Shivaji Maharaj" વિષય ઉપર વર્ષાબેન તથા તેમની ટીમ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનુ શૌર્ય, ટાઈમ મેનેજમેન્ટ અને પ્લાનિંગ પર સુંદર વક્તવ્ય P. D. Shroff Hall ખાતે આપવામાં આવ્યું હતું. રોટરી પ્રેસિડન્ટ શ્રી ભાવેશભાઈ હરિયાણીના હસ્તે તેઓની ટીમને સર્ટિફિકેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરસીસી, ભરૂચ તરફથી તેમની ટીમના તમામ સભ્યોને મોમેન્ટો આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું સુંદર અને સફળ સંચાલન પ્રોજેક્ટ ચેરમેન દર્શનભાઈ ભટ્ટ તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેન્દ્રભાઈ બકરે દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી કલબ તથા આરસીસીના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે જોઈન્ટ સેક્રેટરીશ્રી અશ્વિન મોદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

તારીખ 13/09/2025 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ શ્રી ભાવેશ હરિયાણી અને આરસીસી પ્રમુખ શ્રીમતી જાહૃવી દર્શનના માર્ગદર્...
14/09/2025

તારીખ 13/09/2025 ના રોજ રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ શ્રી ભાવેશ હરિયાણી અને આરસીસી પ્રમુખ શ્રીમતી જાહૃવી દર્શનના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરસીસી ભરૂચના સંયુક્ત ઉપક્રમે "Importance of Financial Planning, Will Planning and Estate Planning" વિષય ઉપર જે. કે. ઇન્વેસ્ટમેન્ટના શ્રી સમીરભાઈ ઠક્કરના વક્તવ્યનું આયોજન P. D. Shroff Hall ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ રોટરી પ્રેસિડન્ટ શ્રી ભાવેશભાઈ હરિયાણીના હસ્તે સમીરભાઈને સર્ટિફિકેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી સમીરભાઈ દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં જરૂરી અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સભ્યો દ્વારા પુછાયેલા બધા જ પ્રશ્નોના સંતોષકારક જવાબ પણ આપવામાં આપ્યા હતા. આરસીસી મેમ્બર શ્રી દર્શન ભટ્ટની સ્પોન્સરશિપ થકી સમીરભાઈને એક મોમેન્ટો આપવામાં આવ્યો હતો. સમગ્ર પ્રોજેક્ટનું સુંદર અને સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન શ્રી વિરલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી કલબ તથા આરસીસીના સભ્યોએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે જોઈન્ટ સેક્રેટરીશ્રી અશ્વિન મોદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

તારીખ 13/09/2025 ના રોજ આરસીસી પ્રમુખ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ ઉન્નતિ વિદ્યાલય  ખાતે "ધાર્મિક કિવઝ" નો કાર્ય...
14/09/2025

તારીખ 13/09/2025 ના રોજ આરસીસી પ્રમુખ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ ઉન્નતિ વિદ્યાલય ખાતે "ધાર્મિક કિવઝ" નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો હતો. વિદ્યાર્થીઓને હાજર રહેલ આરસીસી મેમ્બર દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને સાચા જવાબ આપવા બદલ દરેક વિદ્યાર્થીઓને આરસીસી દ્વારા પેન ગિફ્ટ આપવામાં આવી હતી. સમગ્ર પ્રોજેક્ટને સુંદર રીતે સફળ બનાવવા માટે ચેરપર્સન P.P. સંગીતાબેન કાપડિયા તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર અલ્પાબેન કાપડિયા એ ઘણી સારી તૈયારી કરી હતી.
સમગ્ર કાર્યક્રમમાં ઉન્નતિ સ્કૂલના શ્રી જીતેન્દ્રભાઈ દ્વારા તેમજ શાળાના આચાર્ય શ્રીમતી શોભનાબેન ગોહિલ અને શિક્ષક ગણનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. આરસીસીના સભ્યોએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે જો. સેક્રેટરી અશ્વિન મોદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

તારીખ 08/09/25 ના રોજ આરસીસી ભરુચ દ્વારા  "આવો પુસ્તકને મળીએ" અંતર્ગત આરસીસી લાઇબ્રેરી ઝાડેશ્વર ખાતે આરસીસી પ્રેસિડેન્ટ ...
11/09/2025

તારીખ 08/09/25 ના રોજ આરસીસી ભરુચ દ્વારા "આવો પુસ્તકને મળીએ" અંતર્ગત આરસીસી લાઇબ્રેરી ઝાડેશ્વર ખાતે આરસીસી પ્રેસિડેન્ટ શ્રીમતી જાહ્નવી દર્શનના નેતૃત્વ હેઠળ વક્તા શ્રીમતી કિરણ જોગીદાસ 'રોશન' દ્વારા તેમના જ ગઝલ સંગ્રહ "ક્યાં ખબર હતી" ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તથા તેઓએ પોતાની ગઝલો દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં સૌપ્રથમ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જોગેશભાઈ મોદી દ્વારા આજના વક્તા શ્રીમતી કિરણ જોગીદાસનો પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રેસિડન્ટ શ્રીમતી જાહ્નવી દર્શન દ્વારા પ્રસંગને અનુરૂપ ગઝલો દ્વારા વક્તા ના પ્રવચનને બિરદાવામાં આવ્યું હતું આ પ્રસંગે આરસીસી ના PP તેમજ હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ બારોટ દ્વારા વક્તાને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન દર્શનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં આરસીસી સભ્યો અને લાઇબ્રેરીના વાચકોએ હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.તેમજ વક્તા દ્વારા આરસીસી લાઇબ્રેરી ઝાડેશ્વરને તેમની ગઝલ સંગ્રહ "ક્યાં ખબર હતી" પુસ્તક રૂપી ભેટ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં લાઇબ્રેરીયન ભીખાભાઈનો ખૂબ સાથ સહકાર રહ્યો હતો.

Address

Station Road
Bharuch
392011

Website

Alerts

Be the first to know and let us send you an email when RCC Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share