Sarvoday Parivar Trust

Sarvoday Parivar Trust This is an official page of Sarvoday Parivar trust, Ahmedabad for sharing infomation,various notifica

SPT Kids Fest 2026સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 જૂન, 2026 ના રોજ Sports Club, નવરંગપુરા ખાતે Kids Fest 2026 નું સું...
08/06/2026

SPT Kids Fest 2026
સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 જૂન, 2026 ના રોજ Sports Club, નવરંગપુરા ખાતે Kids Fest 2026 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જ્ઞાતિના 5 થી 12 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ આનંદ અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ માણ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકોને તેમની ઉંમર અનુસાર અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરીને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ.

બાળકોના માટે સંસ્થા દ્વારા Popcorn, Sugarcane Juice તેમજ બાળકોને મનપસંદ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌએ આનંદ માણ્યો હતો.

કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહનરૂપે Complimentary Gift આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ રમતોમાં વિજેતા બનેલા બાળકોને Winner Gift આપી તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને બાળમિત્ર વાતાવરણથી ભરપૂર રહ્યો હતો.

સર્વોદય પરિવાર ટ્રસ્ટ-Kids Fest 2026સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના 5 થી 12 વર્ષના બાળકો માટે તારીખ 6 જૂન 2026, શન...
25/05/2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ-Kids Fest 2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના 5 થી 12 વર્ષના બાળકો માટે તારીખ 6 જૂન 2026, શનિવાર ના રોજ સાંજે KIDS-FEST નું આયોજન કરવામાં આવેલ છે.

સ્થળ: Sports Club, સરદાર પટેલ સ્ટેડિયમ પાસે, નવરંગપુરા, અમદાવાદ.

આ KIDS-FEST માં ભાગ લેવા માટેનો દર રૂપિયા 100 રાખવામાં આવેલ છે.

આ KIDS-FEST માં ભાગ લેવા ઈચ્છતા આપના પરિવારના બાળકોની વિગત સાથેનું ફોર્મ તારીખ 30 મે 2026 સુધીમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટ કાર્યાલય ખાતે સવારે 10:30 થી 12:30 દરમ્યાન જમા કરાવવાનું રહેશે.

12/05/2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ - સમૂહ લગ્નોત્સવ

સુજ્ઞ જ્ઞાતિજનો,
સમૂહલગ્ન એ માત્ર સામુહિક લગ્નવિધિ નહીં પરંતુ સામાજીક એકતા, સહકાર અને સામાજીક જવાબદારીનું ઉત્તમ પ્રતિક છે. આજના સમયમાં લગ્નપ્રસંગોમાં વધતા ખર્ચ અને દેખાદેખીની સ્પર્ધામાં, સમૂહલગ્ન એક સરળ, સજ્જન અને સમાનતાનો માર્ગ દર્શાવે છે.

સમૂહલગ્ન દ્વારા આર્થિક બોજ ઘટાડવો, સમાજમાં એકતા વધારવી અને બિનજરૂરી ખર્ચ ઓછો કરી શુભ પ્રસંગ ઉજવવો શક્ય બને છે. આ આયોજનથી સમાજના દરેક વર્ગને સમાન તક મળે છે અને નવદંપતી માટે શુભ આશીર્વાદ સાથે જીવનની શરૂઆત થાય છે.

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી વર્ષે જાન્યુઆરી થી માર્ચ 2027 દરમ્યાન સુંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની વિચારણા કરવામાં આવી રહેલ છે.

આપણી જ્ઞાતિના જે યુવક-યુવતી આ સમૂહલગ્નમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓ તારીખ 31 મે 2026 સુધીમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી જાણ કરી શકે છે. જો યોગ્ય સંખ્યા થશે તો સંસ્થા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે.

આ આયોજન શક્ય એટલી દરેક રીતે સુંદર, સુવ્યવસ્થિત અને યાદગાર બને તે માટે આયોજક સંસ્થા દ્વારા તમામ જરૂરી પ્રયત્નો કરવામાં આવશે

નામ નોંધાવવા માટે સંપર્ક:
બકુલચંદ્ર શાહ: 9825023229
દિનેશભાઇ શાહ: 9824981579

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ
10/05/2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ

09/05/2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ (સંસ્થાના A કેટેગરીના સભ્યો માટે જ)

તારીખ 10 મે 2026, રવિવાર.
સમય: સવારે 10:30 થી 12:30
સ્થળ: સર્વોદય પરિવાર ટ્રસ્ટ કાર્યાલય.

✅રાહત દરે ચોપડા દર: રૂપિયા 180 પ્રતિ ડઝન.
✅ચોપડા મેળવવા માટે સંસ્થાનું આઈ કાર્ડ જરૂરી.
✅ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થી દીઠ 2 ડઝન ચોપડા આપવામાં આવશે.
✅ધોરણ 10 થી 12 તેમજ કોલેજના વિદ્યાર્થી દીઠ 3 ડઝન ચોપડા આપવામાં આવશે.
✅ચોપડા લેવા આવો ત્યારે જે તે ધોરણ અથવા ફેકલ્ટીની ઓરીજીનલ માર્કશીટ લાવવી ફરજીયાત છે. બોર્ડ કે કોલેજના વિદ્યાર્થીઓની ઓરીજીનલ માર્કશીટ આવેલ ના હોય તેઓએ પરીક્ષાની રસીદ સાથે લાવવી.

ચોપડા વિતરણ સ્ટોક હશે ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે જેની સર્વે જ્ઞાતિજનો એ નોંધ લેવી.

26/04/2026
શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ 2026 પ્રસ્થાન કામેશ્વર મહાદેવ, અંકુર થી સાદરા
31/03/2026

શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ 2026 પ્રસ્થાન
કામેશ્વર મહાદેવ, અંકુર થી સાદરા

શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ 2026 નિમિતે આજ રોજ મુખ્ય યજમાન દ્વારા ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ધજા પૂજન, આનંદનો ગરબો ...
30/03/2026

શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ 2026 નિમિતે આજ રોજ મુખ્ય યજમાન દ્વારા ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ધજા પૂજન, આનંદનો ગરબો અને પ્રભુ પ્રસાદીનું સુંદર આયોજન.

શ્રી જક્ષણી માતાજીના જય જયકાર સાથે માતાજીનો રથ ડાહીબા સમાજ ભવન હોલથી કામેશ્વર મહાદેવ અંકુર લઇ જવામાં આવેલ જેમાં જ્ઞાતિના અનેક ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ નિમિતે આવતીકાલે તા. 30/03/2026, સોમવાર (ચૈત્ર સુદ...
29/03/2026

સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રી પૂનમ જક્ષણી પગપાળા યાત્રા સંઘ નિમિતે આવતીકાલે તા. 30/03/2026, સોમવાર (ચૈત્ર સુદ બારસ) ના રોજ મુખ્ય યજમાન શ્રી રૂપેશભાઈ કનૈયાલાલ શાહ પરિવાર દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. સૌને પધારવા નિમંત્રણ
🕒 સમય: બપોરે 3:30 વાગ્યાથી

📍 સ્થળ:
ડાહીબા સમાજ ભવન હોલ,
આઈ.ડી. પટેલ સંકુલ સામે, આર.સી. ટેક્નિકલ રોડ, ચાણક્યપુરી, અમદાવાદ

✨ કાર્યક્રમ વિગત:
✅ધજા પૂજન
✅આનંદનો ગરબો
✅ગરબો પૂર્ણ થયા બાદ માતાજીની આરતી અને પ્રભુ પ્રસાદી

સૌને ખાસ જણાવવાનું કે રાત્રે 9 વાગ્યે માતાજીનો રથ શ્રી જક્ષણી માતાજીના જય જયકાર સાથે ડાહીબા સમાજ ભવન હોલથી કામેશ્વર મહાદેવ અંકુર તરફ પ્રસ્થાન કરશે જેમાં પણ સર્વે જ્ઞાતિજનોએ જોડાવવા નમ્ર વિનંતી.

Address

55, Cellar, GHB Complex, Ankur Cross Road, Naranpura
Ahmedabad
380013

Alerts

Be the first to know and let us send you an email when Sarvoday Parivar Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sarvoday Parivar Trust:

Share