26/06/2026
લોકોને કાયમ હસાવનારે ;એક દિવસે બધાને રડાવી ને વિદાય લીધી!
બેનમૂન વ્યક્તિત્વ એવા સ્વ. ભાગ્યપાલસિંહ સાવજુભા જાડેજાને ભાવભીની શ્રધ્ધાંજલિ.
મારા ભત્રીજાઓ મારી પાસે ભણતા ત્યારે મોટા ભાગના ભત્રીજાઓએ એક યા બીજા કારણે મારા હાથનો મેથી પાક ખાધેલો! (જો કે અમે બધાએ પણ મોટા ભાઇઓ ના હાથનો મેથી પાક ઘણો ખાધો છે!)
પણ ભાગ્યપાલે ક્યારેય મેથી પાકનો સ્વાદ ચાખ્યો નહોતો! ક્યારેય ગુસ્સામાં આપણે મેથીપાક આપવાની તૈયારી કરીએ ત્યાં તો એવી વાત કરે કે આજુબાજુના બધા હસવા માંડે! આપણે “વટ ને વટ” માં ન હસીએ તો પણ “મેથીપાક” આપવાનો મૂડ જતો રહે! આવી અદુભૂત હાસ્ય કળા ના માહિર એક દિવસ બધાને રડાવી ને ૪૭ વર્ષ ની કાચી ઉંમરે જતા રહેશે એવી ક્લ્પના નહોતી! એક પ્રોફેસર જેવી વાક પટુતા હતી!
MA સુધી અભ્યાસ કર્યો પણ સરકારી નોકરી નહોતી એટલે સેવાનું ક્ષેત્ર અપનાવી ને કેટલાંક વર્ષોં અમારા નાનાભાઈ અર્જુનસિંહ સંચાલિત આશાપુરા ટ્રસ્ટ માં ફરજો નિષ્ઠા પુર્વક બજાવી.
જેને કારણે માતાજી ની કૃપાથી મુન્દ્રાની ભારે પ્રતિષ્ઠિત , વિશ્વની આ ક્ષેત્ર સૌથી મોટી Multi National company, D P world MICT માં supervisor તરીકે પસંદ થયા. બાદમાં પોતાની કુદરતી આવડત, નિષ્ઠા અને પ્રમાણિકતા ને કારણે અનેક promotions લઈને સિનિયર મેનેજર જેવા ઉચ્ચ હોદ્દા ની જવાબદારી કમ્પની એ સોંપી દીધી. કમ્પની તરફથી recruitment ની પસંદગી કરનાર પેનલના પણ સદસ્ય તરીકે ખૂબ મોટી જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી.
D P World, એ logistics ક્ષેત્ર ની વિશ્વ ની સૌથી મોટી કંપનીઓ માંની એક છે.
માતાજી ની કૃપાથી અમારા ૭ ભાઇઓના કુટુંબ માં હજુ પણ એક જ સયુંકત કુટુંબની એકતા અને સંપ છે! અમારી બીજી પેઢી માં ૧૧ ભાઈઓ અને 9 બહેનો હતા! ગઈકાલે બહેનો કહેતા હતા કે આપણા ૧૧ ભાઈઓ માંથી એક ભાઈ ઓછો થઈ ગયો!
ભાગ્યપાલ સિંહ ની સારવાર દરમ્યાન સતત બધા ૧૦ ભાઈઓ, બધા ૯ બહેનો, અમે બધા ૭ ભાઈઓ, બધા આંટીઓ, બંને ફૈબા, મિત્રો વિશાળ સંખ્યા માં સતત હાજર હતા.
આ ઊંડી દુઃખ ની લાગણી ૯ બહેનો જ સમજી શકે!
જે આવે છે એનું સૌનું જવાનું નકકી છે! પરંતુ કોઈ વ્યક્તિ તેના જીવનના મધ્યાહનમાં જાય ત્યારે તેનો “ઇમ્પેક્ટ“ ઊંડો અનુભવાય છે!
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. ભાગ્યપાલસિંહ ના આત્મા ને પરમ શાંતી આપે.
આપ સૌએ અમારા કુટુંબ ઉપર આવી પડેલ આ આફતમાં સતત સાથ, સંવેદના, હૂંફ આપી એ બદલ આપ સૌનો ખૂબ આભાર અને ધન્ય વાદ.
ડો જયેન્દ્રસિંહ જાડેજા
તા. 23 જૂન 2026.