SPG Bharuch

SPG Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SPG Bharuch, Youth Organization, bharuch, Bharuch.

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)એ ગુજરાત રાજ્યમાં કાર્યરત એક સમાજસેવી સંસ્થા છે. જે વિવિધ સામાજિક, શૈક્ષણિક, અને રાષ્ટ્રસેવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કાર્યરત છે. આપણા લાડીલા શ્રી લાલજી ભાઈ ની આગેવાની માં ચાલતી ભારત ની સૌથી મોટી બિન રાજકીય સંસ્થા છે.

જય સરદાર…જય માં ઉમા–ખોડલ…આજે શ્રી સરદાર પટેલ સેવાદળ–SPG પરિવાર માટે ગર્વ અને ભાવુકતાની ક્ષણ છે.સમર્પિત આગેવાનો અને યોદ્ધ...
12/04/2026

જય સરદાર…
જય માં ઉમા–ખોડલ…
આજે શ્રી સરદાર પટેલ સેવાદળ–SPG પરિવાર માટે ગર્વ અને ભાવુકતાની ક્ષણ છે.
સમર્પિત આગેવાનો અને યોદ્ધા કાર્યકર્તાઓની અવિરત મહેનત, એકતા અને સેવાભાવના પરિણામે સ્વ. રોહિતભાઈ પટેલના પરિવાર માટે *માત્ર 72 કલાકમાં* *₹19,14,008/-* નું સ્મૃતિદાન એકત્ર થયું — આ માત્ર રકમ નથી, આ SPG પરિવારની સંવેદના, સંકલ્પ અને સંગઠનની શક્તિનો જીવંત પુરાવો છે.
આ દુઃખની ઘડીએ આપણે સૌ એક પરિવાર બનીને ઉભા રહ્યા છીએ — એ જ SPG ની સાચી ઓળખ છે.
હજુ પણ સ્મૃતિદાનની આ સરવાણી વધુમાં વધુ ઊંચાઈએ પહોંચે તેવી અપેક્ષા સાથે નમ્ર વિનંતી છે 🙏

*લાલજીભાઈ પટેલ
રાષ્ટ્રીય અધ્યક્ષ-SPG*

જે મિત્રોનો સહયોગ બાકી હોય તેઓ કૃપા કરીને SPG ના બારકોડ પર દાન કરી તેનો સ્ક્રીનશોટ SPG ઓફિસ નં. 7043323233 પર મોકલી આપશો, જેથી આપનું નામ દાતાશ્રી યાદીમાં સન્માનપૂર્વક ઉમેરાઈ શકે.
ચાલો, એક દુઃખી પરિવારને માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ માનસિક બળ અને એકતાનો સંદેશ પણ આપીએ.

​🏦 આર્થિક મદદ કરવા માટેના વિકલ્પો: 🏦
​(૧) 🏛️ બેંકમાં ડાયરેક્ટ પેમેન્ટ કરવા માટે:
🔹 A/C NO: 00011001025006
🔹 IFSC CODE: MSNU0000001
🔹 NAME: SHRI SARDAR PATEL SEVADAL
🔹 BRANCH: MEHSANA HEAD OFFICE URBAN BANK

​(૨) 📲 GOOGLE PAY / PHONEPE:
(આપેલ કોડ પર સ્કેન કરો...)

*એકતા – વિશ્વાસ – સેવા…એ જ SPG ની ઓળખ!*
*સહકારની અપેક્ષા સહ…*

જેમના આશીર્વાદ અને ઉચ્ચ સંસ્કારો હંમેશા માર્ગદર્શક બની રહ્યા છે, તેવા SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલના પૂજ્...
04/04/2026

જેમના આશીર્વાદ અને ઉચ્ચ સંસ્કારો હંમેશા માર્ગદર્શક બની રહ્યા છે, તેવા SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલના પૂજ્ય પિતાશ્રી સ્વ. ડાહ્યાભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન.

તેમની ભૌતિક ગેરહાજરી ભલે વર્તાતી હોય, પણ તેમની અદ્રશ્ય છત્રછાયા હંમેશા પરિવાર પર બની રહે તેવી પરમ પિતા પરમેશ્વર ને પ્રાર્થના.

ૐ શાંતિ 🙏

📢 સમસ્ત પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોને સરદાર પટેલ સેવા દળ (SPG) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ તરફથી મહત્વપૂર્...
31/03/2026

📢 સમસ્ત પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોને સરદાર પટેલ સેવા દળ (SPG) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ તરફથી મહત્વપૂર્ણ સંદેશ :

જે પાટીદાર પરિવારની વાર્ષિક આવક ₹ 8,00,000/- કરતાં ઓછી છે તેવા તમામ પાટીદાર પરિવારોને મારી ખાસ વિનંતી છે કે તેઓ તાત્કાલિક EWS પ્રમાણપત્ર બનાવે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું 10% EWS આરક્ષણ આપણા સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે મોટી તક અને સશક્તિકરણનું સાધન છે.
આ આરક્ષણનો લાભ પાટીદાર સમાજના હજારો પરિવારો લઈ શકે છે, પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો હજુ વંચિત છે.

🎓 શૈક્ષણિક ક્ષેત્રમાં લાભ :
11-12, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન,
B.A., B.Sc., B.Com., D.El.Ed., B.Ed., LLB,
મેડિકલ, ફાર્મસી, નર્સિંગ, એન્જિનિયરિંગ, પોલિટેકનિક સહિત
તમામ અભ્યાસક્રમોમાં 10% બેઠકો EWS માટે આરક્ષિત છે તથા ફીમાં પણ રાહત મળે છે.

💼 સરકારી નોકરીમાં લાભ :
વર્ગ-4 થી વર્ગ-1 સુધીની (કોન્સ્ટેબલથી કલેક્ટર સુધી)
દરેક સરકારી ભરતીમાં 10% આરક્ષણ ઉપલબ્ધ છે.

📄 આ લાભ લેવા માટે જરૂરી બાબત :
➡️ EWS પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે.

🏢 પ્રમાણપત્ર ક્યાંથી બનાવવું ?
તમારા તાલુકાના સેતુ સુવિધા કેન્દ્ર / ઇ-સેવા કેન્દ્ર / તાલુકા વિકાસ અધિકારીની કચેરી પરથી સરળતાથી અરજી કરી શકાય છે.

🙏 મારી સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો, યુવા મંડળો, મહિલા મંડળો અને દરેક પરિવારને ખાસ અપીલ છે કે
સમાજના પાત્ર પરિવારો સુધી આ માહિતી પહોંચાડો અને દરેક પાત્ર પરિવારનું EWS પ્રમાણપત્ર બનાવવામાં સહયોગ આપો.

📣 ચાલો સાથે મળીને પાટીદાર સમાજના શિક્ષણ અને રોજગાર ક્ષેત્રમાં નવી તકો ઉભી કરીએ. 🚩

આ સંદેશ દરેક પાટીદાર પરિવાર સુધી જરૂર પહોંચાડશો. 🙏






PatidarUnity
SocialAwareness
EWSCertificate
PatidarYouth
SamajVikas

પ્રાંતિજ, જિલ્લો - સાબરકાંઠા.​વિષય: પ્રાંતિજ ખાતે આવેલી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અસામાજ...
25/03/2026

પ્રાંતિજ, જિલ્લો - સાબરકાંઠા.

​વિષય: પ્રાંતિજ ખાતે આવેલી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અસામાજિક તત્વો દ્વારા થયેલ ઘોર અપમાન મામલે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવા બાબત.

​શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) - ગુજરાત પ્રદેશ આપ સાહેબશ્રીને અત્યંત આક્રોશ અને રોષ સાથે જણાવે છે કે, તાજેતરમાં પ્રાંતિજ મુકામે કેટલાક રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વો દ્વારા આપણા સૌના આદર્શ અને અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું પ્રાંતિજ ખાતે જે અપમાન કરવામાં આવ્યું છે, તે અત્યંત નિંદનીય અને શરમજનક છે.

​આ કાયરતાપૂર્ણ કૃત્યથી સમગ્ર ગુજરાત, પાટીદાર સમાજ અને પ્રત્યેક રાષ્ટ્રપ્રેમી નાગરિકની લાગણીઓ બુરી રીતે દુભાઈ છે. સરદાર સાહેબ, જેમણે આખો દેશ એક કર્યો, તેમનું અપમાન એ સમગ્ર રાષ્ટ્રનું અને સમાજનું અપમાન છે, જેને કોઈપણ કાળે સાંખી લેવામાં આવશે નહીં.

​આથી, SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલના નેતૃત્વ અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ, શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) - ગુજરાત પ્રદેશ સ્થાનિક પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગણી કરે છે.

​તાત્કાલિક ધરપકડ: આ હલકી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વોને સત્વરે શોધી કાઢી તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે.

​દાખલારૂપ સજા: આવા તત્વો સામે કડકમાં કડક કલમો હેઠળ ગુનો નોંધી, એવી સખ્ત સજા ફટકારવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મહાપુરુષોની પ્રતિમાઓ તરફ આંખ ઉઠાવવાની હિંમત ન કરી શકે.

​ખાસ નોંધ: જો આગામી સમયમર્યાદામાં (૪૮ કલાકની અંદર) પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે સંતોષકારક અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા આખા પ્રાંતિજ અને જરૂર પડ્યે સમગ્ર ગુજરાત સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

🙏જય મા ઉમાખોડલ🙏એકતા અને શક્તિ: શ્રી સરદાર પટેલ સેવાદળ SPG સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો પર ચાલીને પાટીદાર સમાજને એકતાના ત...
22/03/2026

🙏જય મા ઉમાખોડલ🙏
એકતા અને શક્તિ:

શ્રી સરદાર પટેલ સેવાદળ SPG સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો પર ચાલીને પાટીદાર સમાજને એકતાના તાંતણે બાંધવાનું અને તેમના હકો માટે નિડરતાથી અવાજ ઉઠાવવાનું કામ કરે છે.

​અતૂટ વિશ્વાસ: જ્યારે પણ સમાજ પર કોઈ મુશ્કેલી આવી છે કે સમાજના યુવાનોને માર્ગદર્શનની જરૂર પડી છે, ત્યારે SPG એક મજબૂત ઢાલ બનીને ઊભું રહ્યું છે. આ જ કારણ છે કે તે સમાજનો "ભરોસો" છે.

​ગૌરવનું પ્રતીક:

SPG લોગો એ કોઈ સામાન્ય ચિહ્ન નથી. તે લાખો પાટીદારોના ગૌરવ, સેવાભાવ અને તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે.

​ટૂંકમાં, SPG એટલે પાટીદાર સમાજની તાકાત, અવાજ અને અતૂટ સન્માન.

🙏 જય મા ઉમાખોડલ 🙏જય સરદાર! જય પાટીદાર!યુગ બદલાય છે, પણ આપણી ખુમારી અને એકતા અકબંધ છે! પાટીદાર સમાજ હંમેશાં રાષ્ટ્ર અને સ...
20/03/2026

🙏 જય મા ઉમાખોડલ 🙏
જય સરદાર! જય પાટીદાર!

યુગ બદલાય છે, પણ આપણી ખુમારી અને એકતા અકબંધ છે! પાટીદાર સમાજ હંમેશાં રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં અગ્રેસર રહ્યો છે. પરંતુ વર્તમાન સમયના સામાજિક પડકારો અને બદલાતા પ્રવાહો વચ્ચે, હવે સમય આવી ગયો છે એક નવી સામાજિક ક્રાંતિનો!

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને નસોમાં વહાવતા આપણા શ્રી સરદાર પટેલ સેવાદળ SPG દ્વારા, સમાજના અસ્તિત્વ, ગૌરવ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક અને અગત્યની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ચિંતન શિબિરના મુખ્ય અને ગંભીર વિષયો

લગ્ન નોંધણી કાયદામાં સુધારો: આપણી દીકરીઓ, આપણા પરિવારો અને સમાજના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વર્તમાન કાયદામાં સુધારા લાવવા અવાજ બુલંદ કરવો. આ માત્ર કાયદાની વાત નથી, આ આપણા સમાજની દીકરીઓના સન્માન અને રક્ષણની લડાઈ છે!

સંગઠન મજબૂતી: "સંગઠિત સમાજ એ જ અજેય શક્તિ" - આજના યુગમાં આપણા હકો અને અધિકારો માટે વિખેરાયેલી તાકાતને એકત્ર કરી, એક મજબૂત વટવૃક્ષ બનવાનો અને નવી પેઢીને સંગઠિત કરવાનો સંકલ્પ.
આ કોઈ સામાન્ય સભા નથી, આ આપણા સમાજના ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા ઘડતો મહાસંગ્રામ છે. જ્યારે સમાજના હિતની વાત આવે ત્યારે ઘરમાં બેસી રહેવું એ પાટીદારની તાસીર નથી. આવો, એક બનીએ, નેક બનીએ અને સમાજના ઉત્કર્ષ માટે રણશિંગુ ફૂંકીએ!

🗓️ કાર્યક્રમની વિગતો:

તારીખ: ૨૧/૦૩/૨૦૨૬, શનિવાર
સમય: રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ: સાઈ એન્કલેવની સામે, સાઈરુદ્રની બાજુમાં, એટલાન્ટા મોલની પાછળ, અલથાણ, સુરત.

દરેક પાટીદાર ભાઈઓ, વડીલો અને યુવા સિંહોને આ ચિંતન શિબિરમાં સામાજિક ક્રાંતિની મશાલ પ્રગટાવવા અને સમાજના હિતમાં આહુતિ આપવા ફરજિયાત અને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આહવાન છે.

"એક તીર એક કમાન, બધા પાટીદાર એક સમાન!"

19/03/2026

સરદાર પટેલ સેવાદળ નાં સભ્ય શ્રી નિતીન વિષ્ણુભાઈ પટેલ – મહેસાણા પરા વિસ્તાર .

સમાજમાં સાચી એકતા શું હોય છે અને “પરિવાર” શબ્દનો સાચો અર્થ શું છે, તેનું જીવંત ઉદાહરણ મહેસાણા પરા વિસ્તારના રહેવાસી ને જાણવામળ્યું પરિવાર પર આર્થિક સંકળામણનો સમય આવ્યો, ત્યારે કોઈ વિચાર કર્યા વગર સરદાર પટેલ સેવા દળ ( ) મહેસાણા ઓફિસના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ એક સાચા ભાઈ તરીકે તાત્કાલિક દોડી આવ્યા.
આ માત્ર આર્થિક સહાય નહોતી, આ તો વિશ્વાસ, લાગણી અને સંકળાયેલા સંબંધોની શક્તિ હતી. જે પરિવાર આખા દિલથી SPG સાથે જોડાયેલો છે, તેમના માટે SPG પણ એ જ દિલથી હંમેશા ઉભું રહે છે — આ છે સાચી સંસ્થા અને સભ્યત્વની તાકાત.
આવો સંદેશ માત્ર એક ઘટના નથી, પણ યુવાનો માટે પ્રેરણા છે —
👉 સમાજ સાથે જોડાયેલા રહો
👉 એકબીજાની મુશ્કેલીમાં સાથે ઊભા રહો
👉 સેવા અને સહકારને જીવનનો ભાગ બનાવો
જ્યારે આપણે “હું”માંથી “અમે” બનીએ છીએ, ત્યારે જ સમાજ મજબૂત બને છે.
SPG સંસ્થા એ સાબિત કરે છે કે સેવા, એકતા અને સમર્પણથી કોઈપણ મુશ્કેલી નાની બની જાય છે.
ચાલો, આપણે પણ આવી માનવતાની ચેઇનનો ભાગ બનીએ — કારણ કે સાચી શક્તિ એકતા અને સેવા માં જ છે. 💪

👑

19/03/2026

SPG હૈ તો ચિંતા કિસ બાત કી… 🤝
વિજાપુર તાલુકાના મણીપુરા ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) ગ્રુપ દ્વારા પિતા વિહોણા પરિવારને આર્થિક સહયોગ આપી માનવતા અને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
સમાજ સેવા પરમો ધર્મના સિદ્ધાંત સાથે SPG સતત સમાજના દુઃખમાં સાથ આપી રહ્યું છે. 🌼🙏


શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)​પાટીદાર સમાજનો અતૂટ વિશ્વાસ અને મુશ્કેલીનો સૌથી મોટો સથવારો!​"SPG હૈ તો ચિંતા કિસ બાત કી......
19/03/2026

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)

​પાટીદાર સમાજનો અતૂટ વિશ્વાસ અને મુશ્કેલીનો સૌથી મોટો સથવારો!

​"SPG હૈ તો ચિંતા કિસ બાત કી..."

નિરાશામાં ખભે હાથ મૂકીને અપાતો એક જ ભરોસો:
"તું ટેન્શન ના લે, અમે કંઈક કરીએ છીએ..."

​આ જ હૂંફ અને સાથનું બીજું નામ છે આપણો SPG પરિવાર.

​લાલજીભાઈ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ.

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)શ્રી સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Group - SPG) એ ગુજરાતમાં, ખાસ કરીને પાટીદાર સમાજમાં, એક...
19/03/2026

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)

શ્રી સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Group - SPG) એ ગુજરાતમાં, ખાસ કરીને પાટીદાર સમાજમાં, એક મોટું અને પ્રભાવશાળી સામાજિક સંગઠન છે.

👉સ્થાપના: સત્તાવાર રીતે SPG ની શરૂઆત ૧૯૯૬ (1996) ની આસપાસ થઈ હતી.

👉મુખ્ય હેતુ: સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોથી પ્રેરિત થઈને સમાજમાં એકતા, શિસ્ત અને સામાજિક ઉત્થાન લાવવું.

👉સામાજિક પ્રવૃત્તિઓ: SPG માત્ર એક આંદોલનકારી સંગઠન નથી. તે સેવા કાર્યોમાં પણ અગ્રેસર છે. જેમાં જરૂરિયાતમંદ પાટીદાર પરિવારોને આર્થિક સહાય, મેડિકલ સહાય, ૨૪/૭ ઈમરજન્સી સપોર્ટ અને શૈક્ષણિક મદદનો સમાવેશ થાય છે. આજે આ સંગઠન પાસે 27,000 થી વધુ સક્રિય SPG લાઈફટાઈમ મેમ્બર હોવાનું મનાય છે.

👉વર્તમાન સામાજિક લડત: હાલમાં SPG દીકરીઓના ભવિષ્ય અને સામાજિક સુરક્ષાને લઈને 'ભાગેડુ લગ્નો' અને 'મૈત્રી કરાર' સામે લડી રહ્યું છે. તેમની મુખ્ય માંગ છે કે સરકાર લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરે અને તેમાં માતા-પિતાની સંમતિ (સહી) ફરજિયાત બનાવે.

🙏શ્રી લાલજીભાઈ પટેલ: નેતૃત્વ અને સંઘર્ષ

👉લાલજીભાઈ પટેલ એ SPG ના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે. મહેસાણાને પોતાનું મુખ્ય મથક (હેડ ઓફિસ) બનાવીને તેમણે દાયકાઓથી સમગ્ર ગુજરાતમાં આ સંગઠનનો વ્યાપ વધાર્યો છે.

👉વિચારધારા: લાલજીભાઈનું સ્પષ્ટ માનવું છે કે "સમાજની સાચી તાકાત શબ્દોમાં નહીં, પરંતુ જમીની સ્તરની નક્કર કામગીરીમાં છે." તેમના માર્ગદર્શન હેઠળ SPG એક શિસ્તબદ્ધ ફોર્સની જેમ કામ કરે છે.

👉પાટીદાર અનામત આંદોલન (2015): ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા આંદોલનો પૈકીના એક પાટીદાર અનામત આંદોલનમાં લાલજીભાઈ પટેલ અને SPG નો સિંહફાળો રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આંદોલનનો બીજો મોટો ચહેરો હાર્દિક પટેલ શરૂઆતમાં SPG નો જ સભ્ય હતો. જ્યારે અનામતની માંગ ઉઠી ત્યારે લાલજીભાઈએ આગળ આવીને પાટીદારોને સંગઠિત કર્યા અને સરકાર સામે મજબૂત લડત આપી હતી.

🙏સમાજ પ્રત્યે સમર્પણ: અનામત આંદોલન પૂર્ણ થયા બાદ ઘણા નેતાઓ રાજકારણમાં જોડાઈ ગયા, પરંતુ લાલજીભાઈ પટેલે ચૂંટણીલક્ષી રાજકારણથી પોતાને દૂર રાખીને સંગઠનને સામાજિક કાર્યો પર જ કેન્દ્રિત રાખ્યું. તેઓ અવારનવાર 'પાટીદાર સ્નેહમિલન' અને 'જન જાગૃતિ મહાસંમેલનો' યોજીને સમાજના હિત માટે જાગૃતિ લાવવાનું કામ કરે છે.

ટૂંકમાં, એક નાના વિચારથી શરૂ થયેલું SPG આજે લાલજીભાઈ પટેલની નિષ્ઠા, મહેનત અને તેમના સમર્પણના કારણે ગુજરાતના પાટીદાર સમાજનો એક મજબૂત અવાજ બની ચૂક્યું છે.

Address

Bharuch
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when SPG Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share