21/07/2026
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની તૃતીય રથયાત્રાની આ દિવ્ય અને અલૌકિક ઝાંખી...
સંસ્થાના પ્રણેતા એવમ પ્રમુખશ્રી આર. પી. પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ પરમ પૂજ્યશ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલ ભવ્ય રથયાત્રામાં તન-મન-ધનથી જોડાયેલા સર્વે તમામ સંગઠનના હોદેદારશ્રીઓ, દાતાશ્રીઓ, રથના યજમાનશ્રીઓ, પ્રસાદીના દાતાશ્રીઓ, મામેરાના યજમાનશ્રીઓ, મંદિર સેવા કમિટી, વિવિધ સોસાયટીના હોદ્દેદારો, કારોબારી સભ્યો, રહીશો, સ્વયંસેવકો તથા દરેક સેવાભાવી કાર્યકરશ્રીઓને વિશ્વ ઉમિયાધામ પરિવાર હૃદયપૂર્વક વંદન અને કૃતજ્ઞતા અર્પણ કરે છે.
આપ સૌના પ્રેમ, સમર્પણ, શ્રદ્ધા અને અવિરત પરિશ્રમથી જ આ ભક્તિમય મહાપર્વ લાખો ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય બની રહ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજી તથા જગતજનની મા ઉમિયા આપ સૌની દરેક મનોકામના પૂર્ણ કરે, જીવનમાં ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ સુખ, સમૃદ્ધિ અને સતત સેવા કરવાના આશીર્વાદ પ્રદાન કરે તેવી હાર્દિક તેવી શુભેચ્છાઓ
જય જગન્નાથ! 🚩 જય મા ઉમિયા! 🙏