Samvedana Trust- Virampur

Samvedana Trust- Virampur It’s a Gandhian organization engaged in various remote tribal and rural areas for the integrated development of unprivileged.

સંવેદના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આદરણીય શંકરભાઈ લ.પટેલ( શંકરકાકા)ના માધ્યમથી સ્વ. ઇચ્છાબેન શંકરલાલ નારણદાસ પટેલ પટેલ તથ...
08/02/2026

સંવેદના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી આદરણીય શંકરભાઈ લ.પટેલ( શંકરકાકા)ના માધ્યમથી
સ્વ. ઇચ્છાબેન શંકરલાલ નારણદાસ પટેલ પટેલ તથા તથા સ્વ. શંકરલાલ નારીણદાસ પટેલ (પલીયડવાળા) પરિવાર તરફથી
સંવેદના- સર્વોદય પરિસરનાં બાળકોને કાલાજામ,મીની ભાખરવડી, દાળ, ભાત,પૂરી અને શાકની પાકી મિજબાની કરાવવામાં આવી.
બાળકોને મોજ કરાવવા બદલ દાતાશ્રીઓનો આભાર.

30/11/2025

'સંવેદના ટ્રસ્ટ ' વિરમપુર દ્વારા આયોજિત માસિક મેડીકલ કેમ્પ તારીખ 29/11/25 શનિવારના રોજ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર,વિરમપુર ખાતે યોજાઈ ગયો.
કેમ્પમાં OPD માં કુલ 445જેટલા આદિવાસી અને ગરીબ દર્દીઓનુ નિદાન કરી દવા સહિતની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.

નિયમિત રીતે યોજાતા અમારા આ કેમ્પમાં તપાસ કરી જુદા તારવેલા આંખના 55 સર્જીકલના 42, ગાયનેકના 2 મળી કુલ 99 જેટલા ઓપરેટીવ દર્દીઓને તદ્દન નિ:શુલ્ક ધોરણે વિસનગર 'જ્યોતિ હોસ્પિટલ,'સાંકળચંદ.કે.પટેલ મેડીકલ કોલેજ' અને જીવનયોગ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવશે.

આજના આ કેમ્પમાં ઉત્તર ગુજરાતના વીતેલા જમાનાના પ્રજા વત્સલ દિગ્ગજ કર્મવીર લોક સેવક શ્રી સાકળચંદભાઈ કાળીદાસ પટેલ ના ૩૯ માં નિર્વાણ દિન નિમિત્તે તેમના પૌત્ર અને એસ.કે. યુનિવર્સિટી, વીસનગરના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ તરફથી કેમ્પમાં આવેલ તમામ દર્દીઓને મીઠાઇ -ફરસાણનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

આજના કેમ્પમાં 'જ્યોતિ હોસ્પિટલ'ના પ્રમુખશ્રી ડોક્ટર મિહિરભાઈ જોશી સાહેબ, ટ્રસ્ટી શ્રી આદરણીય રમણદાદા, વિતાનભાઈજોશી ,'સંવેદના ટ્રસ્ટ'ના ટ્રસ્ટી આદરણીય હસમુખદાદા અને ડો.મંદાબહેન , 'એસ.કે.નૂતન હોસ્પિટલ' વિસનગરના ટ્રસ્ટીશ્રી આદરણીય અમૃતભાઈ, તેમજ વસંતભાઈ લીમ્બાચીયા ડિસ્ટ્રિક્ટ સુપરવાઈઝર, ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ યુનિટ આરોગ્ય શાખા, હાજર રહ્યા હતા.

વીસનગરની આ ત્રણેય સેવાભાવી સંસ્થાઓના વડાઓ તેમજ તેમના તબીબો,દાતાઓ અને સંચાલકો દ્વારા આ માનવીય કાર્યમાં નિસ્બતપૂર્વક ઓપરેશન સહિતની તમામે તમામ સગવડો તદ્દન નિ:શલ્ક ધોરણે પૂરી પાડવા બદલ આદિવાસી પ્રજા વતી સંવેદના પરિવારના સૌને આભાર સહ વંદન .🙏🙏🙏

તારીખ 29/ 11/2025 ને શનિવાર ના રોજ સંવેદના ટ્રસ્ટ, વિરમપુર ખાતે ઉત્તર ગુજરાતના વીતેલા જમાનાના કર્મઠ અને પ્રજાવત્સલ દિગ્ગ...
30/11/2025

તારીખ 29/ 11/2025 ને શનિવાર ના રોજ સંવેદના ટ્રસ્ટ, વિરમપુર ખાતે ઉત્તર ગુજરાતના વીતેલા જમાનાના કર્મઠ અને પ્રજાવત્સલ દિગ્ગજ લોકસેવક સદગત્ શ્રી સાંકળચંદભાઈ કાળીદાસ પટેલના 3૯મા નિર્વાણદિને તેમના પૌત્ર અને એસ.કે. યુનિવર્સિટી, વીસનગરના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ તરફથી સર્વોદય આશ્રમશાળાના બાળકોને તેમજ સંસ્થામાં કામ કરતા શ્રમજીવી પરિવારોને સ્નેહ ભોજન આપવામાં આવ્યું હતું.

આ સ્નેહ ભોજનમાં બાળકોને
તથા શ્રમિકોને મોહનથાળ,
ફૂલવડી, પૂરી, શાક,
દાળ, ભાત નું સ્વાદિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું.

દાતાશ્રી પ્રકાશભાઈ પટેલ તથા તેમના સંસ્થા પરિવારનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

02/10/2025
તા.30/09/2025 ને મંગળવાર ના રોજ સંવેદના ટ્રસ્ટ, વિરમપુર ખાતે અમારી નિવાસી આશ્રમશાળાનાં બાળકો અને કેમ્પસમાં રહેતાં શ્રમજી...
01/10/2025

તા.30/09/2025 ને મંગળવાર ના રોજ સંવેદના ટ્રસ્ટ, વિરમપુર ખાતે અમારી નિવાસી આશ્રમશાળાનાં બાળકો અને કેમ્પસમાં રહેતાં શ્રમજીવી પરિવારોનાં સભ્યોને નવરાત્રીમાં દુર્ગા અષ્ટમી નિમિત્તે સ્વર્ગસ્થ શ્રી. વિરેન્દ્ર ભટ્ટની સ્મૃતિમાં સંસ્થાના કાયમી શુભેચ્છક મિત્રો
સ્થળ: સંવેદના ટ્રસ્ટ વિરમપુર
ખુશી -મનનના સ્નેહ સૌજન્યથી
મહાપ્રસાદ અને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. જેમાં સૌને શીરો , ગોટા અને કઢીની નો મહાપ્રસાદ અને અલ્પાહાર ની મોજ કરાવવામાં આવી હતી.

દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

Address

Virampur
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Samvedana Trust- Virampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Samvedana Trust- Virampur:

Share