13/06/2026
સરદારધામ આયોજિત યુવા ચિંતન શિબિર 2026 || Day 1 ||
મિશન 2047ના સંકલ્પ સાથે આજે સરદારધામ ખાતે યુવા ચિંતન શિબિર 2026 નો ભવ્ય પ્રારંભ થયો.
ઉદ્ઘાટન સત્રથી શરૂ થયેલી વિચારયાત્રામાં સમાજના સર્વાંગી વિકાસ માટે સમૃદ્ધિ, સુરક્ષા, શિક્ષણ,જેવા મહત્વપૂર્ણ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી.
યુવાનોના વિચારો, અનુભવો અને સંકલ્પોથી સમાજના આગામી 20 વર્ષના રોડમેપને નવી દિશા આપવાનો પ્રયાસ થયો.
એક સંકલ્પ – સમૃદ્ધ, સુરક્ષિત, શિક્ષિત, તંદુરસ્ત અને એકતાસભર સમાજ તરફ...