06/10/2024
સ્વચ્છ ભારત અભિયાન એ આપણા દેશમાં યોજાયેલ સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય મિશન પૈકીનું એક છે. આ મિશન નું નામ જ તેના ઉદેશ્ય ને પ્રકશિત કરે છે. દેશના તમામ શહેરો અને નગરોને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાનની રચના કરવામાં આવી હતી.
આ ઝુંબેશ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેની પ્રથમ રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના વિઝનને માન આપવા માટે 2જી ઓક્ટોબરના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવ્યું હતું અને તેમાં દેશના તમામ નગરો, ગ્રામીણ અને શહેરી વિસ્તારો સામેલ હતા. તે સૌ પ્રથમ વાર લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં એક મહાન પહેલ તરીકે ઓળખાય છે.
સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યો
સ્વચ્છ ભારત અભિયાને પૂર્ણ કરવા માટે ઘણા ઉદ્દેશ્યો નક્કી કરાયા છે, જેથી કરીને ભારત સ્વચ્છ અને વધુ સુંદર બની શકે. વધુમાં, સફાઈ બાબતે ફક્ત સફાઈ કામદારો જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકોને અપીલ કરાઈ હતી. તેનો મુખ્ય હેતુ તમામ ઘરો માટે સેનિટરી સુવિધાઓ ઉભી કરવાનો છે. કારણકે હજી પણ આપણા દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે કે લોકો ખુલ્લામાં શૌચ કરે છે. સ્વચ્છ ભારત અભિયાનનો હેતુ તેને દૂર કરવાનો છે.
આ સિવાય ભારત સરકાર તમામ નાગરિકોને યોગ્ય ગટર વ્યવસ્થા પ્રદાન કરવા માંગે છે. આનાથી નાગરિકોમાં વધુ ને વધુ સ્વચ્છતાને પ્રોત્સાહન મળશે. તેવી જ રીતે આપણી સરકાર ઘણા કાર્યક્રમો દ્વારા લોકોને આરોગ્ય અને સ્વચ્છતા વિષે શિક્ષણ અંગે પણ જાગૃત કરવા માંગતા હતા. દેશમાં સરકાર દ્વારા લખો શૌચાલય બનાવવામાં આવ્યા અને તે પછી, મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને કચરાનો વ્યવસ્થિત નિકાલ કરવાનું શીખવવાનો હતો.
ભારતને સ્વચ્છ ભારત અભિયાનની શા માટે જરૂર છે?
ભારતને ગંદકી નાબૂદ કરવા માટે સ્વચ્છ ભારત મિશન જેવા અભિયાનની સખત જરૂર છે. આરોગ્ય અને સુખી જીવન સંદર્ભમાં નાગરિકોના સર્વાંગી વિકાસ માટે તે મહત્વપૂર્ણ છે. ભારતની મોટાભાગની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી હોવાથી ગંદગી એક મોટી સમસ્યા છે.
સામાન્ય રીતે આવા ગામડાના વિસ્તારોમાં લોકો પાસે યોગ્ય શૌચાલયની સુવિધા નથી. તેઓ આ કાર્ય કરવા ખેતરોમાં કે રસ્તા પર જાય છે. આ પ્રથા તમામ લોકો માટે સ્વચ્છતાની ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. તેથી, આ મિશન આ લોકોની જીવનશૈલી સુધારવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
અન્ય વાત કરીએ તો, સ્વચ્છ ભારત મિશન કચરાના યોગ્ય વ્યવસ્થાપનમાં પણ મદદ કરશે. જ્યારે આપણે કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીશું તો સરકાર ને કચરાને રિસાયકલ કરવામાં ખુબ જ મદદ મળશે, ત્યારે તે દેશનો વિકાસમાં ફાયદારૂપ થશે. જયારે આ મિશનનું પ્રથમ પ્રથમ હેતુ ગ્રામીણ ક્ષેત્ર હતું.
આ સિવાય મુખ્ય ઉદેશ્યમાં જાહેર લોકોનું આરોગ્ય સ્તર વધારવાનું પણ હતું. થોડા વર્ષો પેહલા ભારત વિશ્વના સૌથી ગંદા દેશોની સૂચિ માં શામિલ હતો પણ આ મિશન પરિસ્થિતિને બદલી શકે છે.
અંતમાં વાત કરીએ તો, સ્વચ્છ ભારત અભિયાન એ ભારતને એક સ્વચ્છ, સુંદર અને હરિયાળો દેશ બનાવવાની એક મહાન શરૂઆત છે. જો તમામ નાગરિકો સાથે મળીને આ કાર્યમાં ભાગ લેશે, તો ભારત ટૂંક સમયમાં જ વિકાસ પામશે. તદુપરાંત, જ્યારે ભારતની સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો થશે, ત્યારે તમામ લોકોને સમાન રીતે લાભ થશે. ભારતમાં દર વર્ષે વધુ પ્રવાસીઓ આવશે અને નાગરિકો માટે ખુશનુમા અને સ્વચ્છ વાતાવરણ ઉભું થશે.