26/03/2026
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી આર.કે. પટેલ દ્વારા ધારાસભ્યોને કડક ટકોર
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી આર.કે. પટેલ દ્વારા ગુજરાતના ખેડૂત પુત્ર ધારાસભ્યોને ખેડૂતોની ચિંતા કરવા કડક ટકોર કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે ખેડૂતોએ તમને વિધાનસભામાં માત્ર રસ્તાઓ, બદલીયો અને હેલો-હાઈ માટે નથી મોકલ્યા. આજે સમય છે ખેડૂતોનો અવાજ બનવાનો, તેમની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહેવાનો અને તેમના દુઃખ-દર્દને સમજવાનો.
રાજ્યમાં અનેક ખેડૂતોના પાકો માટીના ઢેફાના ભાવે વેચાઈ ગયા છે, છતાં પણ તેમની સમસ્યાઓને પ્રાથમિકતા આપવામાં આવતી નથી, જે અત્યંત ચિંતાજનક છે. આવી પરિસ્થિતિમાં ધારાસભ્યોની ફરજ બને છે કે તેઓ પોતાના વિસ્તારની વાસ્તવિક તકલીફોને સમજી અને સચિવાલય સુધી મજબૂત રીતે પહોંચાડે.
આર.કે. પટેલે વધુમાં યાદ અપાવ્યું કે કોરોનાના કપરા સમયમાં દેશ અને સમાજને સાચવનાર ગામડાં અને ખેડૂતો જ હતા. ત્યારે આજે તેમની સાથે ઊભા રહેવું એ દરેક જનપ્રતિનિધિની નૈતિક જવાબદારી છે.
તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે માત્ર ટ્રેક્ટર પર બેસીને ફોટા પડાવવાથી કે માથે ફાળીયું બાંધવાથી કોઈ ખેડૂત નથી બની જવાતુ *ખેડૂત બનવા માટે ખેડૂત જેવું હૃદય હોવું જરૂરી છે,* જેમાં સંવેદના અને સમર્પણ હોવું જોઈએ.
ભારતીય કિસાન સંઘ દ્રારા તમામ ધારાસભ્યોને વિનંતી કરી છે કે તેઓ રાજકીય સ્વાર્થથી ઉપર ઊઠીને ખેડૂતોના હિતમાં કાર્ય કરે અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક અને અસરકારક ઉકેલ માટે સરકાર સમક્ષ દબાણ બનાવે.
*“ખેડૂતનો અવાજ બનશો તો જ જનતા તમને સાચા અર્થમાં પ્રતિનિધિ માનશે”* હવે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ જ્યારે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં પરત ફરી રહ્યા છે,
ત્યારે *ખેડૂતો પણ તેમને સીધો પ્રશ્ન પૂછજો — “અમારા માટે તમે ત્યાં શું કર્યું?”*
આ પ્રશ્નનો સચ્ચાઈપૂર્વક જવાબ આપવા માટે આજથી જ ખેડૂતોની સાથે ઊભા રહીને તેમના હિતમાં કામ કરવાની જરૂર છે.
અંતમાં તેમણે ધારાસભ્યોને ટકોર કરી કે ચૂંટણી સમયે જેમને હાથ જોડીને વચનો આપ્યા હતા, આજે એ જ ખેડૂતો સાથે આંખ ના મીલાવી શકો તેવી સ્થિતિ ન સર્જાય — પરંતુ ગૌરવથી તેમની સામે ઊભા રહી શકાય તેવું કાર્ય કરો. ખેડુતો નો અવાજ બનો. માત્ર મતોની ખેતી ના કરશો