28/11/2025
અસામાજિક પ્રવૃત્તિઓના નામે ભાજપ શાશકો દ્વારા રજિસ્ટરમાં એન્ટ્રી વગર બગીચાઓમાં પ્રવેશ નિષેધનો નિયમ લાગુ કરવાનો નિર્ણય મુર્ખતાપૂર્ણ અને શરમજનક છે.
પ્રતિ શ્રીમતી પિન્કીબેન સોની, મેયરશ્રી, VMC
2. પ્રતિ શ્રી અરુણ મહેશ બાબુ મ્યુનિ. કમિશનર શ્રી VMC
વિષય:સંસ્કારીનગરી વડોદરામાં મહાનગરપાલિકા સંચાલિત તમામ બાગ-બગીચાઓમાં હરવા ફરવા આવતા બાળકો,વૃદ્ધો,મહિલાઓ માટે નિર્દોષ આનંદવાળી જગ્યામાં તમામ નાગરિકોને માટે એન્ટ્રી માટે રજીસ્ટ્રેશનમાં એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે જે નિર્ણય સંસ્કારીનગરી વડોદરા શહેરને બદનામ કરે છે અસામાજિક તત્વોના નામે વ્યાપારીકરણ અને પ્રજાને હેરાન કરવા માટેનો આ નિર્ણય ખોટો છે તેને વિરોધ કરીએ છીએ તઘલખી,મૂર્ખતાપૂર્ણ નિર્ણય પરત લેવા માંગણી.
• હજારો નાગરીકો અને સમગ્ર ગુજરાતમાંથી કમાટીબાગમાં પ્રાણીસંગ્રાહાલય અને મ્યુઝીયમ જોવા હજારો પ્રવાસીઓ તથા શાળાઓમાંથી હજારો બાળકો/ વિદ્યાર્થીઓ પ્રવાસે તેમજ ગૌરીવ્રતમાં હજારો બાળાઓ,આખા દેશમાંથી લાખો લોકો બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિમાં દર્શને આવે છે.જેથી નાગરિકોને રજિસ્ટરમાં એન્ટ્રી વગર બગીચાઓમાં પ્રવેશ નિષેધનો ખોટો છે.
• કહેવાતી અસમાજિક પ્રવુતીઓ ડામવામાં નિષ્ફળ વડોદરાના પાર્કસ અને ગાર્ડનના ઇન્ચાર્જ ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ જે બગીચાઓ સાચવણી માટેની લાયકાત ધરાવતા નથી. પણ જોગાનુજોગ કોર્પોરેશનની સિકયુરિટીના તો તેઓ વડા છે.જેથી તેઓ તમે જણાવેલી અસામાજિક પ્રવૃતિઓ ડામવામાં નિષ્ફળ નીવડ્યા છે..તે માટે જવાબદારશ્રી મંગેશ જયસ્વાલને તાત્કાલિક હોદ્દા પરથી દુર કરી સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છેઃ
• કમાટીબાગનો વિકાસ અને મેઈન્ટેનન્સમાં ઘણી બેદરકારી શહેરના બગીચાઓમાં નિભાવણીના નામે ભ્રષ્ટાચાર.
વડોદરા શહેરના નાગરિકો અને કમાટીબાગ મોર્નિંગ વોકરસ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે શહેરના તમામ 130થી વધુ ગાર્ડનમાં સાથે સૌથી લોકપ્રિય બગીચાઓ ઐતિહાસિક કમાટીબાગ અને આધુનિક ગોત્રી ગાર્ડનમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવાના નામે મહાનગરપાલિકા ભાજપ શાશકો દ્વારા રજિસ્ટરમાં એન્ટ્રી વગર બગીચાઓમાં પ્રવેશ નિષેધનો નિયમ લાગુ કરવાનો નિર્ણય મુર્ખતાપૂર્ણ અને શરમજનક છે.
• ઐતિહાસિક કમાટીબાગમાં પ્રાણીસંગ્રાહાલય અને મ્યુઝીયમ જોવા હજારો પ્રવાસીઓ તથા શાળાઓમાંથી હજારો બાળકો/ વિદ્યાર્થીઓ પ્રવાસે આવે જેમાં સવારે હજારો લોકો એન્ટ્રી લે છે.આખા દેશમાંથી લાખો લોકો બાબાસાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિમાં દર્શને આવે છે.ત્યારે દરેકનું રજીસ્ટરમાં નામ નોંધવું શક્ય જ નથી.નામ નોંધવા જાય તો લાઈનમાં ઉભા રહેવામાં જ સમય વીતી જાય.અમે આ નિર્ણયનો અમો વિરોધ કરીએ છીએ.જે સંસ્કારીનગરી માટે ખુબ શરમજનક મૂર્ખામીભર્યો ન