02/12/2025
મધુર સ્મરણ .... 🙏🙏
શ્રી વિનોદભાઈ આચાર્ય અને શ્રી માનવેન્દ્રસિહ રાઠોડ...
શ્રી વિદ્યાનગર સ્કૂલ... શ્રી કપાસી સાહેબ દ્વારા કેટલીક પ્રવૃત્તિઓની અનોખી રંગીન છાંટ અને અનોખી ખૂશ્બુ પ્રસારતી ....
મારા રસ- ( ચિત્ર, સારા અક્ષરો, લેખન, સુશોભન, નાટક વિગેરે ) જાણી કપાસી સાહેબ સપ્તાહ દરમિયાન એક- બે ઉપયોગી માહિતી કે સમાચાર કે દુનિયાની કોઈ ઘટના બૉર્ડ / નોટિસ બોર્ડ પર લખાવે. મને તે ગમે...હું લખાણ આસપાસ થોડું ચિત્ર કામ કરી તે સજાવું.
આનંદની અને શાળાની અનોખી વાત એ કે આ કામ પછી શ્રી કપાસી સાહેબ માનવેન્દ્ર ભાઈને કહી ભાષાકીય ભૂલ સુધારાવે ...એ સંગતથી મારું ભાષા કર્મ પણ સુધરે અને સાચી ભાષા સહુને પહોંચે...માનુભા ...અમે માનવેન્દ્ર ભાઈને પ્રેમથી સંબોધતાં...એક નોંખો સંબંધ એ રીતે પછી વિકસ્યો...
એટલુ જ નહીં....એ લખાણ, માહિતી કે સમાચારમાં જો કોઈ સ્થળ સંકળાયું હોય તો ત્યાં તેને 'હાઈલાઈટ ' કરાય...પછી શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ એ નોટિસ બોર્ડ સામે બનાવાયેલ દુનિયાના નકશામાં એ સ્થળ ચોક્કસ રીતે દર્શાવે....જે વિદ્યાર્થીઓ સૂધી પહોંચે...આ કાર્ય દરમિયાન શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ સાથે ઐતિહાસિક/ભૌગોલિક ઘણી વાતો મને પ્રાપ્ત થતી...
હું વિચારતો કે એક તાજી ઘટના લખી તેને વિદ્યાર્થીઓ સુધી
કેવી ખૂબી અને રસ સભર રીતિ દ્વારા પહોંચાડાય છે...!
શિક્ષકગણને તેમના રસ પ્રમાણે પ્રવૃત્તિ સોંપી શ્રી કપાસી સાહેબ પોતાની આગવી છાપ ઉભારતાં...
શ્રી માનવેન્દ્રસિહ રાઠોડ સાહેબ અને શ્રી વિનોદભાઈ આચાર્ય સાહેબ આજે પણ મારા સ્મરણમાં છે...શાળામાં તેઓ તેમની આગવી અદા સાથે પ્રવૃતિમય હોય તેમ મને ભાસે છે....
🙏🙏🙏💐
- અખંડ વ્યાસ