04/04/2026
*લોહાણા જ્ઞાતિ ના વૈશ્વિક સંગઠન લોહાણા મહાપરિષદ ના ઝોનલ પ્રમુખ તરીકે ભાવનઞર ના એડવોકેટ શ્રી સુમિતઠકકર ની વરણી*
----------------------------------------
*ભાવનગર , અમરેલી અને બોટાદ જિલ્લા ની જવાબદારી સંભાળશે*
ભાવનઞર ના જાણીતા સામાજીક કાયૅકર અને સ્વાતંત્ર સેનાની સ્વ.કનુઠકકર ના પૌત્ર અને સિનિયર પત્રકાર અજયભાઈ ઠક્કર ના પુત્ર એડવોકેટ શ્રી સુમિત અજયભાઈ ઠકકર ની શ્રી વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના પ્રમુખશ્રી સતીષભાઈ વીઠ્ઠલાણીએ ઝોન 4 ભાવનઞર, અમરેલી, બોટાદ ના ઝોન ના ઝોનલ પ્રેસીડન્ટ તરીકે વરણી કરેલ છે. જેને લોહાણા સમાજ ના આઞેવાનો, કાયૅકરો, જ્ઞાતિજનો એ આવકારેલ છે.
શ્રી સુમિત ઠકકર ગત ટર્મ માં પણ પાંચ વર્ષ લોહાણા મહાપરિષદ ઝોન 4 ના પ્રમુખ રહ્યા હતા હાલ માં તેની ફરી પાંચ વર્ષ 2026 થી 2031 સુધી નિમણુંક મળી છે ગત ટર્મ માં શિક્ષણ, આરોગ્ય અને સમાજ સંગઠન ના વિવિધ સેવા આયામો,ચોપડા વિતરણ ઉપરાંત જરૂરીયાતમંદ પરિવાર ને રાશન કીટ અને આર્થિક સહાય જેવી અનેક સેવાઓ નું સંકલન તેમણે સફળતા પૂર્વક કરેલ છે.
હાલ સુમિત ઠક્કર ભાવનગર રેડક્રોસ મા પણ વાઈસ ચેરમેન તરીકે સેવા આપે છે.અને સરકાર ની વિવિધ આરોગ્ય સેવાઓ ની સમિતિઓ માં પણ તેમની નિમણુંક કરવા માં આવી છે.શ્રી સુમિત ઠક્કર ને આરોગ્ય સેવાઓ માટે રાષ્ટ્રપતિ ના મેરીટ એવૉર્ડ થી પણ સન્માનીત કરવા માં આવ્યા છે.તેઓ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ માં પણ વિવિધ કમિટી માં રહી ને સેવા આપી રહ્યા છે.
આ નિમણુક ને વિશ્ર્વ સંગઠન લોહાણા મહાપરિષદ ના પ્રેસિડેન્ટ શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી, તેમજ હોદેદારો તેમજ ભાવનઞર , અમરેલી, બોટાદ ઝોન 4 ના લોહાણા સમાજ ના મહાજનો, સંસ્થાઓ, અગ્રણીઓ , વેપારીઓ, જ્ઞાતિજનો, એ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવેલ.