શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ

  • Home
  • India
  • Anand
  • શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ

શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ Helping

કર્મરાજ ફાઉન્ડેશન અને શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર અને ધોરણ ...
26/04/2026

કર્મરાજ ફાઉન્ડેશન અને શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર અને ધોરણ ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
​📍 નોંધ: ચોપડા મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
​📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
૯૫૧૨૬ ૫૫૩૨૩ / ૭૪૦૫૪ ૧૬૧૩૬
​મહેરબાની કરીને આ માહિતી વધુમાં વધુ શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ મદદ પહોંચી શકે.
(ફક્ત આણંદ જિલ્લા માટે )

 #પિતાની_છત્રછાયા_ગુમાવનાર_બાળકો_માટે_ #સેવાનું_એક_પગલું.​આણંદ શહેરમાં છેલ્લા ૩ વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ કરતી  #...
17/04/2026

#પિતાની_છત્રછાયા_ગુમાવનાર_બાળકો_માટે_
#સેવાનું_એક_પગલું.

​આણંદ શહેરમાં છેલ્લા ૩ વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ કરતી #કર્મરાજ_ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ વર્ષે એક વિશેષ પહેલ કરવામાં આવી છે.
​નવા શૈક્ષણિક સત્ર (જૂન મહિના) થી શરૂ થતા વર્ષમાં, જે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવા જરૂરિયાતમંદ બાળકો માટે ૫૦૦૦ મફત ચોપડા વિતરણ કરવાનું આયોજન છે.
​તમે પણ આ સેવામાં સહભાગી બની શકો છો..
જો તમે તમારા વ્યવસાયની જાહેરાત, કોઈને શુભેચ્છા સંદેશ અથવા તમારો ફોટો આ ચોપડામાં છપાવવા માંગતા હોવ, તો અમારો સંપર્ક કરો. તમારી આ નાની મદદ કોઈ બાળકના શિક્ષણના સપનાને સાકાર કરી શકે છે.
​સંપર્ક વિગતો:
​+91 7405416136
​સૌજન્ય: શ્રી રેવા ફાઉન્ડેશન, આણંદ

ચકલી બચાવો અભિયાન - વિનામૂલ્યે માળા વિતરણ..આપણા બાળપણમાં વહેલી સવારે ચકલીઓનો ચીં-ચીં અવાજ સંભળાતો હતો. કમનસીબે, શહેરીકરણ...
25/03/2026

ચકલી બચાવો અભિયાન - વિનામૂલ્યે માળા વિતરણ..

આપણા બાળપણમાં વહેલી સવારે ચકલીઓનો ચીં-ચીં અવાજ સંભળાતો હતો. કમનસીબે, શહેરીકરણ અને આધુનિક ઘરોના કારણે આજે આ નાનકડું પક્ષી લુપ્ત થઈ રહ્યું છે.
આપણી આ પર્યાવરણીય ધરોહરને બચાવવા માટે કર્મરાજ ફાઉન્ડેશન આણંદ દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે: "લુપ્ત થતી ચકલી બચાવો અભિયાન".
અમે આણંદ શહેરમાં ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ.
આ માળા મેળવીને તમે પણ તમારા ઘરે ચકલીઓને આશરો આપી શકો છો અને આ પવિત્ર કાર્યમાં સહભાગી બની શકો છો.
🤝 કેવી રીતે મેળવવો વિનામૂલ્યે માળો?
માત્ર તમારા WhatsApp પરથી નીચે આપેલા નંબર પર "HI" લખીને મોકલો:
📲 74054 16136
(તમારો માળો મેળવવા માટે આ નંબર પર માત્ર WhatsApp મેસેજ જ કરવો.)
જો તમે આ અભિયાનમાં આર્થિક સહયોગ આપવા માંગતા હોવ, તો કૃપા કરીને પોસ્ટમાં આપેલો QR કોડ સ્કેન કરો.
આવો, સાથે મળીને આપણે આપણી ચકલીઓને પાછી લાવીએ!

આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને  #શ્રી_રેવા_ફાઉન્ડેશન_આણંદ દ્વારા માધ્યમિક શાળાના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓન...
15/02/2026

આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને #શ્રી_રેવા_ફાઉન્ડેશન_આણંદ દ્વારા માધ્યમિક શાળાના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેનનું વિતરણ કરવામાં આવ્યું.
​નાનકડો પ્રયાસ, મોટું લક્ષ્ય! અમારો હેતુ માત્ર પેન આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમને પ્રોત્સાહિત કરવાનો છે. દરેક વિદ્યાર્થી પોતાની મહેનતથી સફળતાનું નવું શિખર સર કરે તેવી અમારી અંતરની શુભેચ્છા.
​શ્રી રેવા ફાઉન્ડેશન હંમેશા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કટિબદ્ધ છે. 🤝

Address

Anand

Telephone

+919512655323

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી રેવા ફાઉન્ડેશન આણંદ:

Share