Anandalaya

Anandalaya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anandalaya, Nonprofit Organization, Ahmedabad.

આનંદાલય सर्वं शीलवता जितम् – ચારિત્ર્યનિર્માણ જ એકમાત્ર ધ્યેયને સમર્પિત છે. કેળવણીમાં પાયાનું કામ કરતું સમર્પિત સાધનોનું અનુશાસિત એક આગવું વૃંદ એટલે આનંદાલય.

सत्त्वशीलजनाचारै: शिक्षया वृत्तनिर्मितिम् ।
कुर्वन्समाजशीलेन भारतं स्यात् जगद्गुरु: ।।

કોર્સની મુખ્ય વિગતો અને ખાસિયતોશૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ - કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે...
23/05/2026

કોર્સની મુખ્ય વિગતો અને ખાસિયતો

શૈક્ષણિક લાયકાત : ધોરણ 12 પાસ (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ - કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે).

ડબલ ડિગ્રીની તક : આ માન્ય કોર્સની સાથે વિદ્યાર્થીઓ બીજો અન્ય ડિગ્રી અભ્યાસક્રમ પણ ચાલુ રાખી શકે છે.

સેમેસ્ટર ફી : માત્ર ₹13,200 (પ્રતિ સત્ર).

શિક્ષણ પદ્ધતિ : NEP 2020 અંતર્ગત તૈયાર કરાયેલો આધુનિક અભ્યાસક્રમ.

શા માટે આ કોર્સ ખાસ છે?
ચારિત્ર્ય અને માનસિક ઘડતર : માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ, ડિપ્રેશન સામે લડવાની શક્તિ, મજબૂત નિર્ણયશક્તિ અને ઉચ્ચ જીવનમૂલ્યો વિકસાવવામાં આવે છે.

જ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય : ઉપનિષદ્-વેદાન્તના પ્રાચીન જ્ઞાનની સાથે આધુનિક લાઈફ મેનેજમેન્ટનો અદ્ભુત સંગમ.

પ્રેક્ટિકલ એપ્રોચ : ક્લાસરૂમ ચર્ચા, વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓ, સાહસિક પ્રવાસો, ઇન્ટર્નશિપ અને સ્ટાર્ટઅપ જેવી પ્રવૃત્તિઓ દ્વારા નેતૃત્વના ગુણોનો વિકાસ.

કારકિર્દીની તકો
આ કોર્સ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ બહુઆયામી કારકિર્દી બનાવી શકે છે.

પ્રવેશ પ્રક્રિયા અને સંપર્ક
પ્રવેશ મેળવવા માટે અત્યારે જ GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે....

સ્થળ : સંસ્કૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
સંપર્ક : ડૉ. અતુલ ઉનાગર (મોબાઈલ નંબર: 89054 79781)

22/05/2026
ધોરણ 12 પછી નવું શું ?માનવામાં ન આવે તેવી - શિક્ષણમાં ક્રાંતિકારી પહેલગુજરાત યુનિવર્સિટીનો માસ્ટરસ્ટ્રોક : શાશ્વત જ્ઞાન ...
21/05/2026

ધોરણ 12 પછી નવું શું ?

માનવામાં ન આવે તેવી - શિક્ષણમાં ક્રાંતિકારી પહેલ

ગુજરાત યુનિવર્સિટીનો માસ્ટરસ્ટ્રોક : શાશ્વત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સંગમ, શિક્ષણમાં એક નવી ક્રાંતિનો શંખનાદ!

આજના આધુનિકતાના ઝાકઝમાળ પાછળ છુપાયેલા અંધકારમાં આપણું યુવાધન દિશાહીન બનીને પોતાની આંતરિક પવિત્રતા અને ઓજસ ગુમાવી રહ્યું છે. જ્યારે હારી ગયેલું મન વ્યસનોમાં આશરો શોધે અને ચારિત્ર્યના પાયા હચમચી જાય, ત્યારે માત્ર કાગળની ડિગ્રીઓ ભવિષ્યને સુરક્ષિત નથી કરી શકતી. સમય પાકી ગયો છે એક એવા 'ઉઘડતર'નો, જે યુવાનોને માત્ર માહિતીના ભારથી નહીં પણ આત્મજ્ઞાનના તેજથી સજ્જ કરે. ગુજરાત યુનિવર્સિટીનો આ વિશિષ્ટ અભ્યાસક્રમ શિક્ષણના જૂના ચોખઠા તોડીને, વેદાન્તિક દૃષ્ટિ અને આધુનિક લાઈફ મેનેજમેન્ટ દ્વારા એક નૂતન અને અડીખમ પેઢીના નિર્માણનો શંખનાદ છે. આ એક જાગૃતિનું આહ્વાન છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની સાચી ઓળખ આપી સમાજમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો છે.

યુવાધનનું પતન કે નવસર્જન? પવિત્રતાથી પરાભવ તરફ જતી પેઢી માટે લાલબત્તી!

આજે આપણું યુવાધન એક એવા ખતરનાક વળાંક પર ઊભું છે જ્યાં બહાર ચળકાટ છે પણ ભીતર અંધકાર છે. નાની ઉંમરે યુવાનો દિશાહીન બનીને વ્યસનોના રવાડે ચઢી રહ્યા છે, જેના કારણે તેમનું તેજ (નૂર), ચારિત્ર્ય અને આંતરિક પવિત્રતા ખંડિત થઈ રહી છે. આજના શિક્ષણમાં માહિતીનો ભંડાર છે પણ 'આચરણ શૂન્યતા' વર્તાય છે.

"ભણતર એવું જે જીવનમાં કામ આવે, માત્ર કાગળની ડિગ્રી નહીં પણ આચરણમાં તેજ લાવે"

માર્કશીટ એ ચારિત્ર્યની ગેરંટી ખરી ?

જીવનમૂલ્યોની કમી અને સર્જનશીલતાના અભાવે યુવાનો નાની મુશ્કેલીમાં પણ ભાંગી પડે છે અને આત્મઘાતી વિચારો કે ડિપ્રેશનનો શિકાર બને છે. જો આ જ ગતિએ માનસિક અસ્થિરતા, સોશિયલ મીડિયાનું વળગણ, નિર્ણયશક્તિની નબળાઈ અને કૌટુંબિક વિખવાદ વધતા રહેશે, તો આવનારી પેઢી શારીરિક અને માનસિક રીતે પાંગળી બની જશે એવો ભય સેવવો અસ્થાને નથી.

"શિક્ષણ માત્ર માહિતી નથી, પણ જીવન જીવવાનું ભાથું છે"

આ ઘેરા અંધકારમાં આશાનું એક કિરણ એટલે ગુજરાત યુનિવર્સિટીનો Integrated M.Sc. (Vedantic Science and Life Management) કોર્સ. આ કોર્સ માત્ર નોકરી આપનારી ડિગ્રી નથી, પણ યુવાનોના વ્યક્તિત્વને જીવંત કરવાનું એક અભિયાન છે. અહીં 'ઉઘડતર' (નૈસર્ગિક વિકાસ)ના અભિગમ દ્વારા વિદ્યાર્થીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડીને તેને વ્યસનમુક્તિ, ચારિત્ર્ય શુદ્ધિ અને આત્મવિશ્વાસનો પથ બતાવવામાં આવે છે. વેદાન્તિક વિજ્ઞાનના માધ્યમથી યુવાનોમાં એવી નિર્ણયશક્તિ અને વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણ વિકસાવવામાં આવે છે કે તેઓ જીવનની કોઈપણ વિકરાળ સમસ્યાનો ઉકેલ સ્વયં શોધી શકે.

"માત્ર ભણતર નહીં પણ 'ગણતર', અહીં થાય છે વ્યક્તિત્વનું સર્વાંગી ઉઘડતર (આંતરિક ક્ષમતાઓનું પ્રગટીકરણ)"

આ કોર્સ એક એવા નૂતન યુવાનનું નિર્માણ કરે છે, *જે આધુનિક ટેકનોલોજીનો સ્વામી હોય પણ સંસ્કારોનો દાસ હોય.* અહીં શીખવવામાં આવતું લાઇફ મેનેજમેન્ટ વિદ્યાર્થીને તણાવમુક્ત જીવતા, સંબંધો સાચવતા અને પ્રકૃતિ સાથે સુમેળ સાધતા શીખવે છે. જીવનના નૂરનું સંવર્ધન કરી પહાડ સામે અડીખમ ઊભા રહેવાની ક્ષમતા કેળવે છે, તો આ શૈક્ષણિક પ્રવાહ સાર્થક જીવન માટે અમૃત સમાન સાબિત થશે.

"ભીડનો હિસ્સો નહીં, પણ ભીડથી અલગ તરી આવે તેવું વ્યક્તિત્વ બનાવે છે આ કોર્સ "

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રસ્તુત ઈન્ટિગ્રેટેડ બી.એસ. અને એમ.એસ. (વેદાન્તિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ)એ આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો એક અદ્ભૂત સમન્વય છે. NEP 2020 અંતર્ગત તૈયાર કરાયેલો આ બહુવિષયક કોર્સ ધોરણ 12 પાસ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માન્ય કોર્સની સાથે અન્ય ડિગ્રી અભ્યાસક્રમ પણ કરી શકાય છે. ઉપનિષદ્ અને વેદાન્તના પાયા પર રચાયેલો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, નેતૃત્વ અને સમસ્યા-ઉકેલ જેવા કૌશલ્યોથી સજ્જ કરી એઆઈ (AI) નિષ્ણાત, મેનેજમેન્ટ નિષ્ણાત કે કાઉન્સેલર જેવી બહુઆયામી કારકિર્દી તરફ દોરી જાય છે. માત્ર ₹13,200ની સત્ર ફીમાં ઉપલબ્ધ આ કોર્સમાં ઈન્ટર્નશીપ અને સ્ટાર્ટઅપ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સાચું ચારિત્ર્ય-નિર્માણ એટલે કે સર્વાંગીણ વિકાસ કરે છે.

"સ્વયંનું મેનેજમેન્ટ શીખવે એ જ સાચું શિક્ષણ"

જીવનલક્ષી અભ્યાસક્રમ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ અહીં 'જીવનને ક્લાસરૂમમાં અને ક્લાસરૂમને જીવનમાં' ઉતારવાનો પ્રાયોગિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહીં ક્લાસરૂમ એટલે માત્ર વ્યાખ્યાન નહીં, પરંતુ ચર્ચા, સંવાદ અને વૈચારિક વાર્તાલાપનું એક જીવંત મંચ છે, જ્યાં સિદ્ધાંત આધારિત શિક્ષણને પ્રેક્ટિકલ અનુભવો સાથે જોડવામાં આવે છે. આ કોર્સની સૌથી મોટી વિશેષતા 'વિદ્યાર્થી સંચાલિત પ્રવૃત્તિઓ' છે, જેમાં અલગ-અલગ કમિટીઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતે જ આયોજન, સંચાલન અને સમીક્ષા કરતા શીખે છે, જે તેમનામાં સાહસિક વૃત્તિ અને આન્ત્રપ્રિન્યોરશિપના બીજ રોપે છે. સાહસિક પ્રવાસો, ફિલ્ડવર્ક અને સંશોધન જેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સર્વાંગી '360 ડિગ્રી મૂલ્યાંકન' કરવામાં આવે છે, જેમાં માત્ર માર્કસ નહીં પણ તેમના નેતૃત્વ, વ્યવહાર અને આત્મવિશ્વાસને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે.

"આવો, ભીતરની સંભાવનાઓને ઓળખીએ અને એક નૂતન ભારતનું નિર્માણ કરીએ"

ધોરણ 12 પાસ (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ) કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ પરંપરાગત ચીલાચાલુ અભ્યાસક્રમોથી અલગ હટીને, પોતાની કારકિર્દીને એક નવી ઊંચાઈ અને જીવનને એક નવો ઓપ આપે. જ્યારે પવિત્રતા અને ચારિત્ર્યના પાયા પર શિક્ષણનું નિર્માણ થાય છે, ત્યારે જ સફળતા સ્થાયી બને છે. આવો, ગુજરાત યુનિવર્સિટીના આ વિશિષ્ટ અભ્યાસક્રમ દ્વારા આપણે સૌ સાથે મળીને એક સક્ષમ, ચારિત્ર્યવાન અને અડીખમ પેઢીનું નિર્માણ કરીએ.

આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે જ GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો. તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે આ માર્ગ ખુલ્લો છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો:
ડૉ. અતુલ ઉનાગર
મોબાઈલ : 89054 79781
સ્થાન : સંસ્કૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

ધોરણ 12 પછી નવું શું ?માનવામાં ન આવે તેવી - શિક્ષણમાં ક્રાંતિકારી પહેલગુજરાત યુનિવર્સિટીનો માસ્ટરસ્ટ્રોક : શાશ્વત જ્ઞાન ...
15/05/2026

ધોરણ 12 પછી નવું શું ?

માનવામાં ન આવે તેવી - શિક્ષણમાં ક્રાંતિકારી પહેલ

ગુજરાત યુનિવર્સિટીનો માસ્ટરસ્ટ્રોક : શાશ્વત જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સંગમ, શિક્ષણમાં એક નવી ક્રાંતિનો શંખનાદ!

આજના આધુનિકતાના ઝાકઝમાળ પાછળ છુપાયેલા અંધકારમાં આપણું યુવાધન દિશાહીન બનીને પોતાની આંતરિક પવિત્રતા અને ઓજસ ગુમાવી રહ્યું છે. જ્યારે હારી ગયેલું મન વ્યસનોમાં આશરો શોધે અને ચારિત્ર્યના પાયા હચમચી જાય, ત્યારે માત્ર કાગળની ડિગ્રીઓ ભવિષ્યને સુરક્ષિત નથી કરી શકતી. સમય પાકી ગયો છે એક એવા 'ઉઘડતર'નો, જે યુવાનોને માત્ર માહિતીના ભારથી નહીં પણ આત્મજ્ઞાનના તેજથી સજ્જ કરે. ગુજરાત યુનિવર્સિટીનો આ વિશિષ્ટ અભ્યાસક્રમ શિક્ષણના જૂના ચોખઠા તોડીને, વેદાન્તિક દૃષ્ટિ અને આધુનિક લાઈફ મેનેજમેન્ટ દ્વારા એક નૂતન અને અડીખમ પેઢીના નિર્માણનો શંખનાદ છે. આ એક જાગૃતિનું આહ્વાન છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમની સાચી ઓળખ આપી સમાજમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાનો છે.

યુવાધનનું પતન કે નવસર્જન? પવિત્રતાથી પરાભવ તરફ જતી પેઢી માટે લાલબત્તી!

આજે આપણું યુવાધન એક એવા ખતરનાક વળાંક પર ઊભું છે જ્યાં બહાર ચળકાટ છે પણ ભીતર અંધકાર છે. નાની ઉંમરે યુવાનો દિશાહીન બનીને વ્યસનોના રવાડે ચઢી રહ્યા છે, જેના કારણે તેમનું તેજ (નૂર), ચારિત્ર્ય અને આંતરિક પવિત્રતા ખંડિત થઈ રહી છે. આજના શિક્ષણમાં માહિતીનો ભંડાર છે પણ 'આચરણ શૂન્યતા' વર્તાય છે.

"ભણતર એવું જે જીવનમાં કામ આવે, માત્ર કાગળની ડિગ્રી નહીં પણ આચરણમાં તેજ લાવે"

માર્કશીટ એ ચારિત્ર્યની ગેરંટી ખરી ?

જીવનમૂલ્યોની કમી અને સર્જનશીલતાના અભાવે યુવાનો નાની મુશ્કેલીમાં પણ ભાંગી પડે છે અને આત્મઘાતી વિચારો કે ડિપ્રેશનનો શિકાર બને છે. જો આ જ ગતિએ માનસિક અસ્થિરતા, સોશિયલ મીડિયાનું વળગણ, નિર્ણયશક્તિની નબળાઈ અને કૌટુંબિક વિખવાદ વધતા રહેશે, તો આવનારી પેઢી શારીરિક અને માનસિક રીતે પાંગળી બની જશે એવો ભય સેવવો અસ્થાને નથી.

"શિક્ષણ માત્ર માહિતી નથી, પણ જીવન જીવવાનું ભાથું છે"

આ ઘેરા અંધકારમાં આશાનું એક કિરણ એટલે ગુજરાત યુનિવર્સિટીનો Integrated M.Sc. (Vedantic Science and Life Management) કોર્સ. આ કોર્સ માત્ર નોકરી આપનારી ડિગ્રી નથી, પણ યુવાનોના વ્યક્તિત્વને જીવંત કરવાનું એક અભિયાન છે. અહીં 'ઉઘડતર' (નૈસર્ગિક વિકાસ)ના અભિગમ દ્વારા વિદ્યાર્થીની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડીને તેને વ્યસનમુક્તિ, ચારિત્ર્ય શુદ્ધિ અને આત્મવિશ્વાસનો પથ બતાવવામાં આવે છે. વેદાન્તિક વિજ્ઞાનના માધ્યમથી યુવાનોમાં એવી નિર્ણયશક્તિ અને વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણ વિકસાવવામાં આવે છે કે તેઓ જીવનની કોઈપણ વિકરાળ સમસ્યાનો ઉકેલ સ્વયં શોધી શકે.

"માત્ર ભણતર નહીં પણ 'ગણતર', અહીં થાય છે વ્યક્તિત્વનું સર્વાંગી ઉઘડતર (આંતરિક ક્ષમતાઓનું પ્રગટીકરણ)"

આ કોર્સ એક એવા નૂતન યુવાનનું નિર્માણ કરે છે, *જે આધુનિક ટેકનોલોજીનો સ્વામી હોય પણ સંસ્કારોનો દાસ હોય.* અહીં શીખવવામાં આવતું લાઇફ મેનેજમેન્ટ વિદ્યાર્થીને તણાવમુક્ત જીવતા, સંબંધો સાચવતા અને પ્રકૃતિ સાથે સુમેળ સાધતા શીખવે છે. જીવનના નૂરનું સંવર્ધન કરી પહાડ સામે અડીખમ ઊભા રહેવાની ક્ષમતા કેળવે છે, તો આ શૈક્ષણિક પ્રવાહ સાર્થક જીવન માટે અમૃત સમાન સાબિત થશે.

"ભીડનો હિસ્સો નહીં, પણ ભીડથી અલગ તરી આવે તેવું વ્યક્તિત્વ બનાવે છે આ કોર્સ "

ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રસ્તુત ઈન્ટિગ્રેટેડ બી.એસ. અને એમ.એસ. (વેદાન્તિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ)એ આધુનિક ટેકનોલોજી અને પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાનો એક અદ્ભૂત સમન્વય છે. NEP 2020 અંતર્ગત તૈયાર કરાયેલો આ બહુવિષયક કોર્સ ધોરણ 12 પાસ કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માન્ય કોર્સની સાથે અન્ય ડિગ્રી અભ્યાસક્રમ પણ કરી શકાય છે. ઉપનિષદ્ અને વેદાન્તના પાયા પર રચાયેલો આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, નેતૃત્વ અને સમસ્યા-ઉકેલ જેવા કૌશલ્યોથી સજ્જ કરી એઆઈ (AI) નિષ્ણાત, મેનેજમેન્ટ નિષ્ણાત કે કાઉન્સેલર જેવી બહુઆયામી કારકિર્દી તરફ દોરી જાય છે. માત્ર ₹13,200ની સત્ર ફીમાં ઉપલબ્ધ આ કોર્સમાં ઈન્ટર્નશીપ અને સ્ટાર્ટઅપ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સાચું ચારિત્ર્ય-નિર્માણ એટલે કે સર્વાંગીણ વિકાસ કરે છે.

"સ્વયંનું મેનેજમેન્ટ શીખવે એ જ સાચું શિક્ષણ"

જીવનલક્ષી અભ્યાસક્રમ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ અહીં 'જીવનને ક્લાસરૂમમાં અને ક્લાસરૂમને જીવનમાં' ઉતારવાનો પ્રાયોગિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. અહીં ક્લાસરૂમ એટલે માત્ર વ્યાખ્યાન નહીં, પરંતુ ચર્ચા, સંવાદ અને વૈચારિક વાર્તાલાપનું એક જીવંત મંચ છે, જ્યાં સિદ્ધાંત આધારિત શિક્ષણને પ્રેક્ટિકલ અનુભવો સાથે જોડવામાં આવે છે. આ કોર્સની સૌથી મોટી વિશેષતા 'વિદ્યાર્થી સંચાલિત પ્રવૃત્તિઓ' છે, જેમાં અલગ-અલગ કમિટીઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતે જ આયોજન, સંચાલન અને સમીક્ષા કરતા શીખે છે, જે તેમનામાં સાહસિક વૃત્તિ અને આન્ત્રપ્રિન્યોરશિપના બીજ રોપે છે. સાહસિક પ્રવાસો, ફિલ્ડવર્ક અને સંશોધન જેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું સર્વાંગી '360 ડિગ્રી મૂલ્યાંકન' કરવામાં આવે છે, જેમાં માત્ર માર્કસ નહીં પણ તેમના નેતૃત્વ, વ્યવહાર અને આત્મવિશ્વાસને પણ પૂરતું પ્રાધાન્ય આપવામાં આવે છે.

"આવો, ભીતરની સંભાવનાઓને ઓળખીએ અને એક નૂતન ભારતનું નિર્માણ કરીએ"

ધોરણ 12 પાસ (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ) કરી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ પરંપરાગત ચીલાચાલુ અભ્યાસક્રમોથી અલગ હટીને, પોતાની કારકિર્દીને એક નવી ઊંચાઈ અને જીવનને એક નવો ઓપ આપે. જ્યારે પવિત્રતા અને ચારિત્ર્યના પાયા પર શિક્ષણનું નિર્માણ થાય છે, ત્યારે જ સફળતા સ્થાયી બને છે. આવો, ગુજરાત યુનિવર્સિટીના આ વિશિષ્ટ અભ્યાસક્રમ દ્વારા આપણે સૌ સાથે મળીને એક સક્ષમ, ચારિત્ર્યવાન અને અડીખમ પેઢીનું નિર્માણ કરીએ.

આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અત્યારે જ GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવો. તમારા સપનાઓને વાસ્તવિકતામાં બદલવા માટે આ માર્ગ ખુલ્લો છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો:
ડૉ. અતુલ ઉનાગર
મોબાઈલ : 89054 79781
સ્થાન : સંસ્કૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.

https://youtu.be/8vCpHc7FC4c?si=2ne02VO4vekivgT2

🚀 શિક્ષણમાં નવી ક્રાંતિ : ઉજ્જવળ ભવિષ્ય તરફ એક ઠોસ કદમ! 🎓ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત વિશેષ સેમિનારધ...
09/05/2026

🚀 શિક્ષણમાં નવી ક્રાંતિ : ઉજ્જવળ ભવિષ્ય તરફ એક ઠોસ કદમ! 🎓
ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત વિશેષ સેમિનાર
ધોરણ 12 પછી હવે શું? જો તમે પણ મુંઝવણમાં હોવ, તો જીવનને નવો ઓપ આપવા માટે આ નિઃશુલ્ક સેમિનાર તમારા માટે જ છે.
📌 કોર્સ : ઇન્ટિગ્રેટેડ એમ.એસસી. વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ
📍 આયોજક : સંસ્કૃત વિભાગ, ભાષા-સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી.
📅 તારીખ: 11/05/2026, સોમવાર
⏰ સમય: સાંજે 05:30 કલાકે
📍 સેમિનાર સ્થળ : સેમિનાર હોલ, અટલ કલામ રિસર્ચ પાર્ક, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ.
🎁 વિશેષ આકર્ષણ:
રજિસ્ટ્રેશન કરાવનારને મળશે એક સરપ્રાઈઝ ગિફ્ટ!
🔗 રજિસ્ટ્રેશન લિંક: https://forms.gle/Ly4pJFVKqGRAKruP8
📞 વધારે માહિતી માટે સંપર્ક:
રાજભાઈ ગૌસ્વામી: 9638802955
હિમાનીબેન વાઘેલા: 8160185105
-----
🚀 A Revolution in Education: A Concrete Step Towards Excellence! 🎓
Organized by: Department of Sanskrit, Gujarat University
Confused about career options after Class 12? Join our FREE Seminar to explore a unique path for your future.
🌟 Topic: The Best Career Alternative After Class 12 (Any Stream)
📌 Program: Integrated M.Sc. in Vedantic Science & Life Management
📅 Date: May 11, 2026 (Monday)
⏰ Time: 05:30 PM
📍 Seminar Venue : Seminar Hall, Atal Kalam Research Park, Gujarat University Campus, Navrangpura, Ahmedabad.
🎁 Special Note: Register now to receive a Surprise Gift at the seminar!
🔗 Registration Link: https://forms.gle/Ly4pJFVKqGRAKruP8
📞 For Inquiries, Contact:
Rajbhai Goswami: 9638802955
Himaniben Vaghela: 8160185105

'જીવનને સાર્થક બનાવતો એક નવતર પ્રયોગ', જાણો આ કોર્સનો સંક્ષિપ્ત પરિચય
30/04/2026

'જીવનને સાર્થક બનાવતો એક નવતર પ્રયોગ', જાણો આ કોર્સનો સંક્ષિપ્ત પરિચય

7 likes. "I.M.Sc. in Vedantic Science and Life Management"

YouTube पर डिजिटल लोकार्पणSarvodaya NSS UnitVedantic Science and Life Management Department of Sanskrit, Gujarat Univers...
29/01/2026

YouTube पर डिजिटल लोकार्पण

Sarvodaya NSS Unit
Vedantic Science and Life Management
Department of Sanskrit,
Gujarat University

सर्वोदय
अंत्योदय से पूर्णोदय की ओर
Documentary Film

"डांग जिले के लिंगा गाँव में संपन्न वार्षिक एनएसएस (NSS) शिविर पर आधारित वृत्तचित्र
Documentary Film का *Online* 'लोकार्पण समारोह'।"

01/02/2026, Sunday
Starts at 09:15 Pm

"रचनात्मक गतिविधियों से जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें।"

https://www.youtube.com/

ભારતની નદીઓ અને જીવનશાસ્ત્ર
05/05/2025

ભારતની નદીઓ અને જીવનશાસ્ત્ર

આજેઆનંદાલય બુધસભાવિષય ભય મુક્ત શિક્ષણ એટલે...સ્પર્ધા મુક્ત શિક્ષણ એટલે...પ્રલોભન મુક્ત શિક્ષણ એટલે...પ્રબોધકવિશાલ ભાદાણી...
09/04/2025

આજે
આનંદાલય બુધસભા

વિષય
ભય મુક્ત શિક્ષણ એટલે...
સ્પર્ધા મુક્ત શિક્ષણ એટલે...
પ્રલોભન મુક્ત શિક્ષણ એટલે...

પ્રબોધક
વિશાલ ભાદાણી
લોકભારતી, સણોસરા

તારીખ : 09 એપ્રિલ 2025, બુધવાર
સમય : રાત્રે 08:30 કલાકે

Live Zoom Meeting
https://us06web.zoom.us/j/84743924658?pwd=v###RaEXuV3Yp8ABf7zQyx2TlVdJgO.1

Meeting ID: 847 4392 4658
Passcode: 808080
----
સમાન સમયે યુટ્યુબ પર લાઈવ થશે..
https://www.youtube.com/
⬆️ યુટ્યુબ સબ્સ્ક્રાઇબ કરો જેથી અવનવી માહિતીઓ આપને મળતી રહે.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Anandalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share