16/04/2026
ઇતિહાસ હોય કે કલ્પના, લાગણીઓ હોય કે શૌર્યરસ, એક અનોખી દાસ્તાનનાં શબ્દોમાં કલાકાર પ્રાણ પૂરી દે અને પ્રેક્ષકોની સામે શબ્દચિત્ર ઊભું થઈ જાય તે એટલે જ "દાસ્તાનગોઈ".....
દિવસ ઢળતાં સાંજે ૫:૦૦ વાગ્યે એલ.ડી. કોલેજનાં આંગણે શ્રીમતી ભક્તિબેન રાઠોડ, શ્રીમતી ઉર્વશીબેન શ્રીમાળી અને હેમાક્ષ વૈષ્ણવે એ દાસ્તાન્ગોઇનાં મંચને શોભાવ્યું. કલાકારોના મનમોહક અંદાજ અને શ્રોતાઓની મંત્રમુગ્ધ હાજરીએ આ સાંજને ખરા અર્થમાં 'સાહિત્યિક' બનાવી દીધી. પ્રાચીન કળાને આધુનિક મંચ પર જોવી એ એક લ્હાવો હતો. ત્રણ રોમાંચક દાસ્તાનો અને એક અવિસ્મરણીય અનુભવ, તે દિવસથી ઉપસ્થિત પ્રત્યેકનાં જીવનનો અજોડ ભાગ બની ગયો.