10/05/2026
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા આજરોજ ભરૂચ શહેરના આંગણે એક ભવ્ય સન્માન સમારોહ "ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં ઉત્કૃષ્ટ સેવાકીય યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મુખ્ય અતિથિ વિશેષ આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર ડો. સંતોષ બજાજ (ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેરમેન, IHRSJC) હાજરી આપી હતી.
તેમજ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજયસિંહ રાણા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
*અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સન 2003 થી શિક્ષણ , દિવ્યાંગ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલ છે. આ સન્માનનીય ક્ષણે, અસ્મિતા વિકાસ કેન્દ્રને પણ આ ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું.*
"IHRSJC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ સમાજ સેવા, કલા, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં અપ્રતિમ કામગીરી કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ ભરૂચના ગૌરવવંતા નાગરિકો માટે એક ગૌરવની ક્ષણ બની રહેશે. " અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ને, સન્માન કરી બિરદાવવા બદલ આપ સહુ મહાનુભવોશ્રી , આયોજકશ્રી ઓ નો અસ્મિતા પરિવાર રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.🙏🏻ધન્યવાદ 🙏🏻