Panchmahal Jilla Rajput Yuva Association Godhra

Panchmahal Jilla Rajput Yuva Association Godhra PANCHMAHAL JILLA RAJPUT YUVA ASSO.GODHRA,DIST-PANCHMAHAL,STATE-GUJARAT(INDIA) STARTED 1/1/2001 AT GO

ધ્વજા આરોહણ 🚩🚩🚩આજે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ખાતે ધ્વજા બદલવામાં આવી.ગોધરા તા.૨૧ મે ૨૦૨૬
21/05/2026

ધ્વજા આરોહણ 🚩🚩🚩

આજે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ખાતે ધ્વજા બદલવામાં આવી.
ગોધરા
તા.૨૧ મે ૨૦૨૬

🚩જય રાજપુતાના 🚩           🚩જય મેવાડ🚩*આજે ગોધરા ખાતે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.*તા:૦૯/૦૫/૨૦૨૬...
09/05/2026

🚩જય રાજપુતાના 🚩
🚩જય મેવાડ🚩
*આજે ગોધરા ખાતે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.*
તા:૦૯/૦૫/૨૦૨૬

વીર શિરોમણી હિંદવા સૂરજ
શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતી અંગ્રેજી કેલેન્ડર મુજબ તા:૦૯/૦૫/૨૦૨૬ ને શનિવાર ના રોજ આજે મહારાણા પ્રતાપ ચોક, બી.વી.ગાંધી પંપ સામે,ગોધરા ખાતે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ કરી “મહારાણા પ્રતાપસિંહજી અમર રહો” ના નારા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
સાથે સાથે ન્યૂ ઇરા હાઈસ્કૂલ ગોધરા ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પણ પુષાપાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે રાજપૂત સમાજ પંચમહાલના મંત્રીશ્રી પી.ડી.સોલંકી, શ્રી મનહરસિંહ પુવાર હોદ્દેદારશ્રી, શ્રી ભારતસિંહ સોલંકી યુવા એસો.પંચમહાલ પ્રમુખ,શ્રી નરેન્દ્રસિંહ સિસોદિયા,શ્રી આદિત્યરાજસિંહ સિસોદિયા- મંત્રીશ્રી ગોધરા નગર ભાજપ,શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત થયા હતા

ગુજરાત રાજ્યની રાજપૂત સંકલન સમિતિ અને Maharana of Mewar Charitable Foundation (MMCF) ના આદેશ મુજબ *હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહારાણા પ્રતાપ જન્મજયંતિ જન્મતિથિ મુજબ ઊજવવાનું નક્કી કરેલ હોવાથી જેઠ સુદ 3 ને બુધવાર તા. 17 જૂન 2026 ના રોજ ગોધરા ખાતે ભવ્ય ઉજવણી સમારોહનું આયોજન* પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ અને યુવા એસો., મહીલા સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત થશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જણાવીશું.

*તા: ૧૭/૦૬/૨૦૨૬ ના રોજ આપણી બૃહદ પંચમહાલ જિલ્લાની સંસ્થાઓના સંયુક્ત આયોજન મુજબ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી ગોધરા ખાતે કરીશું.*
🚩જય રાજપૂતાના 🚩
🚩જય મેવાડ🚩

01/10/2025

🚩 વિજયા દશમી પર્વ : દશેરાની ઉજવણી 🚩

સહર્ષ જણાવવાનું કે આગામી 2.10.2025 ના રોજ ગુરુવારે રાજપૂત સમાજ ભવન,ગોધરા મુકામે આપણા રાજપૂત પરંપરાની ગૌરવભેર ઉજવણીના ઉપલક્ષમાં વિજયા દશમી પર્વ -દશેરા ઉજવણી સમારોહ રાખેલ છે.

🙏આ સમારોહમાં આપ સૌ પરિવાર સહ પધારવા નિમંત્રણ છે.
👉આ ઇ-પત્રિકા આપને રૂબરૂ મળ્યા તુલ્ય ગણી નિમંત્રણ સ્વીકારશો..
👉આપણી આસપાસની સોસાયટી,ગામમાં રહેતા આપણા રાજપૂત બંધુઓને દશેરાના ઉજવણી સમારોહમાં પધારવા આપની કક્ષાએથી નિમંત્રણ પાઠવી જાણ કરશો અને ગ્રામ્ય કક્ષાએ ગામમાં આપણા સમાજના ગ્રુપમાં પણ પત્રિકા મૂકશો.જેથી સૌ ને જાણ થાય અને પધારી શકે...

🔴કાર્યક્રમો🔴
🕉️તા 02.10.2025
વાર :ગુરુવાર

💠સવારે 9.30 કલાકે શસ્ત્ર પૂજન
💠સવારે 10.00 થી વિજયા દશમી સ્નેહમિલન સમારોહ
🔰તેજસ્વી તારલાઓનું સન્માન
🕉️આગામી શતાબ્દી મહોત્સવ અંગેની આયોજન બેઠક અને અત્યારસુધી ની કામગીરીની સમીક્ષા અને જાણકારી,સમિતિઓની રચના
🕉️ 1.00 વાગે આપણે સૌ સ્વરૂચિ ભોજન સાથે લઈશું.

🙏નિમંત્રક🙏
🚩પંચમહાલ રાજપૂત સમાજ,ગોધરા
🔆પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ગોધરા
🔰પંચમહાલ જિલ્લા મહિલા રાજપૂત સમાજ,ગોધરા.

મહારાણા પ્રતાપસિંહજી ની 485 જન્મ જયંતિની પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ ગોધરા દ્વારા થયેલ ઉજવણી.તા.29.5.2025ગોધરારાજપૂત વીર ...
29/05/2025

મહારાણા પ્રતાપસિંહજી ની 485 જન્મ જયંતિની પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ ગોધરા દ્વારા થયેલ ઉજવણી.
તા.29.5.2025
ગોધરા

રાજપૂત વીર યોધ્ધા વીર શિરોમણી મેવાડ નરેશ મહારાણા પ્રતાપસિંહજીની 485 જન્મ જયંતીની ઉજવણી પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ,પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.અને પંચમહાલ જિલ્લા રાજપૂત મહિલા સમાજ,ગોધરાના સંયુક્ત ઉપક્રમે રાજપૂત સમાજ ભવન ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે રાજપૂત સમાજના માનનીય પ્રમુખશ્રી સી.કે.રાઉલજી સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપસિંહની પ્રતિમાને પુષ્પાંજલિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.ઉપસ્થિત મંત્રીશ્રી પી.ડી.સોલંકીએ સ્વાગત પ્રવચન અને શ્રી એન.જી.રાઠોડ એ આભાર વિધિ રજૂ કરી હતી.
સમારોહના અધ્યક્ષ શ્રી સી.કે.રાઉલજી એ સમાજમાં એકતા,સંગઠન અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા જણાવી મહારાણા પ્રતાપસિંહના સંઘર્ષ ને યાદ કરી રાજપૂત બંધુઓએ મહારાણા પ્રતાપસિંહને પોતાના આદર્શ બનાવી રાષ્ટ્ર,સમાજ ઉપયોગી કાર્યોમાં આગળ વધવા જણાવ્યું હતું.
રાજપૂત ભવન ગોધરાથી શરૂ થયેલી મહારેલી ગોધરાના રાજમાર્ગો પસાર કરી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે પહોંચી હતી.જ્યાં સમાજના પ્રમુખશ્રી સી.કે.રાઉલજી તેમજ આગેવાનોએ મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને "મહારાણા પ્રતાપસિંહજી અમર રહો" ના નારા થી વાતાવરણ શૌર્યવંતુ બન્યું હતું.આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ગોધરા શહેર અને વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં રાજપૂત બંધુ વડીલો,યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.સાથે સાથે શહેર ભાજપના આગેવાનો,નગરપાલિકા ગોધરાના પદાધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ત્યારબાદ રાજપૂત આગેવાનો અને યુવાનો મહેતા સ્કૂલ,ગોધરા સ્થિત મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ માટે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહેતા સ્કૂલ સંસ્થાના પ્રમુખશ્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આજની મહારેલીમાં જોડાવા બદલ સૌનો રાજપૂત સમાજની ત્રણેય સંસ્થાઓ વતી પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ના પ્રમુખ શ્રી ભારતસિંહ સોલંકી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચાલો...ગોધરા....ચાલો...ગોધરા..⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️આદરણીય રાજપૂત બંધુઓ વડીલો,યુવાનોપંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લો તમામ સહર્ષ ...
25/05/2025

ચાલો...ગોધરા....ચાલો...ગોધરા..
⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

આદરણીય રાજપૂત બંધુઓ વડીલો,યુવાનો
પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લો તમામ

સહર્ષ જણાવવાનું કે રાજપૂત વીર યોધ્ધા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે.આ મહારેલીમાં સૌ રાજપૂત બંધુઓ અવશ્ય પધારશો.

🕉️સૌ રાજપૂત બંધુઓ વિનંતી કે સમયસર પધારે, રાજપૂત ઓળખ સમા સાફા પહેરી પધારશો તેમજ આપણે વાહન સાથે રેલીમાં જોડાઈશું.

❇️મહારેલી ❇️
🔱તા.29.05.2025 ને ગુરુવાર

🚩રેલી પ્રસ્થાન સમય: સવારે 9.00 કલાકે

🔰મહારેલી પ્રારંભ : રાજપૂત સમાજ ભવન,ગોધરા

🔰સમાપન : મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા,બી.વી.ગાંધી પંપ પાસે,ગોધરા

💠નોંધ : દરેકને પોતપોતાના કામ હોય શકે પણ આપણા સમાજની અસ્મિતા અને ઓળખ ટકાવવા માત્ર 1 કલાક માટે પોતાની ફરજ સમજી,આપણા સગાને ત્યાં પ્રસંગ સમજીને સમય ફાળવશોજી તેવી નમ્ર સામાજિક અપીલ કરીએ છીએ.

🙏દરેક ગામમાંથી યુવાનો બાઈક,કાર દ્વારા સાફા સાથે રાજપૂત મિત્રો સાથે સમયસર પધારશો.
જેમની પાસે સાફા હોય તેઓ લઈ/પહેરીને પધારશો.
👉સ્થળ ઉપર સાફા બાંધવાવાળા યુવાનો પણ વેળાસર પધારે તેવી વિનંતી.

🌼નિમંત્રક🌼
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ
પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.
પંચમહાલ જિલ્લા રાજપૂત મહિલા સમાજ,ગોધરા.

મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે) આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી.રાજપૂત વીર યોધ્ધા વીર ...
09/05/2025

મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી(તારીખ મુજબ 9 મે)
આજે 9.5.2025 ના રોજ ગોધરા ખાતે ઉજવણી કરવામાં આવી.

રાજપૂત વીર યોધ્ધા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે મહારાણા પ્રતાપસિંહજીની ગોધરા ખાતેની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે શ્રી પી.ડી.સોલંકી મંત્રીશ્રી રાજપૂત સમાજ તેમજ શ્રી ભારતસિંહ સોલંકી યુવા એસો,શ્રી અશોકસિંહ સોલંકી,શ્રી હિતેન્દ્રસિંહ સોલંકી વગેરે બી.વી.ગાંધી પંપ સામે સ્ટેચ્યુ ખાતે તેમજ M &M મહેતા સ્કૂલના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ શાહ વગેરે મહેતા સ્કૂલ ખાતે પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ અર્થે ઉપસ્થિત હતા.
આગામી 29.5.2025 ના રોજ જેઠ સુદ ત્રીજ ના દિવસે તિથિ મુજબ ઉજવણી રાજપૂત સમાજ ગોધરા ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.







મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતિની ઉજવણી તારીખ મુજબ 9 મે 2025 ના રોજ ગોધરા ખાતે 2 પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવ...
09/05/2025

મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતિની ઉજવણી તારીખ મુજબ 9 મે 2025 ના રોજ ગોધરા ખાતે 2 પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી.

આદરણીય,શ્રી તુષારસિંહ બાબા સાહેબબારીઆ સ્ટેટ ના પ્રજાપ્રિય મહારાજા,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય,૧૩૪ -...
19/04/2025

આદરણીય,
શ્રી તુષારસિંહ બાબા સાહેબ
બારીઆ સ્ટેટ ના પ્રજાપ્રિય મહારાજા,
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય,
૧૩૪ - વિધાનસભા પૂર્વ ધારાસભ્ય

લોકલાડીલા નેતા વડીલો સાથે વડીલ, યુવાઓ સાથે યુવા અને ભૂલકાઓ સાથે ભૂલકા બની રહેનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય, મહારાજા અને ૧૩૪ દેવગઢબારીયા વિધાનસભા ના યુવાનો ના દિલ ની ધડકન અને લોકપ્રિય પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબા સાહેબ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ...

જીવનના પરમ માંગલ્યનેપામવા વ્યક્તિ તરીકે આપણે હંમેશા પ્રવૃત્ત રહેતા હોઈએ છીએ એ પ્રવૃત્તિ છેવટે આપણી વૃત્તિ બનતી હોઈ છે,
એમાં આપણા સંસ્કારો ભળતા આપણા સમગ્ર જીવનનું પોત ઘડાતું હોઈ છે.કંઈક એ રીતે આપનું પોત પણ ઘડાયું હશે.

માત-પિતા, વડીલો અને ગુરુજનોની કૃપા સાથે અથાક પરિશ્રમથી આપ સામાજિક, રાજકીય અને સહકારી ક્ષેત્રે સફળ મુકામ સુધી પહોંચ્યા છો.

જીવનમાંથી એક વર્ષ ઘટે છે કે એક નવું વર્ષ સામે આવી આવકારે છે, એવા સ્થૂળ અર્થની સીમામાં જીવનને બાંધવું ઉચિત નથી એ ન્યાયે આપે જીવનને હંમેશા વિશાળ અને હકારાત્મક દૃષ્ટિકોણથી જ જોવાનો પ્રયત્ન કર્યો છે, અને એમાં જ આપની સફળતાનું રહસ્ય સમાયેલું છે.

આપના ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી જીવન કવન થકી આપનો પરિવાર અને સમગ્ર સમાજ ગૌરવાન્વિત છે.લાખો હાથ આજે આપના સુખ,સમૃદ્ધિ અને આરોગ્ય તથા યશશ્વી કારકિર્દી માટે પ્રભુ સામે જોડાયેલા છે.

આપ જીવનમાં સતત સાત્વિક સુખને પામો,આપનું આરોગ્ય અક્ષત રહે તથા માત-પિતા અને ઈષ્ટદેવના આપ પર આશીર્વાદ અવિરત વરસતા રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના...

ભારતસિંહ સોલંકી
પ્રમુખ
પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ગોધરા 🇮🇳
https://www.facebook.com/share/p/1EkbKs4CDJ/

🚩⚔️વિજયા દશમી પર્વ સમારોહ🚩⚔️પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ અને પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ગોધરા  આયોજિત વિજયા દશમી પર્વન...
12/10/2024

🚩⚔️વિજયા દશમી પર્વ સમારોહ🚩⚔️

પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ અને પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.ગોધરા આયોજિત વિજયા દશમી પર્વની ઉજવણી

રાજપૂત સમાજ ભવન,ગોધરા
12.10.2024
સમય :સવારે 9.30 કલાકથી
ઉજવણી કરવામાં આવી.
⚜️શસ્ત્ર પૂજન સમાજના પ્રમુખશ્રી સી કે રાઉલજી તેમજ અભ્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં સવારે 9.30 કલાકે કરવામાં આવ્યું.

⚜️સ્નેહ મિલન સમારોહ સવારે 11.00 કલાકથી પ્રારંભ થયો
⚜️જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું
⚜️શાબ્દિક સ્વાગત શ્રી પી.ડી.સોલંકી,મંત્રીશ્રી,પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું
⚜️મહાનુભાવોનું પુષ્પ,બુક થી સ્વાગત કરવામાં આવ્યું.મહાનુભાવોને મળેલ બુક્સ તેજસ્વી તારલાઓને આપવામાં આવી.
⚜️પ્રાસંગિક ઉદ્દબોધન શ્રી મનહરસિંહ પૂવાર,શ્રી એન.જી.રાઠોડ,શ્રી ચંદ્રસિંહ ડી.રાઉલજી,શ્રીમતી વિલાસ બા પુવાર,શ્રી વિજયસિંહ અલવા દ્વારા કરવામાં આવ્યું.
પરિવાર લેબોરેટરીમાંથી આવેલ હિતેન્દ્રસિંહ પુવાર દ્વારા વિવિધ ટેસ્ટ અંગેની જાણકારી આપી.
આરોગ્યમ કેન્સર હોસ્પિટલ, ઓરવાડાથી પધારેલ કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર શ્રી દ્વારા કેન્સર અંગેની જાગૃતિ વિશે સમજ આપી
સન્માનિત થનાર અનુસ્નાતક M.Sc,GATE પાસ અને હાલ Ph D કરતી દીકરી ઈશિતા હરજીત સિંહ સોલંકી પોતાના શિક્ષણ વિશેના વિચારો રજૂ કર્યા.
Ph.D થયેલ ડો.પ્રેરણબા અમિત સિંહ પરમાર અલવા દ્વારા લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખી પ્રોફેસર તરીકે નોકરી મેળવી પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં પધારેલ રાજમાતા દેવગઢ બારીયા સ્ટેટ ઉર્વશી દેવીજી બાપુરાજ નું શાલ,તલવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સમાજમાં સૌથી વધુ દાન લાવનાર સમાજના પ્રમુખ શ્રી સી.કે રાઉલજીનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે કોરોના કાળમાં 900 થી વધુ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવાની 66 દિવસની કપરી કામગીરી,ઉકાળા વિતરણ,દવા વિતરણ જેવી કામગીરી માટે શ્રી અરવિંદ સિંહ સિસોદિયા નું સન્માન , ફોટો,વિડિયોગ્રાફી વિનામૂલ્યે કરનાર શ્રી જયદીપ સિંહ ઠાકોર નદીસર, તેમજ આ કાર્યક્રમ માટે 90,000 રૂ.નું દાન આપનાર 18 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
સમાજના ધો.10 થી લઇ Ph D સુધીના વિદ્યાર્થીઓનું ટ્રોફી,સન્માન પત્ર,પેન દ્વારા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.
અધ્યક્ષ સ્થાનેથી શ્રી સી.કે.રાઉલજી,પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ગોધરા દ્વારા સામાજિક એકતા,કુરિવાજો દૂર કરવા અને સમાજને સહયોગી ઉપયોગી બનવા જણાવ્યું
આભાર વિધિ ભારતસિંહ સોલંકી,પ્રમુખ પંચમહાલ જિલ્લા રાજપૂત યુવા એસો.દ્વારા કરવામાં આવી..
કાર્યક્રમમાં 500 જેટલા રાજપૂત બંધુ,વડીલો,માતાઓ,યુવાનો,દીકરા,દીકરીઓ ઉપસ્થિત રહ્યા.
કેન્સર વિશે અલયાદી માહિતી ડો.ભાર્ગવીબા ગોહિલે મહિલાઓના બ્રેસ્ટ કેન્સર વિશે આપી.
સૌ સ્વ રુચિ ભોજન લઇ છૂટા પડ્યા...
સૌનો આભાર..
🙏🙏🙏

🚩🚩 જય ભવાની...જય મહારાણા પ્રતાપજી🚩🚩મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમજય માતાજીસૌ રાજપૂત...
09/05/2024

🚩🚩 જય ભવાની...જય મહારાણા પ્રતાપજી🚩🚩

મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

જય માતાજી
સૌ રાજપૂત બંધુઓ,વડીલો,યુવાનો અને માતૃશક્તિ ને સહર્ષ જણાવવાનું કે રાજપૂત શિરોમણી વીર યોધ્ધા મેવાડ નરેશ શ્રી મહારાણા પ્રતાપસિંહજીનો જન્મ મેવાડ ખાતે તા.9 મે 1540ના રોજ થયેલ હતો.તેઓશ્રીની જન્મ જયંતી તિથિ મુજબ જયેષ્ઠ સુદ ત્રીજ ના રોજ આવે છે. આપણા જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આ ઉજવણી તિથિ મુજબ કરવાનું નક્કી કરેલ છે.પરંતુ તારીખ મુજબ પણ આપણે ઉજવણી કરવી જોઈએ તેથી આજે તા.09.05.2024 ના રોજ સવારે 8.00 કલાકે મહારાણા પ્રતાપ ચોક,બી.વી.ગાંધી પેટ્રોલ પંપ સામે,ગોધરા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ શ્રી સી.કે.રાઉલજી સહિત સમાજના આગેવાનો, યુવા એસો.ના યુવાનો અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબા રાઠોડ વગેરે જોડાયા હતા અને મહારાણા પ્રતાપસિંહજી ને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કાર્યક્રમ :મહારાણા પ્રતાપસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ
તા.09.05.2024
વાર ગુરુવાર
સમય સવારે 8.00 કલાકે
સ્થળ મહારાણા પ્રતાપસિંહજી ચોક,બી.વી.ગાંધી પેટ્રોલ પંપ સામે,ગોધરા

Address

RAJPUT SAMAJ BHAVAN
Jafrabad
389001

Alerts

Be the first to know and let us send you an email when Panchmahal Jilla Rajput Yuva Association Godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Panchmahal Jilla Rajput Yuva Association Godhra:

Share